Home Blog Page 880

શું છે આ નાઈટ ઇટિંગ ડિસઓર્ડર?

અવિષ્કા માટે દિવસભરનો ખોરાક કંટ્રોલ કરવો હવે સહેલું થઈ ગયું હતું. ડાયટ ચાર્ટ હતો, કાઉન્ટિંગ એપ્સ મોબાઈલમાં હતી, અને નક્કી કરેલા લક્ષ્યો દેખાય એ રીતે ફ્રિજ પર સ્ટીકર પણ ચોંટાડી દીધેલા. છતાં એનું  વજન ઘટવાને બદલે દર અઠવાડિયે 200 ગ્રામ, 400 ગ્રામ, તો ક્યારેક તો કિલો જેટલું વધી જતું!

સવાલ એ હતો કે જ્યારે ખોરાક કંટ્રોલમાં છે, ડાયટ પ્લાન પરફેક્ટ ચાલે છે તો પણ વજન શા માટે વધે છે? અવિષ્કા પોતે પણ વિચારતી કે હું તો સરસ રીતે ડાયટ પ્લાન ફોલો કરું છું તો પણ વજન વધે છે કેમ?

અલબત્ત, સાંજ પડતા જ એની અંદર એક બેચેની શરૂ થતી, જે કંઇક ખાધા પછી જ શાંત થાય.  પછી રાત્રે એને અજીબપણે ખાલીપો, તણાવ, અકળામણ થાય એટલે એ ઊંઘમાંથી જાગી જાય અને ખાવાનું શરૂ કરે. ચોકલેટ, બિસ્કિટ, કેક, વેફર કે ક્યારેક ઓનલાઈન મંગાવીને કેલરીયુક્ત ખોરાક પેટમાં ઠાલવે પછી જ એને સારુ લાગે.

સવારે વળી પસ્તાવો થાય એટલે નક્કી કરે કે હવે હું આજ રાતથી કશું જ નહીં ખાઉં. વહેલી સુઈ જઇશ એટલે ખાવાનું મન ન જ ન થાય. પણ..રાત પડે એટલે પોતાનું પ્રોમીસ જાતે જ તોડી નાખે.

હકીકતમાં અવિષ્કાને ખબર જ નહોતી કે એને નાઈટ ઇટિંગ ડિસઓર્ડર છે!

શું છે આ નાઈટ ઇટિંગ ડિસઓર્ડર?

નાઈટ ઈટિંગ ડિસઓર્ડર એ ખોરાક અને ઊંઘના પેટર્નમાં આવતા અસ્વસ્થ ફેરફારને દર્શાવતી એક માનસિક અને શારીરિક સમસ્યા છે, જેમાં વ્યક્તિ આખા દિવસ દરમિયાન તો ઓછું ખાય છે અથવા ફાસ્ટિંગ કરે છે, પરંતુ રાતે એને અચાનક ભૂખ લાગે છે અને ઊંઘ દરમિયાન પણ જાગીને ખાવું એ એની આદત બની જાય છે. આવા સમયે મુખ્યત્વે કેલરીયુક્ત અને ઓછા પૌષ્ટિક આહારની પસંદગી થતી હોય છે. ખાસ કરીને તીખુ, તરેલુ, સ્વીટ ખાવાનું મન થાય છે.

