દિલ્હી રજોરી ગાર્ડન સેવાકેન્દ્રમાં મારી મુલાકાત પિતાશ્રી બ્રહ્મા સાથે થઈ. બ્રહ્માબાબાએ મને પ્રેમથી ગળે મળી આવકાર્યો. તે સમયે મને એવી અનુભૂતિ થઈ કે ઘણા સમયથી છૂટા પડેલ સ્નેહી ભાઈએ મને સ્નેહ આપેલ છે. વિદ્યાલયની પહેલી હિન્દી પત્રિકા તે સમયે પ્રકાશિત થઈ હતી. પત્રિકાના લેખોની ગુહ્યતા તથા સ્પષ્ટતાથી હું ખૂબ પ્રભાવિત હતો. જગદીશભાઈ દ્વારા લખાયેલ સાચી ગીતાનું વાંચન કરી ચૂક્યો હતો. બંને પુસ્તકોએ મને ખૂબ પ્રેરણાઓ આપી હતી. આથી હું તેમનો પ્રશંશક તો હતો જ. છતાં તેમને રૂબરૂ મળવાથી મારી ખુશી વધી ગઈ.
1962માં બાબાએ સાહિત્યની સેવા માટે મને લેખક જગદીશભાઈ પાસે મોકલ્યો. તે સમયે બે વર્ષ સુધી તેમની સાથે રહી વિવિધ પ્રકારની ઈશ્વરીય સેવાઓના અનુભવ પ્રાપ્ત કર્યા તથા મેં તેમના ત્યાગી જીવન તથા ધારણાઓથી ખૂબ પ્રેરણાઓ પ્રાપ્ત કરી.
કોઈપણ વ્યક્તિ સાથે કાર્યક્ષેત્રમાં રહીને તેમના જીવનમાં પિતાશ્રી બ્રહ્માબાબાની શ્રીમત દરેક પળે પળે સાકાર થતી જોઈને આપણા મન ઉપર તેનો ખૂબ ઊંડો પ્રભાવ પડે છે. જગદીશભાઈના જીવનમાં આવી વિશેષતાઓની લાંબી કડી છે. તેઓ તેઓ મહાન જ્ઞાની, મહાન યોગી, મહાન લેખક તથા મહાન પ્રવક્તા હતા. તેમના લેખો દ્વારા જ્ઞાનના ખૂબ ઊંડા રહસ્ય પ્રગટ થયા. જે દ્વારા જિજ્ઞાસુ વ્યક્તિ પણ પરમાત્મા પિતા તરફ આકર્ષિત થઈ જતી હતી. ઘણીવાર તો નામાંકિત વ્યક્તિઓ તેમને મળતા હતા અને ઈશ્વરીય જ્ઞાનની ચર્ચામાં તેમના આત્મિક ગુણોથી પ્રભાવિત થઈને કહી દેતા હતા કે અમે આપનામાં સાક્ષાત ઈશ્વરને જોઈ રહ્યા છીએ.
મારું જ્યારે પણ તેમને મળવાનું થતું હતું ત્યારે જ્ઞાન ચર્ચા જરૂર થતી હતી. એકવાર તેઓએ કહ્યું કે એકાગ્રતા કોને કહેવાય? પછી પોતજ સ્પષ્ટ કર્યું કે કોઈપણ જ્ઞાનની પોઇન્ટ ઉપર નિરંતર ચિંતન કરવું તેને જ એકાગ્રતા કહેવાય. જો તેમાં વચ્ચે વચ્ચે વચ્ચે બીજી કોઈ અન્ય વાત આવી જાય તો તેને કાઢી નાખો. તેઓ એ પણ કહેતા કે જો તમને યોગમાં વિશિષ્ટ અનુભવ થાય અને કોઈ વચ્ચે ખલેલ પાડે, તો તમે તમારા અનુભવોમાં આનંદની સ્થિતિમાં મગન રહો, સામાન્ય કે સાધારણ સ્થિતિમાં ન આવો. માત્ર તેમની પાસે બેસવાથી જ ઊંચી યોગની સ્થિતિનો અનુભવ થતો હતો. તેઓ સ્વાભાવિક રીતે આત્મસ્મૃતિ તથા પરમાત્મ સ્મૃતિની સ્થિતિમાં રહેતા હતા.
શરૂઆતમાં તેઓ દિલ્હીમાં અનેક સ્થાનોની જાણકારી માટે મને સાથે લઈને જતા હતા. તથા કહેતા હતા કે અહીં છપાઈ થાય છે, અહીં બ્લોક બને છે. મોટે ભાગે ચાલતા જ જવાનું થતું હતું. તે સમયે જગદીશભાઈનું ભરાવદાર ખડતલ શરીર હતું. તેઓ ચાલતા હતા અને મારે તેમની સાથે દોડવું પડતું હતું. દરેક કાર્ય તીવ્ર લગન તથા ઉમંગથી સંપન્ન કરતા તેઓએ ઈશ્વરીય જીવનના 50 વર્ષોમાં પોતાનું તન, મન, શ્વાસ, સંકલ્પ બધુંજ વિશ્વ સેવામાં અર્પણ કરી દીધું.
સંસાર રંગમંચ પર આવનાર દરેક પાર્ટધારીએ પોતાનો દેહ તો છોડવો જ પડે છે, એ સનાતન સત્ય છે.
દેહ છોડીને પણ મહામાનવ પોતાની સચ્ચાઈ, નિષ્ઠા, દૂરદ્રષ્ટિ, નિર્ભયતા, અડોલતા, સર્વ પ્રત્યે સાચો આત્મીય સ્નેહ, પવિત્રતા ત્યાગ વિગેરે ગુણોની સૂક્ષ્મ તસવીરને રંગમંચ પર છોડીને જાય છે. જે હંમેશા બીજા માટે પ્રેરણામૂર્તિ બની રહે છે. દ્રષ્ટિથી અદ્રશ્ય થવા છતાં પણ તે મનથી અદ્રશ્ય નથી થતા.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
