બગદાણા ચકચારી પ્રકરણમાં જયરાજ આહીર સહિત 6 આરોપીના આજે મહુવા કોર્ટે જામીન મંજૂર કર્યા છે જયરાજ આહિરના વકીલના જણાવ્યા અનુસાર, આજરોજ મહુવા કોર્ટે જયરાજ આહીર સહિત 6 શખસની શરતી જામીન અરજી મંજુર કરી છે. સાંજ સુધીમાં જયરાજ જેલમાંથી મુક્ત થઈ શકે છે.

નવનીત બાલધિયા પર હુમલો કરવના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બન્ને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી. જેમા આજે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.




