અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન

અમદાવાદ: આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રામાં 1,000થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન કરવામાં આવ્યું છે. અદાણી ફાઉન્ડેશન મહિલાઓને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાની તકો પૂરી પાડે છે. ફાઉન્ડેશન તેમની સામાજિક-આર્થિક સ્થિતિ તેમજ નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે.અદાણી સોલારમાં કામ કરતી 614થી વધુ મહિલાઓની સામૂહિક સ્થિતિસ્થાપકતાની ઉજવણી પણ આ પ્રસંગે કરવામાં આવી. ફાઉન્ડેશને મહિલાઓને એકત્રિત કરી, સલાહ-સૂચનથી પ્રોત્સાહિત કરી. અદાણી સોલારમાં આ મહિલાઓને ટેકનિકલ સહયોગીઓ, માનવ સંસાધન (HR), ઉત્પાદન વિભાગોમાં એન્જિનિયરિંગ હોદ્દાઓમાં કામ આપવામાં આવ્યું છે. ફાઉન્ડેશને 850થી વધુ મહિલાઓના ઉદ્યોગસાહસિક કૌશલ્યમાં વધારો કરીને આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરી છે.

ગ્રામીણ વિકાસ કમિશનર અને ગુજરાત સરકારના સચિવ મનીષા ચંદ્રાએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું હતું કે, “મહિલાઓ રૂઢિપ્રથાઓને તોડીને આર્થિક રીતે સ્વતંત્ર બને તે જોવું ખૂબ જ ગર્વની વાત છે. આવી પહેલ પાયાના સ્તરે મહિલાઓને ઉત્થાન આપે છે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપે છે.” મુન્દ્રાની અદાણી પબ્લિક સ્કૂલના ડિરેક્ટર અમી શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા દિવસના મહત્વ અંગે અદાણી ફાઉન્ડેશનના ગુજરાતના સી.એસ.આર. વડા પંક્તિ શાહે લિંગ સમાનતાને આગળ વધારવામાં સમાજની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું હતું કે, “મહિલાઓને ખરેખર પ્રગતિ કરવા પરિવાર, સમુદાય અને કોર્પોરેટ ક્ષેત્રનો ટેકો જરૂરી છે. જ્યારે મહિલાઓને તેમના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવવા માટે સશક્ત બનાવવામાં આવે છે, ત્યારે તેઓ માત્ર તેમની કારકિર્દીમાં જ શ્રેષ્ઠતા મેળવતી નથી પરંતુ તેમના પરિવારો અને સમાજમાં પણ સકારાત્મક પરિવર્તન લાવે છે.”

અદાણી સોલારના ટેકનિકલ એસોસિયેટ સોનલ ગઢવી રામે પોતાની સફરના સંસ્મરણો શેર કરતા જણાવ્યું કે “અદાણી સોલારમાં કામ કરવાથી મને મારા પેશનને અનુસરવાની તક મળી છે. આજે હું આત્મનિર્ભર છું અને મારા પરિવારને ટેકો આપું છું, તે મારા માટે એક સ્વપ્ન સાકાર થવા સમાન છે. પહેલાં દીકરીઓ માટે સલામત પરિવહનના અભાવે નોકરી માટે બહાર નીકળવું મુશ્કેલ હતું. પરંતુ હવે અદાણી સોલારની સુરક્ષા સહિતની વિશ્વસનીય સુવિધાઓ સાથે હું દરરોજ આત્મવિશ્વાસ સાથે કામ પર જાઉં છું. આ યાત્રા ખરેખર સશક્તિકરણ આપનારી રહી છે.”

અદાણી ફાઉન્ડેશને સમર્પિત પહેલ દ્વારા, દેશભરમાં બે મિલિયનથી વધુ દીકરીઓ અને મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે.