કુંવારી કન્યાને કોઠી ભર્યાં નાળિયેર

 

કુંવારી કન્યાને કોઠી ભર્યાં નાળિયેર

જ્યારે એક પક્ષે નિર્ણય લેવાની અમર્યાદ શક્યતાઓ અથવા ક્ષમતા હોય, એ નિર્ણય આડે કોઈ બંધનો ના હોય ત્યારે આ અમર્યાદ શક્યતાઓને દર્શાવતી આ કહેવત ‘કુંવારી કન્યાને કોઠી ભર્યાં નાળિયેર’ વપરાય છે.

જ્યારે કન્યા કોઇની વાગ્દત્તા ન બની હોય અને કુંવારી હોય ત્યારે સ્વાભાવિક રીતે એને માટે અનેક જગ્યાએથી માગાં આવે. આ માગાં એટલે જુદા જુદા લગ્નોત્સુક મૂરતિયાઓ એટલે જ્યાં સુધી કન્યા કુંવારી છે ત્યાં સુધી જો એ સુશીલ અને ગુણિયલ છે તો માગાં આવવાના જ.

આમેય ઇ.સ. 2011ની સ્થિતિએ ભારતમાં 1000 પુરુષો સામે માત્ર 943 સ્ત્રીઓ જ છે. એટલે છોકરીઓની અછત છે ત્યારે તો આ પરિસ્થિતી વિશેષ ઊભી થાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)