![]() પડશે એવા દેવાશે |
સમય પ્રમાણે વર્તન કરવાની વાત અહીંયાં કરવામાં આવી છે. કોઈ એવી પરિસ્થિતીનું નિર્માણ થવાનું હોય કે જે વિશે અંદાજ ન હોય. વિવિધ શક્યતાઓ ધ્યાનમાં રાખીને તૈયારી કરી શકાય પણ છેવટે તો જે પ્રમાણે પરિસ્થિતીનું નિર્માણ થશે તે પ્રમાણે વર્તન કરીને પરિસ્થિતીને પહોંચી વળીશું એવો આત્મવિશ્વાસ મનમાં લઈને ચાલવુ પડે.
કહેવત ‘પડશે એવા દેવાશે’ આવનાર પરિસ્થિતી ગમે તેટલી વિકટ હોય તો પણ યોગ્ય પ્રતિકાર થકી એના ઉપર કાબૂ મેળવી શકાશે તે પ્રકારનો આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
