કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટી દ્વારા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના સમર્થન માટે 5 જાન્યુઆરી, રવિવારે 'જન જાગરણ અભિયાન' નામે જનજાગૃતિ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત કેન્દ્રીય પ્રધાનોએ જુદા જુદા શહેરોમાં જઈને આ કાયદા વિશે લોકોને માહિતગાર કર્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લખનઉમાં
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગોરખપુરમાં
કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ ધાર્મિક અત્યાચારનો ભોગ બનેલા હિન્દુ દંપતીની નવજાત પુત્રીને હાથમાં લઈને રમાડે છે. આ બાળકીનાં દિલ્હીમાં રહેતા માતાપિતાએ એનું નામ 'નાગરિકતા' પાડ્યું છે, કારણકે એનો જન્મ સંસદમાં નાગરિકતા સુધારિત ખરડો પાસ થઈને કાયદો બન્યો હતો એ દિવસે થયો હતો.