તાજેતરમાં અભિનેતા શાહરૂખ ખાનને ફિલ્મ ‘જવાન’ માં શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. આ જાહેરાત થતાં જ દેશભરના સેલિબ્રિટીઓ તરફથી અભિનેતાને અભિનંદન સંદેશાઓ મળવા લાગ્યા. સોશિયલ મીડિયા પર કેટલાક નેટીઝન્સે અભિનેતાને ફિલ્મ ‘જવાન’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવા સામે વાંધો ઉઠાવ્યો.
શાહરુખ ખાનને રાષ્ટ્રીય પુરસ્કાર મળવા પર નેટિજન્સે કહ્યું કે શાહરૂખે ‘જવાન’ સિવાય અન્ય ફિલ્મોમાં વધુ સારી અભિનય કર્યો છે, તો તેને આ ફિલ્મ માટે એવોર્ડ કેમ મળ્યો? હવે આ અંગે, યુટ્યુબર આશિષ ચંચલાનીએ ટ્વીટ કરીને ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો છે.
Will never understand this forced “hatred” for #Jawan
Its my most fav srk film after chak de
It was entertaining and was also beautifully shot.— Ashish Chanchlani (@ashchanchlani) August 4, 2025
યુટ્યુબર અને કન્ટેન્ટ ક્રિએટર આશિષ ચંચલાનીએ સોમવારે પોતાના એક્સ હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું, ‘જવાન પ્રત્યેની આ બળજબરીથી થતી નફરત હું ક્યારેય સમજી શકીશ નહીં. ચક દે પછી આ મારી પ્રિય શાહરૂખની ફિલ્મ છે. તે એક શાનદાર અને મનોરંજક ફિલ્મ હતી.’
યુટ્યુબરના આ ટ્વીટ આવતાની સાથે જ નેટીઝન્સ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી. એક યુઝરે લખ્યું કે જો યુટ્યુબરને ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલ તો પાગલ હૈ’, ‘બાઝીગર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ કરતાં ‘જવાન’ ફિલ્મ વધુ ગમે છે, તો તેણે આ ફિલ્મ ફરીથી જોવી જોઈએ. બીજા યુઝરે કહ્યું કે ‘જવાન’ શાહરૂખની અન્ય ફિલ્મો જેટલી સારી નથી. આ ઉપરાંત, અન્ય યુઝર્સ પણ આશિષ ચંચલાનીની ટિપ્પણી પર નિરાશા વ્યક્ત કરી રહ્યા છે.
