આંતરાષ્ટ્રીય પતંગોત્સવ 2020

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી એટલે કે 7 જાન્યુઆરીથી પતંગોત્સવ 2020નો પ્રારંભ થઈ ગયો છે છે. આ મહોત્સવ આગમી 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય  પ્રધાન  વિજય રુપાણી, મંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં પતંગોત્સવનો વિધિવત પ્રારંભ થયો હતો.

અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં વૈદિક પ્રાર્થના સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ  શાળાના બાળકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. આ સાથે દેશ વિદેશના પતંગબાજોની નિદર્શન પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ભજવવામાં આવ્યો હતો.

પવનની ધીમી ગતીને કારણે વિશાળ પતંગો હવામાં ઉડાડતાપતંગબાજોને તકલીફ થઇ રહી હતી.

મુખ્ય પ્રધાન અને રાજ્યપાલે પણ પતંગબાજો વચ્ચે ગયા હતા તેમજ થીમ પેવલિયનની મુલાકાત લીધી હતી.

દેશી અને વિદેશી પતંગબાજો વિવિધ આકારની રંગબેરંગી પતંગો સાથે આકાશને ભરી દેવા તૈયાર છે… પણ..હાલ  વિશાળ પતંગોને અનુરુપ હવાની રાહ જોવાઇ રહી છે.

કાઇટિસ્ટના સ્ટોલ્સ પર વેલકમ 2020, સ્વચ્છતા અભિયાન સહિત અનેક વિવિધતા વાળા પતંગો જોવા મળી રહ્યા છે.

મહોત્સવના પહેલા જ દિવસે પતંગ રસીયાઓની ભીડ જોવા મળી હતી. ઉપરાંત વિદેશી પ્રવાસીઓ પણ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવના પહેલા દિવસે અલગ-અલગ પતંગો તેમજ એક્ટિવીટી જોવા મળી હતી.

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)