રાજકોટઃ રાજાશાહી ઠાઠથી ઠાકોરસાહેબની નગરયાત્રા

રાજકોટઃ ઠાકોર સાહેબ માંધાતા સિંહજીના રાજ્યાભિષેકનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. વૈદિક પરંપરા અને વેદના શ્લોક સાથે ઠાકોર સાહેબનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત આજે ઠાકોર સાહેબની નગરયાત્રા નિકળી હતી જેમાં અનેક વિન્ટેજ કાર અને ઘોડા જોડાયા હતા.