અમદાવાદઃ રાજ્યમાં અસમાજિક તત્ત્વોનો આંતક વધી રહ્યો છે. શહેરમાં પણ અસામાજિક તત્ત્વોએ વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો હતો. આ કેસમાં રામોલ પોલીસે વસ્ત્રાલમાં ધમાલ કરનારાં 17 અમાસાજિક તત્ત્વોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં કરેલી ધમાલના વિડિયો પણ સોશિયલ મિડિયામાં વાઇરલ થયા હતા ત્યાર બાદ પોલીસે ટેક્નોલોજીની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોનું ટોળું ધસી આવ્યું હતું અને ઉત્પાત મચાવ્યો હતો. રામોલમાં બે જૂથોના લોકો વચ્ચે ભારે તકરાર થઈ હતી. આ માથાકૂટ થતાં જાહેર રોડ પર અસામાજિક તત્ત્વોએ ગાડીઓના કાચ પણ તોડ્યા હતા અને લોકોને પણ ભયભીત કર્યાં હતા. અસમાજિક તત્વોની માથાકૂટ ઘટનાની જાણ થતાંની સાથે જ રામોલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જોકે કોઈ અંગત અદાવતના કારણે આ બે જૂથ વચ્ચેની બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ તત્વોએ લાકડી અને તીક્ષ્ણ હથિયારોથી રસ્તાને બાનમાં લઈ લેતાં સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસને આ બાબતની જાણ થતાંની સાથે જ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે અસમાજિક તત્ત્વોને દબોચવા માટે તેમનું પગેરું મેળવવા પોલીસ ટેક્નોલોજીની મદદ લીધી હતી. પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ બાદ કુલ 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પંકજ ગોવિંદ ચૌહાણ, અન્ય એક આરોપી વોન્ટેડ છે તેને શોધવા માટે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
