એક વખતના રાજમાર્ગ પર આવેલો અડીખમ દરવાજો

અમદાવાદ શહેરની મધ્યમાં આવેલો આ દરવાજો એટલે દિલ્લી દરવાજો. શહેરનું સૌથી જૂનું, સૌથી મોટું એવું ઐતિહાસિક સ્થાપત્ય. સુલતાન અહમદ શાહે 15મી સદીમાં આ દરવાજાો બનાવ્યો ત્યારે એ શહેરની સુરક્ષા વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ હતો. એનો મૂળ હેતુ ઉત્તર દિશામાંથી, ખાસ કરીને દિલ્હી તરફથી આવતા માર્ગ પર નિયંત્રણ રાખવા માટેનો હતો.

એની મજબૂત ઇસ્લામિક-ગુજરાતી સ્થાપત્ય શૈલી અને એની વિશાળ કમાનો હેરિટેજ સિટી અમદાવાદની ઓળખ છે. પંદરમી સદીની આ ઐતિહાસિક ધરોહર મજબૂત પથ્થર રચના, વિશાળ કમાનો, ખૂણા અને ઉપર છતવાળું મંચ ધરાવે છે. આ દરવાજો નગર સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ ચેકપોસ્ટ, શતાબ્દીઓના ઇતિહાસનો સાક્ષી અને સુલતાન વખતનું શક્તિનું પ્રતીક છે. એક વખતનો આ રાજ માર્ગનો સમાવેશ આજે જૂના અમદાવાદના વ્યસ્ત બજાર વિસ્તારમાં થાય છે. દિલ્લી દરવાજો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)