સેનાએ 50થી વધુ ડ્રોન તોડી પાડ્યાઃ POKમાં ભારે નુકસાન

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન હવે જમ્મુ-કશ્મીર, અમૃતસર અને રાજસ્થાનની સરહદના નજીક આવેલાં શહેરોને નિશાન બનાવવા પ્રયાસ કરી રહ્યો છે. ગુરુવાર રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સહિત ઘણાં શહેરોમાં ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને સેનાની એર ડિફેન્સ સિસ્ટમ S-400  દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સામે પક્ષે ભારતની જવાબી કાર્યવાહીમાં POKમાં ભારે નુકસાન થવાના અહેવાલ છે.

આ પહેલાં પાકિસ્તાને ભારતના 15 શહેરોમાં સૈન્ય ઠેકાણાંઓ પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરેક પ્રયત્ન ભારતના S-400 સિસ્ટમથી જડબાતોડ જવાબ આપ્યો હતો.

સેનાએ વિડિયો જારી કર્યો
ભારતીય સેનાએ ટેન્શન વચ્ચે એક વિડિયો બહાર પાડ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે સેનાએ પાકિસ્તાની ડ્રોનને થોડીક સેકન્ડમાં જ નીચે પાડી દીધા હતા.

પાકિસ્તાની હુમલાઓ નિષ્ફળ
જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં થયેલા ડ્રોન હુમલાઓ અંગે ભારતીય સેના તરફથી મોટું નિવેદન આવ્યું છે. સેના મુજબ પાકિસ્તાનના તમામ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.

ADG PIનું નિવેદન
ભારતીય સેનાના એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ (ADG PI) દ્વારા જણાવવામાં આવ્યું છે કે 8 અને 9 મેની મધરાત્રિએ પાકિસ્તાની સશસ્ત્ર દળોએ આખી પશ્ચિમી સરહદ પર ડ્રોન અને અન્ય હથિયારોથી ઘણા હુમલા કર્યા હતા. જમ્મુ-કાશ્મીરની લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર પણ પાકિસ્તાને અનેક વાર સીઝફાયર તોડ્યું હતું.

ADG PI દ્વારા એક વિડિયો શેર કરી જણાવવામાં આવ્યું કે પાકિસ્તાની ડ્રોન હુમલાઓને અસરકારક રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યા છે અને સીઝફાયરના ઉલ્લંઘનનો મજબૂત જવાબ આપ્યો છે.

આ સાથે પાકિસ્તાનના ત્રણ ફાઇટર જેટ અને ડઝનેકથી વધુ મિસાઇલ તથા ડ્રોનને ભારતની હવામાં જ ઉડાડ્યા હતા.  છે. હવે ભારતીય સેના પણ પાકિસ્તાનના શહેરોમાં જવાબી કાર્યવાહીમાં વ્યસ્ત છે. ત્યારે વિશ્વમાં ચિંતાનો માહોલ છે. આ તણાવ વચ્ચે જમ્મુ અને જેસલમેરમાં ફરીથી બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ હતી.