બ્રહ્મણો પર પેશાબ કરીશ…અનુરાગ કશ્યપના નિવેદનથી વિવાદ, બાદમાં માંગી માફી

પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર ફિલ્મ ‘ફૂલે’ જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી વિવાદોમાં છે. સમાજ સુધારક જોડી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત આ ફિલ્મ, બ્રાહ્મણ સમુદાય દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. આ ફિલ્મ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડ ઓફ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ અને બ્રાહ્મણ સમુદાય દ્વારા ફિલ્મ સામે વ્યક્ત કરાયેલા વાંધાને લઈને એક પોસ્ટ લખી હતી, જેનાથી એક નવો વિવાદ સર્જાયો.

બ્રાહ્મણો પર વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી
અનુરાગ કશ્યપે પોતાની પોસ્ટમાં બ્રાહ્મણ સમુદાય પર પ્રહારો કર્યા અને વિવાદાસ્પદ નિવેદન આપીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. જ્યારે યુઝર્સે તેમની પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે ‘બ્રાહ્મણો પર પેશાબ કરવા’ વિશે પણ વાત કરી. તેમણે એક ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું કે ‘બ્રાહ્મણો પે મુતુંગા…કોઈ પ્રોબ્લમ?’ દિગ્દર્શકની આ ટિપ્પણી પછી વિવાદ વધુ ઘેરો બન્યો. આવી સ્થિતિમાં હવે તેમણે માફી માંગી છે અને આ માટે સ્પષ્ટતા આપી છે. અનુરાગ કશ્યપે ઇન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે પોતાના નિવેદન પર પોતાનો પક્ષ રાખ્યો છે. પરંતુ માફી માંગતી વખતે પણ તે બ્રાહ્મણોને નિશાન બનાવવાનું ભૂલ્યા નથી.

અનુરાગ કશ્યપે આ વાતો લખી
અનુરાગ કશ્યપે પોતાની પોસ્ટમાં લખ્યું- ‘આ મારી માફી છે, મારી પોસ્ટ માટે નહીં પણ તે એક લાઇન માટે જે સંદર્ભની બહાર લેવામાં આવી હતી અને જે નફરત પેદા કરી રહી છે. મારી પુત્રી, પરિવાર, મિત્રો અને સહકાર્યકરોને સંપ્રદાયના લોકો તરફથી બળાત્કાર અને મૃત્યુની ધમકીઓ મળે તો કોઈ પણ કાર્યવાહી કે વાણી યોગ્ય નથી.’

 

View this post on Instagram

 

A post shared by Anurag Kashyap (@anuragkashyap10)

 

વધુમાં તેમણે કહ્યું કે,’ જે કહેવામાં આવ્યું છે તે પાછું લઈ શકાતું નથી અને હું નહીં લઉં, પણ તમે ગમે તેટલી મને ગાળો આપી શકો છો, મારા પરિવારે ન તો કંઈ કહ્યું છે અને ન તો તેઓએ કંઈ કર્યુ છે. તો જો મારા તરફથી માફી જોઈએ જ છે, તો હું માફી માંગું છું.બ્રાહ્મણો, સ્ત્રીઓને છોડી દો,આ મૂલ્યો શાસ્ત્રોમાં પણ છે, ફક્ત મનુવાદમાં જ નહીં.તમે કયા પ્રકારના બ્રાહ્મણ છો તે નક્કી કરો.બાકી મારા તરફથી માફી.’

શું મામલો છે?
ખરેખર, આ આખો મામલો ‘ફૂલે’ ફિલ્મના ટ્રેલરના રિલીઝ સાથે શરૂ થયો હતો. દિગ્દર્શક અનંત મહાદેવનની આ ફિલ્મ ‘જ્યોતિબા ફૂલે’ના જીવનની વાર્તા કહે છે. જ્યોતિબા ફૂલે એક સમાજ સુધારક હતા જેમણે 19મી સદીમાં કન્યા શિક્ષણ પર ભાર મૂક્યો હતો. તાજેતરમાં જ તેમના જીવન પર આધારિત ફિલ્મ ‘ફૂલે’નું ટ્રેલર રિલીઝ થયું હતું. આનો વિરોધ પણ જોવા મળ્યો. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ મહારાષ્ટ્રના બ્રાહ્મણ સમુદાયે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ ફિલ્મની રિલીઝ તારીખ મુલતવી રાખવી પડી. બ્રાહ્મણોનો આરોપ છે કે પાત્રોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે ફિલ્મની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી, ત્યારે અનુરાગ કશ્યપ ગુસ્સે થયા અને તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.