‘પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’

‘અર્જુન વિષાદયોગ’માં પોતાની લાગણી વ્યક્ત કરતા અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે,

કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ રાજ્યં સુખાનિ

કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા (૩૨)

મારા સ્વજનોને હણીને કોઈ વિજય મને ખપતો નથી, રાજ્ય મને ખપતું નથી, ભોગ મને ખપતાં નથી, કારણ કે જો સ્વજનો ના હોય તો આ બધાનો મતલબ શું છે? જીવનમાં એ સ્વપ્નાઓનું કોઈ મહત્વ નથી કે જેને પૂરાં કરવા માટે આપણાં પોતાનાંઓથી જ કપટ કરવું પડે અથવા તેમનો વિશ્વાસઘાત કરવો પડે. કુટુંબ હોય, ભાગીદારી હોય, ધંધો હોય, નોકરી હોય – આ બધામાં તમારા પર જેણે વિશ્વાસ મૂક્યો હોય એની સાથે કપટ કરીને તમને સ્વર્ગ મળતું હોય તો પણ એનો આનંદ ટકશે નહીં. કરશો એવું પામશો.

અર્જુનની આ વાતમાં તથ્ય છે. જોકે, સંદર્ભ જુદો છે એટલે આગળ જતાં ભગવાન શ્રીકૃષ્ણ એને નિષ્કામ કર્મયોગનો બોધ કરે છે અને આદેશ આપે છે કે, ‘પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)