પોતાની સાથે પ્રમાણિક અને સરળ રહો

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયાઓ ની વાત કરીએ છીએ, ત્યારે તે વસ્તુઓ, જેના વિષે આપણે કંઈ જ જાણતા નથી તેના વિષે તારણો અથવા નિષ્કર્ષો બાંધવા ની વાત નથી કરતા. જો તમારા માં આટલું જોવાની પ્રમાણિકતા છે કે, “જે હૂં જાણું છુ, હૂં જાણું છું. જે હૂં નથી જાણતો, હૂં નથી જાણતો,” તો તમે પહેલેથી જ એક મુમુક્ષુ છો. આધ્યાત્મિકતાનું મૂળભુત પાસું આ છે “મારું મગજ કઈ ફરેલું નથી કે હૂં કલ્પનાઓ માં રાચું. હૂં તૈયાર છું એ સ્વીકારવા માટે કે હૂં શું જાણું છું અને નથી જાણતો. એક વાર તમે આ જોઇલો, તો મનુષ્યની બુદ્ધિનો સ્વભાવ જ એવો છે કે તે “હૂં નથી જાણતો” સાથે રહી ના શકે. તે જાણવા માંગશે. એક વાર જાણવાની ઈચ્છા થાય, તો શોધ શરૂ થશે. એક વાર શોધ શરૂ થઇ, તો એનો માર્ગ પણ મળશે. એટલા માટે, તમે જ્યારે આધ્યાત્મિક માર્ગ પર ચાલો છો તો અમે તમને ખોજી/જિજ્ઞાસુ કહીએ છીએ.

પણ અત્યારે, એવું લાગે છે કે જાણે આખી દુનિયા આ સરળ “હૂં નથી જાણતો” ની વિરૃદ્ધ છે. આપણે જે કંઈ પણ નથી જાણતા તે આપણે માની લઇએ છીએ. તમે તમારું નામ બોલતા શીખો તે પેહલા તો, ભગવાન કોણ છે? તેમનાંપત્ની કોણ છે? તેમનાં કેટલા સંતાનો છે? તેમનું સરનામું શુ છે? તેમની જન્મતારીખ? એમને શું ગમે છે? એમને શું નથી ગમતું? – આવું બીજું ઘણું બધું જાણો છો. તમને આવા બેવકૂફીભર્યા સૂચનો અને જવાબો આપવાને બદલે, જો તમારા માતાપિતા અને સમાજે “મને ખબર નથી” નું પોષણ કર્યું હોત – કે વાસ્તવ તમે કશું જ જાણતા નથી – તમે ક્યાં થી આવ્યા છો, તમે ક્યાં જશો, તમે આ બંને વસ્તુ નથી જાણતા. તો પછી દરેક મનુષ્ય આ દુનિયા માં રહસ્યવાદી બની ગયો હોત કારણકે માણસની બુદ્ધિ ફક્ત ખાવું, પીવું અને સારી રીતે જીવવાથી સંતોષ પામતી નથી. સ્વાભાવિક રીતે તેને જાણવાની ઈચ્છા હોય છે. અમુક લોકો માને છે કે આ એક સમસ્યા છે, પણ આ એક સંભાવના પણ હોઈ શકે છે. તમે એને આ રીતે અથવા તે રીતે જોઈ શકો છો. અમુક લોકો એમ વિચારે છે કે આ એક મોટી સમસ્યા છે પણ આ એક મોટી સંભાવના પણ છે.

“હું જાણતો નથી” એ પૂરેપૂરું નષ્ટ થઇ ચૂક્યું છે, કારણકે તમે જીવન ના મૂળભૂત પાંસાઓ વિષે તમારે પાસે જે રેડીમેડ.. તૈયાર જવાબો છે તેમનો વિશ્વાસ કરો છો.  એક વખત તમે તે માની લો, જે તમને નથી જાણતા કારણકે તમારી પુસ્તક માં લખેલું છે અથવા કોઈક એવું  કહે છે – બધા પુસ્તકો અને ભૂતકાળ ના મહાપુરુષો પ્રત્યે પૂર્ણ આદર સાથે કહું છું – તમે જાણવા ની બધી શક્યતાઓ નો નાશ કરો છો. દાખલા તરીકે,  હું તમને કંઈક કહું છુ જે તમે નથી જાણતા અને જે તમારા અનુભવ માં નથી, હવે તમારી પાસે ફક્ત બેજ વિકલ્પ છે તમે મને માનો અથવા મને નકારી દો. જો તમે મારી વાત માની લો છો તો તમે વાસ્તવીકતાની વધુ નજીક નથી જતાં. જો તમે મને નથી માનતા તો પણ તમે વાસ્તવિકતાની વધુ નજીક નથી જવાના. જો તમને કંઇક જાણવું  હોય તો તમારે વાસ્તવિકતાના સંપર્ક માં રહેવું પડે. નહીંતર તમે ક્યાંય નહિ પહોંચી શકો. અને તમે માત્ર એવા વહેમ માં રહેશો કે તમે બધું જાણો છો.

આજે વિશ્વમાં પૂરતી બુદ્ધિમત્તા છે લોકોની જાગરૂકતાને એક ચોક્કસ સ્તર સુધી વિકસાવવા માટે જેથી તેઓ જોઈ શકે: જે તેઓ જાણે છે, તેઓ જાણે છે અને જે તેઓ નથી જાણતા, તેઓ તે નથી જાણતા. આ હોવાનો એક સરળ માર્ગ છે. જો તમે દુનિયામાં કોઈની સાથે પ્રમાણિક નથી હોઈ શકતા, તો આ એક સામાજિક સમસ્યા છે – એ તમારે જોવાનું છે. પણ જો તમે આધ્યાત્મિક વિકાસ કરવા માંગો છો, તો તમે ઓછા માં ઓછુ આ એક પગલું ભરો તમારા જીવન માં: પોતાની સાથે સંપૂર્ણપણે પ્રમાણિક બનો.

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)