ઓપરેશન સિંદૂર પછી ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને ઓપરેશન વિશે માહિતી આપી. આ દરમિયાન વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે વિશ્વભરમાં પોતાની છાપ ઉભી કરી છે. ત્યાં આતંકવાદીઓ સજાથી સુરક્ષિત રહે છે. સાજિદ મીરને પાકિસ્તાન દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ તે જીવતો મળી આવ્યો હતો. કોણ છે આ સાજિદ મીર?

સાજિદ મીર કોણ છે?
સાજિદ મીરને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. સાજિદ મીર પાકિસ્તાનના લાહોરનો રહેવાસી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ ખતરનાક આતંકવાદી પર 5 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. સાજિદ મીર પોતાનો વેશપલટો કરવામાં નિષ્ણાત છે અને તેથી તેમના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. પહેલા સાજિદ મીર લાંબી દાઢી અને લાંબા વાળ રાખતો હતો, પરંતુ હવે એવું માનવામાં આવે છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો દેખાવ બદલી નાખ્યો છે. સાજિદ મીર પાકિસ્તાનમાં છુપાયેલો છે.
મુંબઈ આતંકવાદી હુમલા ઉપરાંત, સાજિદ મીરનું નામ 2008-2009 દરમિયાન ડેનમાર્કમાં એક અખબાર પર હુમલાનું કાવતરું ઘડવામાં પણ સામે આવ્યું હતું. સાજીદ મીર ઇબ્રાહિમ શાહ ઉર્ફે વાસી ઉર્ફે ખલી ઉર્ફે મોહમ્મદ વસીમ તરીકે પણ ઓળખાય છે. સાજિદ મીર મુંબઈ હુમલાના કાવતરાખોર ડેવિડ કોલમેન હેડલીનો મુખ્ય હેન્ડલર હતો. મુંબઈ હુમલા દરમિયાન સાજિદ મીર આતંકવાદીઓ સાથે સતત સંપર્કમાં હતો.
પાકિસ્તાને સાજિદ મીરના મૃત્યુની અફવા ફેલાવી હતી
પાકિસ્તાને સાજિદ મીરને બચાવવા માટે એક દુષ્ટ કાવતરું ઘડ્યું હતું પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તે નિષ્ફળ ગયું. વાસ્તવમાં પાકિસ્તાને સમાચાર ફેલાવ્યા હતા કે સાજિદ મીરનું મૃત્યુ થયું છે પરંતુ બાદમાં પાકિસ્તાને સ્વીકાર્યું કે તે જીવિત છે. હકીકતમાં, પાકિસ્તાને દાવો કર્યો હતો કે સાજિદ મીરનું મૃત્યુ થયું છે, પરંતુ થોડા વર્ષો પહેલા, FATFની ગ્રેસ લિસ્ટમાંથી બહાર નીકળવા માટે, પાકિસ્તાને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનું સ્વીકાર્યું હતું અને જે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં સાજિદ મીરનું નામ પણ સામેલ હતું. પાકિસ્તાને કહ્યું કે સાજિદ મીરને આતંકવાદી ભંડોળના દોષી ઠેરવ્યા બાદ પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે 15 વર્ષની જેલની સજા ફટકારી છે. આ રીતે પાકિસ્તાન આખી દુનિયા સમક્ષ ખુલ્લું પડી ગયું.






શહેરના પૂર્વના ઈસનપુર સહિત અનેક વિસ્તારોમાં તેમજ પશ્ચિમના બોપલ, ભાડજ , જગતપુર, ચાંદલોડિયા, ગોતામાં પાણી ભરાઈ ગયા હતા.
















કર્નલ સોફિયા કુરેશી મૂળ ગુજરાતના વડોદરાની રહેવાસી છે. એમ.એસ. યુનિવર્સિટીમાંથી 1997માં બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને Corps of Signalsમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેમણે પુનામાં બહુરાષ્ટ્રીય સેના અભ્યાસ એક્સરસાઈઝ ફોર્સ 18માં ભારતીય સેનાની ટુકડીની કમાન સંભાળી હતી. આવું કરનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. 36 વર્ષિય કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે અને તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે,
જે મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા, જેઓ આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવતા હતા. બંનેને નવ વર્ષનો દીકરો પણ છે. તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું. સેનાના સંસ્કારોથી ઉછરેલી સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે. બંને દેશની રક્ષા માટે સમર્પિત છે.