રાહુલે કેરળના મંદિરમાં પૂજા કરી…

કેરળ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર માટે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 4 એપ્રિલ, રવિવારે વાયનાડ શહેરના તિરુનેલ્લી મંદિરમાં જઈને પૂજા કરી હતી. કેરળમાં 140 વિધાનસભ્યોને ચૂંટી કાઢવા 15મી વિધાનસભા ચૂંટણી માટે આવતી 6 એપ્રિલે મતદાન યોજાવાનું છે. ચૂંટણીનું પરિણામ 2 મેએ જાહેર કરાશે. (તસવીર સૌજન્યઃ કોંગ્રેસ ટ્વિટર @INCIndia)