Monday, August 11, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના 7579 નવા કેસ, 236નાં મોત

કોરોનાના 7579 નવા કેસ, 236નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7579 નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા 543 દિવસોમાં સૌથી ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 236 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,45,26,480 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,6,147 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,39,46,749 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 12,202 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,13,584એ પહોંચી છે, જે છેલ્લા 536 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.32 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 9,64,980 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 62.46 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 117.73 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,17,63,73,499 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 71,92,154 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

,

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular