Thursday, June 5, 2025
Google search engine
HomeNewsNationalઆવતીકાલે વધુ 119 ભારતીય USથી ડિપોર્ટ થશે, 8 ગુજરાતી સામેલ

આવતીકાલે વધુ 119 ભારતીય USથી ડિપોર્ટ થશે, 8 ગુજરાતી સામેલ

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણ ખોરી કરનારા પર ટ્રમ્પની સરકારી લગામ કસી દીધી છે. આ અગાઉ એક ફ્લાઈટ અમેરિકાથી અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 33 ગુજરાતી સહિત 104 લોકોને ડિપોર્ટ કરાયા હતા. હવે ફરી અમેરિકાથી બે ફ્લાયટ ફરી ભારતીયો ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. પહેલી ફ્લાઈટ 15 ફેબ્રુઆરી તો બીજી ફ્લાઈટ 16 ફેબ્રુઆરીના પહોંચશે. શનિવારે આવતી ફ્લાઇટમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થયો છે. ફ્લાઇટ્સ 15 અને 16 ફેબ્રુઆરીના રોજ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. મળતી માહિતી પ્રમાણે, અમેરિકાએ વધુ 119 ભારતીયોને દેશનિકાલ કર્યા છે. આમાંથી મોટાભાગના પંજાબના હોવાનું કહેવાય છે. અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા 119 લોકોમાંથી 67 લોકો પંજાબના, હરિયાણાના 33 અને ગુજરાતના 8 નાગરિકોનો સમાવેશ થાય છે.

16 ફેબ્રુઆરીએ અમેરિકાથી ભારત આવતી ફ્લાઇટ પણ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. સ્થાનિક વહીવટીતંત્ર અને એરપોર્ટ ઓથોરિટીએ આ ખાસ વિમાનો માટે વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. આ અંગેની લેખિત માહિતી વિદેશ મંત્રાલય દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવી છે. આ પહેલા 5 ફેબ્રુઆરીએ એક યુએસ લશ્કરી વિમાન 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચ્યું હતું. આ વિમાનમાં કુલ 104 ભારતીયો હતા, જેમાં 79 પુરુષો અને 25 મહિલાઓ હતી. આ ભારતીયોમાંથી 33 ગુજરાતના હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા.

અમેરિકાના પ્રવાસે રહેલા પીએમ મોદીએ કહ્યું કે ભારત અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા તેમના નાગરિકોને સ્વીકારશે. વડાપ્રધાન મોદીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ફક્ત ભારતનો મુદ્દો નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે. જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, જો કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા પુષ્ટિ થાય છે અને તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે, તો ભારત તેમને પાછા લેવા તૈયાર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular