વેસ્ટર્ન નેવલ કમાન્ડ ખાતે અલ્ટ્રાવાયોલેટ જંતુનાશક સુવિધા…

ભયાનક એવા કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે ભારતીય નૌકાદળના મુંબઈ સ્થિત પશ્ચિમી કમાન્ડ ખાતે અલ્ટ્રાવાયોલેટ જંતુમુક્ત સુવિધા ડેવલપ કરવામાં આવી છે. નૌકાદળની આ ગોદી (નેવલ ડોકયાર્ડ)માં પ્રવેશ વખતે સુરક્ષાનો કડક ઉપાય કરવામાં આવ્યો છે. જેમાં અતિસ્વચ્છ (અલ્ટ્રાવાયોલેટ) સેનિટાઈઝર યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે લોકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવશે ત્યારે પણ કેટલોક સમય સુધી કોરોના-વિરોધી સુરક્ષા નિયમોનું પાલન કરવું પડશે. નેવલ ડોકયાર્ડ ખાતે UV સેનિટાઈઝેશન Bay બનાવવામાં આવ્યું છે, જેનો ઉપયોગ સાધનસામગ્રી, વસ્ત્રો તથા અન્ય ચીજવસ્તુઓને જંતુમુક્ત કરવા માટે કરી શકાશે. એક મોટા રૂમને યુવી-Bayમાં પરિવર્તિત કરવું પડે. UV-C લાઈટિંગ માટે એલ્યુમિનિયમ શીટ્સ ઈલેક્ટ્રિકલ એરેન્જમેન્ટ કરવામાં આવે છે.