કંગનાએ રામેશ્વરમ મંદિરમાં દર્શન કર્યા…

બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે પ્રસિદ્ધ યાત્રાધામ રામેશ્વરમ જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી અને ભગવાન રામે લંકાના રાક્ષસ રાજા રાવણનો વધ કર્યા બાદ ભારત ભૂમિ પર પરત ફરીને જે સ્થળે શિવલિંગ બનાવીને પૂજા કરી હતી ત્યાં બનાવવામાં આવેલા મંદિરમાં જઈને દર્શન અને પૂજા-અર્ચના કર્યાં હતાં. રામેશ્વરમમાં જ કંગનાએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામની યાદમાં સ્થાપવામાં આવેલા સ્મારકની પણ મુલાકાત લીધી હતી. કલામનો જન્મ રામેશ્વરમમાં થયો હતો. કંગનાએ તેની આ મુલાકાતની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.