સમાજમાં સ્ત્રીઓના દેખાવના ધોરણો આ સમસ્યાને વધારે છે

આ ડિસઓર્ડર હોર્મોનલ અસંતુલન, ઊંઘની અનિયમિતતા અને તણાવ સાથે પણ સંકળાયેલો હોય છે, જેના લીધે વજન વધવું, ઊંઘ બગડવી અને મૂડ સ્વિંગ્સ જેવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પી.ટી.(બી. ફિઝિયો, એમ.એચ.એ.) ડો. અંકીતા પંચાલ કહે છે કે, “નાઈટ ઈટિંગ ડિસઓર્ડર (NED) ખાસ કરીને મહિલાઓમાં વધુ જોવા મળે છે. જેના લક્ષણોમાં સવારે ભૂખ ન લાગવી, રાત્રે ખાવાની તીવ્ર ઈચ્છા, ઊંઘ તૂટી જવી, ખાવા પછી અફસોસ અનુભવવો છે. આ વિકાર ડિપ્રેશન, એન્ઝાયટી, ચિંતા અને ઊંઘના ડિસઓર્ડર સાથે જોડાયેલો પણ હોઈ શકે છે. જેની પાછળના કારણોમાં હોર્મોનલ અસંતુલન-માસિક ધર્મ, ગર્ભાવસ્થા, કે મેનોપોઝ જેવા હોર્મોનલ બદલાવ, તણાવ અને સંસ્કૃતિજન્ય દબાણો, બિન્જ ઈટિંગ ડિસઓર્ડર, ઊંઘ સંબંધિત ડિસઓર્ડર સામેલ છે. સમાજમાં સ્ત્રીઓ માટે દેખાવના ધોરણો કારણે આ સમસ્યા વધારે થતી હોય છે. જો એની સારવારની વાત કરીએ તો કૉગ્નિટિવ થેરાપી, આહાર સલાહ, દવાઓ અને લાઇટ થેરાપી ઉપયોગી હોય છે. આ ડિસઓર્ડરને જેટલો વહેલો ઓળખી શકાય એટલો જ યોગ્ય ઉપચારથી સ્ત્રીઓને વધારે સહારો મળી શકે છે.”

દરેક મહિલાએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે

વૈશ્વિક સ્તરે, સામાન્ય વસ્તીમાં NESનું પ્રમાણ આશરે 1 ટકાથી લઈને 4.6 ટકા સુધી હોવાનું અનુમાન છે. વિશેષરૂપે, સ્થૂળતા ધરાવતા લોકોમાં આ પ્રમાણ 6થી 16 ટકા સુધી વધી શકે છે. ખાસ કરીને મહિલાઓમાં મધ્યવય અને મેનોપોઝના સમયગાળામાં, હોર્મોનલ ફેરફારો અને તણાવના કારણે NESનું જોખમ વધે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના જાણીતા બ્યુટીશ્યન દર્શના રાવ કહે છે, “આજકાલ એક ક્લિકમાં ઓર્ડર કરી ખાવાની એપ્સ ઉપલબ્ધ છે, જેના કારણે ખાસ કરીને રાતે મહિલાઓ ફાસ્ટફૂડ મંગાવી લે છે. ઘણી વાર મહિલાઓ આખા પરિવારનું ધ્યાન રાખ્યા પછી પોતાનું સ્વાસ્થ્ય અવગણે છે. સાંજે કોઈ પણ વસ્તુ ખાઈ લે અને પછી મોડી રાત્રે ફરી ભૂખ લાગતી હોય ત્યારે બહારથી ઓર્ડર કરતી હોય છે. આ જ આદતથી નાઈટ ઈટિંગ ડિસઓર્ડર થઈ શકે છે. ખાસ કરીને 40-45 વર્ષ પછી મેનોપોઝના કારણે શારીરિક બદલાવ અને દવાઓ પણ વધુ લેવાય છે. મારો પોતાનો જ અનુભવ વર્ણવું તો મારે વર્કલાઈફના કારણે ભૂતકાળમાં આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ જાગ્યા ત્યારથી સવાર એ ન્યાયે દરેક મહિલાએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.”

