ગૂમડું ફૂટ્યું કે વૈદ વેરી

 

ગૂમડું ફૂટ્યું કે વૈદ વેરી

માણસને ગૂમડું થાય અને જ્યાં સુધી એ પાકીને ફૂટી ના જાય ત્યાં સુધી લબકારા માટે અને અસહ્ય પીડા થાય. પણ જેવું ગૂમડું ફાટે અથવા વેરાઈ જાય એટલે એ પીડા ધીરે ધીરે સમી જાય.

આ પીડા જ્યારે ચરમસીમાએ હોય ત્યારે વૈદ વ્હાલો લાગે. એ વખતે એ જે કાંઇ કરતો હોય એનો મોટો ઉપકાર ચઢે છે એવું વૈદને પણ કહેવાઈ જાય.

જેવું કામ પત્યું એટલે વૈદને (ડોક્ટરને) એની ફી આપવી પડે. અને એ સમયે એકાએક વૈદ દુશ્મન બની જાય.

આમ ગરજ હોય ત્યાં સુધી કોઈના ગુણગાન ગાવા અને જેવી ગરજ મટી કે એના જ સામે મોરચો માંડવો એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)