અમદાવાદ શહેરના અત્યંત સંવેદશનશીલ તેમજ ઝડપથી વિકાસ પામી રહેલા ન્યુ રાણીપ, ચેનપુર, જી.એસ.ટી. ક્રોસિંગ વિસ્તારોના લોકો ઓવરબ્રિજ ચાલુ થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 16 જૂન, શનિવારે સાંજે બ્રિજના લોકાર્પણ બાદ જીએસટી ક્રોસિંગ ચાલુ રાખવાના મુદ્દે ભારે હંગામો થયો હતો. ઓવરબ્રિજ ચાલુ થયા બાદ આ વિસ્તારમાં રહેતા કેટલાક રહિશો ક્રોસિંગ પાસેનો માર્ગ પણ ખુલ્લો રહે એવું ઈચ્છે છે. ક્રોસિંગ ખુલ્લા રાખવા મામલે લોકોનો આક્રોશ વધતા પોલીસે સલામતીનો બંદોબસ્ત વધારી દીધો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)