ડોક્ટરોએ કોરોના-દર્દીઓને અંતાક્ષરી રમાડી

અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોરોનાવાઈરસના દર્દીઓમાં સકારાત્મક્તા વધારી, જિંદગી પ્રત્યેનો એમનો ઉત્સાહ વધારવા માટે ડોક્ટરોએ એમને ‘કરાઓકે’ ઉપર અંતાક્ષરી રમાડી હતી. દર્દીઓએ પણ ઉત્સાહ બતાવીને ગીતો ગાઈને વાતાવરણને હળવું બનાવવામાં સહકાર આપ્યો હતો.