શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓને થયેલા હુમલા પછી સુરક્ષા દળોએ કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરી દીધું છે. આ હુમલામાં ઓછામાં ઓછા 27 લોકોનાં મોત થયાં છે. સર્ચ ઓપરેશનમાં ઉધમપુરનાં જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં એક જવાન શહીદ થયો હતો. હાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
ડૂડુ બસંતગઢનાં ઘણાં જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ રહી છે. ભારતીય સેનાના જણાવ્યા મુજબ આ જંગલ વિસ્તારમાં ભારતીય સેનાની 9મી અને 16મી કોરની ટુકડી સરહદ પર સ્થિત છે અને કુદરતી ગુફાઓ તેમજ આતંકવાદીઓ માટે છુપાવાની જગ્યાથી ભરેલી છે. પ્રાથમિક માહિતી અનુસાર બે આતંકવાદીઓ જોવા મળ્યા હતા, જેમણે જવાનો પર ગોળીબાર કર્યો. ભારતીય સેના, પેરા અને જમ્મુ કાશ્મીર પોલીસે જવાબી કાર્યવાહી કરી અને ગોળીબાર કર્યો હતો. આ પહાડી વિસ્તાર ઉધમપુરના સામાન્ય વિસ્તારમાં આવે છે.
સેનાએ શું જણાવ્યું?
ભારતીય સેના દ્વારા આ ઓપરેશનને “ઓપરેશન બિરલીગલી” નામ આપવામાં આવ્યું છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સના એક્સ હેન્ડલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિશિષ્ટ ગુપ્ત માહિતીને આધારે આજે બસંતગઢ, ઉધમપુરમાં જમ્મુ કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આતંકવાદીઓ પર ભારે ગોળીબાર શરૂ થયો. પ્રારંભિક અથડામણમાં આપણા એક વીર જવાનને ગંભીર ઇજાઓ થઈ અને શ્રેષ્ઠ તબીબી પ્રયત્નો છતાં તેનું મોત થયું છે. ઓપરેશન હજી ચાલુ છે.
#OpBirliGali
Based on specific intelligence, a joint operation with @JmuKmrPolice was launched today in #Basantgarh, #Udhampur.
Contact was established and a fierce firefight ensued.One of our #Bravehearts sustained grievous injuries in the initial exchange and later succumbed… pic.twitter.com/eojsj5PPuU
— White Knight Corps (@Whiteknight_IA) April 24, 2025
ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ અંગેની પહેલી માહિતી સવારે નવ વાગ્યા આસપાસ આવી હતી. ત્યારબાદથી એન્કાઉન્ટર ચાલુ છે. ગોળીબાર બંધ થયા પછી જંગલની તલાશી લેવામાં આવશે ત્યારે જ આતંકવાદીઓના મૃત્યુની પુષ્ટિ થઈ શકશે. હજી સુધી આ સ્પષ્ટ થયું નથી કે કેટલાં આતંકવાદીઓ અથડામણમાં માર્યા ગયા છે કે ઘાયલ થયા છે.
