ઈશ્વરની અમૂલ્ય ભેટ સમાન બાળપણ આજે ખરાબ રસ્તે જઈ રહ્યું છે

આજના ભૌતિકતાથી ભરેલ આ યુગમાં વ્યસન પ્રધાન વાતાવરણના પ્રભાવમાં એવા બાળકો પણ છે કે જેઓ વધુ પૈસાની આશા એટલા માટે રાખે છે કે પોતાના મોજ મસ્તીના શોખ પૂરા કરી શકાય. વડીલો ટકોર કરે તો તેઓ કહે છે કે અમે જમા કરેલ પૈસા થી મોજ મજા કરીએ છીએ. આનું કારણ છે અશ્લીલ જાહેરાતો, નૈતિકતા વગરનો પહેરવેશ, મોબાઈલનો દૂર ઉપયોગ વિગેરે. આ બાબતો બાળકોના મનને ખરાબ અસર કરે છે. જે બાળપણને યાદ કરીને મોટી વ્યક્તિઓના રુવાટા ઉભા થઈ જાય છે, જેને ઈશ્વરની અમૂલ્ય ભેટ ગણવામાં આવે છે તે બાળપણ જ આજે ખરાબ રસ્તે જઈ રહ્યું છે. સરકારે બાળ કલ્યાણના અનેક કાર્યક્રમો બનાવ્યા છે. સામાજિક સંસ્થાઓ, મજુર સંગઠનો, મીડિયા વગેરે આ વિષય અંગે કાર્યરત છે. આ અંગે કોર્ટ કાર્યવાહીને પણ સરળ બનાવવામાં આવી છે. પરંતુ દરેક કાનુની મદદની પોતાની મર્યાદા હોય છે. બાળ મજૂરીની સમસ્યાનો સીધો સંબંધ મનુષ્યના ચરિત્ર નૈતિકતા, પવિત્રતા તથા આત્મ- નિયંત્રણ સાથે છે. જ્યાં સુધી મનુષ્ય પોતે ઈશ્વર સાથેનો પ્રેમ, કરુણા ભાવ, શ્રેષ્ઠ ચરિત્રવાન જીવન, ત્યાગ, તપસ્યા, નિ:સ્વાર્થ ભાવનાને નહીં અપનાવે ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવી શકે.

આ ભારત દેશનો એક સમય એવો પણ હતો કે જ્યારે અહીં દરેક બાળક રાધા અને મોહન સમાન અને દિવ્ય ગુણોથી સંપન્ન હતા. તે દુનિયામાં ન તો બાળ મજૂરી હતી, ન લડાઈ ઝગડા, ન માનસિક તણાવ, ન નાણાકીય તંગી કે ન તો બીમારીઓ હતી. સમયે બાળકો જન્મથી જ સતોપ્રધાન બુદ્ધિ વાળા હતા. તે સમયે અભ્યાસ રમત-રમતમાં થતો હતો. તે દૈવી બાળકોના માતા-પિતા પણ દૈવી હતા. તેઓ કર્મેન્દ્રિય જીત, પ્રકૃતિ જીત, માયા જીત દેવતા હતા. એ સમયે યોગબળથી જ એક છોકરો અને એક છોકરીનો જન્મ થતો હતો તથા પિતાની સંપૂર્ણ સંપત્તિ ભાગ પાડ્યા વગર એક એક જ વારસદાર ( છોકરા) ને મળી જતી હતી. પવિત્ર તથા યોગી જીવનની પદ્ધતિ અપનાવીને આજે પણ તે યુગનો અનુભવ કરી શકાય છે. પવિત્રતા તથા યોગબળની ધારણા માટેનું શિક્ષણ વિનામૂલ્યે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દરેકને આપી રહેલ છે. આજે યોગી તથા દૈવી ગુણ સંપન્ન બનીને આપણે આપણા બાળકોને ઉજવળ ભવિષ્ય આપી શકીએ છીએ.


વર્તમાન સમયે ભૂખમરો અને અભાવ થી દુનિયા પીડાઈ રહી છે. સાધનો મેળવવાની મનુષ્યની આશા વર્ષો સુધી અધૂરી રહી જાય છે. જૈન ધર્મના પ્રસિદ્ધ વ્યાખ્યાતા આચાર્ય મહાપ્રજ્ઞ એ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સંસારમાં સાધનોની પ્રાપ્તિની મર્યાદા છે પરંતુ મનુષ્યની ઈચ્છાઓની કોઈ મર્યાદા નથી. જન સંખ્યાનો વધારો અને ઉપલબ્ધ સાધનોની પ્રાપ્તિની મર્યાદા જોતા મનુષ્યની ઈચ્છાઓ ઓછી થવી જોઈતી હતી પરંતુ થઈ રહ્યું છે તેનાથી ઊલટું. આજે મનુષ્યની ઈચ્છા પ્રાપ્તિ થયા વગર તેનું ખાવું-પીવું, ઉઠવું-બેસવું, પ્રેમ સંબંધોને જાળવવા વિગેરે મુશ્કેલ બની રહેલ છે. ઈચ્છાઓની આગમાં સળગતો મનુષ્ય અંદરથી અસહનશીલ તથા બહારથી આસલામત છે. આ સ્થિતિમાં મન તથા આંખો સમાધાન શૉધી રહ્યા છે. પ્રશ્ન એ થાય છે કે શું ઈચ્છાઓને પૂરી કરવાના પ્રયત્નમાં જીવનની તમામ શક્તિઓ લગાવી દઈએ કે ઈચ્છાઓને સમાપ્ત કરી દઈએ. કયો રસ્તો યોગ્ય છે?

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)