રથયાત્રાના સ્વાગત માટે સરસપુર તૈયાર

અમદાવાદઃ અષાઢ સુદ બીજના દિવસે જગન્નાથ મંદિર, જમાલપુરથી નીકળનાર રથયાત્રા સરસપુર મોસાળમાં રોકાણ કરે છે. ભગવાન જગન્નાથ સાથે સૌ ભક્તો સરસપુરમાં વિશ્રામ કરે છે. ભગવાનના મોસાળ તરીકે જાણિતા સરસપુરમાં ભક્તજનો-શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદ અને વિરામની વ્યવસ્થા કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં ભોજન, ભજન-કિર્તન કરતાં શ્રધ્ધાળુઓ માટેમહંત લક્ષ્મણદાસ ગુરુ વાસુદેવજી, રણછોડજી મંદિર, ભલાભગતની જગ્યા દ્વારા ઉત્કૃષ્ઠ વ્યવસ્થા કરવામાં આવે છે. સરસપુરમાં આવતા નગરજનો, મહેમાનો માટે રથયાત્રાના પર્વ નિમિત્તે કરાનારી વ્યવસ્થા-સગવડો અને પૌરાણિક મહત્વ વિષય પર મહંત લક્ષ્મણદાસ ગુરુ વાસુદેવદાસજીએ મીડિયાને માહિતી આપી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)