લેટ સુધી જાગવુ મગજની નિર્ણય ક્ષમતા પર અસર કરે છે

આજકાલની જીવનશૈલીમાં મોડું સુવું અને રાતે ઊંચી કૅલરીવાળું ફૂડ ખાવાની ઇચ્છા સામાન્ય છે, પરંતુ આ બંને ટેવો વજનવધારાનું મુખ્ય કારણ બની શકે છે. જેનાથી નાઈટ ઇટિંગ ડિસઓર્ડરથી મહિલાઓ પીડાય છે. મોડું સુવાથી શરીરના બાયોલોજીકલ ઘડિયાળમાં ખલેલ ઊભી થાય છે, જેના કારણે ભૂખ લગાડનારા હોર્મોનમાં અસંતુલન થાય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ફેશન ડિઝાઇનર મનીષા ઠક્કર  “શરીરમાં ગ્રીલિન વધી જાય છે અને લેપ્ટિન ઘટે છે. પરિણામે, રાત્રે વધુ ભૂખ લાગે છે અને ખાસ કરીને ચિપ્સ, મીઠાઈ જેવી અનહેલ્ધી વસ્તુઓ ખાવાની ઇચ્છા થાય છે. આ સમયે શરીરનું પાચન ધીમે ચાલે છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતું નથી અને ચરબી જમા થાય છે. એનાથી મલબદ્ધતા, એસિડિટી, પેટમાં ગેસ અને મેટાબોલિઝમ થવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવું નિયમિત થતું રહે તો વજન ઝડપથી વધી શકે છે. ઉપરાંત, લેટ સુવું મગજની નિર્ણય ક્ષમતા પર પણ અસર કરે છે, જેના કારણે આપણે હેલ્ધી વિકલ્પો પસંદ કરવાને બદલે ફાસ્ટફૂડ તરફ આકર્ષાઈએ છીએ.”

ટૂંકમાં કહીએ તો મહિલાઓમાં થતો આ નાઇટ ઇટિંગ ડિસઓર્ડર માટે કદાચ મહિલાઓએ જાતે જ પોતાનો નિત્યક્રમ ફેરફાર કરવાની જરૂર છે. તો જ આવી સમસ્યામાંથી  બહાર આવી શકાય છે.

હેતલ રાવ

આફ્રિકાના ક્રિકેટર હેનરિક ક્લાસેનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

દક્ષિણ આફ્રિકાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. ક્લાસેનએ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી. ક્લાસેન જાન્યુઆરી 2024 માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હતા, પરંતુ તેઓ T20 આંતરરાષ્ટ્રીય અને ODI માં સક્રિય હતા. આ વર્ષે એપ્રિલમાં, ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે તેમની અવગણના કરવામાં આવી હતી. 2 જૂન (સોમવાર) ના રોજ, ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે પણ ODI આંતરરાષ્ટ્રીયને અલવિદા કહ્યું.

ક્લાસેન નિવૃત્તિ પોસ્ટમાં ભાવુક થઈ ગયા

33 વર્ષીય હેનરિક ક્લાસેન ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘આ મારા માટે દુઃખદ દિવસ છે, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી અલગ થવાનો નિર્ણય લીધો છે. મારા અને મારા પરિવારના ભવિષ્ય માટે શું શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં મને ઘણો સમય લાગ્યો. આ ખરેખર ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ તે જ સમયે હું તેનાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. શરૂઆતથી જ મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે.’

હેનરિક ક્લાસેન લખે છે, ‘મારા દેશ માટે રમવાનું મારું બાળપણનું સ્વપ્ન હતું, મેં તેના માટે સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનતથી કામ કર્યું. મેં મહાન મિત્રતા અને સંબંધો બનાવ્યા છે, જેને હું જીવનભર સાચવીશ. ક્રિકેટે મને એવા મહાન લોકોનો પરિચય કરાવ્યો જેમણે મારું જીવન બદલી નાખ્યું. હું તે બધાનો ખૂબ આભારી છું.’

ક્લાસેનનું આંતરરાષ્ટ્રીય કારકિર્દી 

જમણા હાથના બેટ્સમેન હેનરિક ક્લાસેન ફેબ્રુઆરી 2018 માં ભારત સામે ODI અને T20I માં ડેબ્યૂ કર્યું હતું. તે જ સમયે, તેનું ટેસ્ટ ડેબ્યૂ પણ 2019 માં ભારત સામે રાંચીમાં થયું હતું. હેનરિક ક્લાસેન દક્ષિણ આફ્રિકા માટે 4 ટેસ્ટ, 60 ODI અને 58 T20 મેચમાં ભાગ લીધો હતો. ટેસ્ટ ક્રિકેટમાં, હેનરિક ક્લાસેન 13.00 ની સરેરાશથી 104 રન બનાવ્યા. વનડેમાં, તેણે 2141 રન બનાવ્યા, જેમાં 4 સદી અને 11 અડધી સદીનો સમાવેશ થાય છે. ક્લાસેનનો વનડેમાં સરેરાશ 43.69 અને સ્ટ્રાઇક રેટ 117.05 હતો. ક્લાસેનએ ટી20 માં 23.25 ની સરેરાશ અને 141.84 ના સ્ટ્રાઇક રેટથી 1000 રન બનાવ્યા. ક્લાસેનએ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 5 અડધી સદી ફટકારી.

