કોરોના વાયરસ સામે ભારતમાં સતર્કતા…

ચીનમાં ખતરનાક કોરોના વાયરસ ફેલાયો છે અને એને કારણે અત્યાર સુધીમાં 80 જેટલા લોકો માર્યા ગયા છે અને બીજાં સેંકડો બીમાર પડી ગયા છે. ભારત સહિત દુનિયાના તમામ દેશો સાવચેત થઈ ગયા છે અને ચીનમાંથી પોતપોતાને ત્યાં આવતા લોકોની ખૂબ ચોક્સાઈભરી મેડિકલ તપાસ કરે છે. ચીનથી એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી પટના આવી પહોંચ્યાં બાદ એમને ચેકઅપ માટે જયપ્રકાશ નારાયણ ઈન્ટરનેશનલ એરપોર્ટથી પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ઉપરની તસવીરમાં વિદ્યાર્થિની (ડાબે) એની માતા સાથે એમ્બ્યુલન્સમાં બેઠી છે.




હૈદરાબાદની એક હોસ્પિટલમાં કોરોનાવાયરસના શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડની બહાર સ્ટાફનાં સભ્યો


નવી દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં ડોક્ટરોની સજ્જતા