રામ મંદિર, CM યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર 2ની ધરપકડ

લખનૌ. થોડા દિવસો પહેલા ભારતીય કિસાન મંચ અને ભારતીય ગૌ સેવા પરિષદના પ્રમુખ દેવેન્દ્ર તિવારીને અયોધ્યાના શ્રી રામ મંદિર, સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફ અમિતાભ યશને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો એજન્ટ છે. આ પછી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ એક્શનમાં આવી. આ કેસમાં STFએ બે આરોપીઓની ધરપકડ કરી છે.

STF અનુસાર, ભારતીય કિસાન મંચ અને ભારતીય ગૌ સેવા પરિષદના અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીએ પોતે આ ષડયંત્ર રચ્યું હતું. દેવેન્દ્ર તિવારીએ સુરક્ષા મેળવવા અને મોટો નેતા બનવા માટે પોતાના જ કર્મચારીઓ પાસેથી ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા. આ કેસમાં STFએ બે આરોપી તહર સિંહ અને ઓમ પ્રકાશ મિશ્રાની ધરપકડ કરી છે. તેમજ મુખ્ય સૂત્રધાર દેવેન્દ્ર તિવારીની શોધખોળ ચાલુ છે.