એપલના ચાઇનીઝ વેન્ડરે ભારતને બદલે વિયેતનામમાં મૂડીરોકાણ કર્યું

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ચીનથી એપલનો મોહભંગ થઈ રહ્યો છે. એપલના કેટલાય ચીની વેન્ડરો વિશ્વના અન્ય દેશોમાં કામકાજ કરવાની યોજના બનાવી રહ્યા છે. હાલમાં એપલના એક ચીની વેન્ડર લક્સશેરે આશ્ચર્યજનક રીતે 330 મિલિયન ડોલરનું મૂડીરોકાણ વિયેતનામમાં કરી દીધું છે. આમ કંપનીએ ભારતને બદલે વિયેતનામમાં મૂડીરોકાણ કર્યું છે.  

ચીની કંપની લક્સશેર એપલ માટે પ્રોડક્ટ બનાવતી સૌથી મોટી કમ્પોનેન્ટ અને ફિનિશ્ડ પ્રોડક્ટ બનાવતી કંપની છે. કંપનીએ હવે ચીનમાંનું મૂડીરોકાણ વિયેતનામ શિફ્ટ કરી ચૂકી છે.  કંપનીએ કહ્યું હતું કે ભારત અને ચીનના વણસેલા રાજકીય સંબંધોને કારણે કંપની ભારતમાં મૂડીરોકાણ વધારવા નથી ઇચ્છતી. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં કામકાજ વધારવાના ભારે પ્રયાસ કર્યા હતા. લક્સશેર એરપોર્ડનો સપ્લાય કરતી એપલની મુખ્ય સપ્લાયર કંપની છે.કંપનીના વિયેતનામના બેક ગિયાંગ નામના ઉત્તરીય રાજ્યમાં 330 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવાની જાહેરાત છે. કંપની વિયેતનામમાં અત્યાર સુધી 504 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કરી ચૂકી છે.

એપલે સપ્લાય ચેઇનના વૈવિધ્યકરણની યોજના હેઠળ ચીનમાં કામકાજ કરતી કંપનીઓને બહાર શિફ્ય કરવાની યોજના છે. કંપની એ પછી ભારતમાં સ્માર્ટ ડિવાઇસ, કોમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, ટચ પેન અને સ્માર્ટ વોચ, પોઝશનિંગ ટેગ હવે સ્માર્ટ વોચ વગેરે બનાવવાની યોજના પર કાર્યરત છે.

કંપનીએ આ યોજનાને વિયેતનામમાં શિફ્ટ કરી દીધી છે. કંપનીનું યુનિટ વિયેનમામમાં 70 એકરમાં ફેલાયેલું છે અને આગામી 12થી 24 મહિનામાં આ કામ પૂરું કરી લેશે. કંપની વિયેતનામમાં વર્ષ 2019થી મૂડીરોકાણ કરી રહી છે. વળી, કંપનીને આ વર્ષે પ્લાન્ટ લગાવવાની મંજૂરી મળી ગઈ છે.