ઇન્ડોનેશિયામાં એક જહાજમાં ભીષણ આગ લાગી. આગ લાગ્યા બાદ જહાજમાં અરાજકતા ફેલાઈ ગઈ અને લોકો પોતાને બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા. આ ઘટના ઉત્તર સુલાવેસીના તાલિસે ટાપુ નજીક કેએમ બાર્સેલોના વીએની હોવાનું જાણવા મળી રહ્યું છે.
🚨🇮🇩 Passengers DIVE INTO THE OCEAN as a ferry goes up in flames off the coast of Indonesia
इंडोनेशिया के तालिस द्वीप के पास 280 यात्रियों को ले जा रहे जहाज में आग लग गई।
A ship carrying 280 passengers caught fire near Talise Island. pic.twitter.com/sjutbsjDHN
— Sputnik India (@Sputnik_India) July 20, 2025
એવું કહેવામાં આવી રહ્યું છે કે જહાજમાં 280 થી વધુ લોકો હતા. ભારે આગને કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા. બાળકો પણ જહાજમાં હતા. કેટલાક લોકો આગથી બચવા માટે સમુદ્રમાં કૂદી પડતા જોઈ શકાય છે. ઘટના બાદ સમુદ્રમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. મોટા પાયે સમુદ્રમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
શોધ અને બચાવ કાર્યાલયના વડા જ્યોર્જ લીઓ મર્સી રાન્ડાંગે માહિતી આપી હતી કે આ ઘટના ઉત્તર મિનાહાસાના તાલિસે પાણી પાસે બની હતી. ટીમ ફસાયેલા લોકોને બચાવવા અને બહાર કાઢવાનું કામ કરી રહી છે. શોધ અને બચાવ જહાજો તેમજ માછીમારોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. નજીકના જહાજોએ પણ મદદ કરી છે.