8મીએ સગાઈ… 18મીએ લગ્ન, સાંસદ પ્રિયા રિંકુ સિંહ સાથે સાત ફેરા લેશે

સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિંકુ સિંહના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. બંને નવેમ્બર મહિનામાં સાત ફેરા લેશે અને તે પહેલા 8મી જૂને તેમની રિંગ સેરેમની યોજાવાની છે. જો કમાણી અને નેટ વર્થની વાત કરીએ તો, લાંબા સંઘર્ષ પછી સ્ટાર ક્રિકેટર તરીકે ક્રિકેટ ક્ષેત્રે ધૂમ મચાવનાર રિંકુ સિંહ તેમની ભાવિ સાંસદ પત્ની કરતાં વધુ ધનવાન છે. બંનેની નેટ વર્થ (રિંકુ સિંહ-પ્રિયા સરોજ નેટ વર્થ)માં ઘણો તફાવત છે. ચાલો જાણીએ કે બંને પાસે શું છે?

લગ્ન માટે 18 નવેમ્બરની તારીખ નક્કી થઈ

સૌ પ્રથમ, ચાલો તમને જણાવીએ કે રિંકુ સિંહ અને પ્રિયા સરોજ ક્યારે લગ્ન કરશે, તેથી તેમના લગ્ન માટે 18 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. પરિવાર અને નજીકના સંબંધીઓ આ લગ્ન સમારોહમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં ક્રિકેટર રિંકુ સિંહના સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સાથેના સંબંધો કન્ફર્મ થયા હતા. બંનેની સગાઈ થઈ ગઈ છે અને હવે બે દિવસ પછી સગાઈ થવા જઈ રહી છે, જે લખનૌની એક હોટલમાં યોજાશે.

સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની વાત કરીએ તો, તે ત્રણ વખત સાંસદ રહી ચૂકી છે અને હાલમાં કેરાકટ બેઠક પરથી સપાના ધારાસભ્ય તૂફાની સરોજની પુત્રી છે. 23 નવેમ્બર 1998 ના રોજ વારાણસીમાં જન્મેલી 26 વર્ષીય પ્રિયા સરોજે 2024 ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉત્તર પ્રદેશની મછલીશહર બેઠક પરથી જીત મેળવી હતી. તેણીએ બીપી સરોજને 35850 મતોના માર્જિનથી હરાવી હતી. ચૂંટણી દરમિયાન આપેલા સોગંદનામામાં, તેણીએ પોતાની મિલકત (પ્રિયા સરોજ નેટ વર્થ) જાહેર કરી હતી.

કટોકટીમાં અમે વધુ મજબૂત બનીને ઉભરી આવ્યા: ગૌતમ અદાણી

અમદાવાદ: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીના કપરા ચઢાણ અને વ્યાપાર સામ્રાજ્યની વધુ મજબૂતી વિશેના રહસ્યો ખોલ્યા છે. એશિયાના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિએ જણાવ્યુ કે, તાજેતરમાં આવેલી તમામ મુશ્કેલીઓનો સામનો કરીને અદાણી ગ્રુપે નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. પી.ટી.આઈ.ના 1 જૂનના અહેવાલ મુજબ ગૌતમ અદાણીએ આગામી પાંચ વર્ષમાં તેના વિવિધ વ્યવસાયોમાં 15-20 અબજ ડોલરનું રોકાણ કરવાની નેમ વ્યક્ત કરી છે.

ગૌતમ અદાણીએ કંપનીની મજબૂત બેલેન્સ શીટ અને વૃદ્ધિનો ઉલ્લેખ કરીને આ વાત કહી છે. ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના તાજેતરના વાર્ષિક અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે “વિવિધ સંપાદનો અને કડક તપાસનો સામનો કર્યો હોવા છતાં અદાણી ગ્રુપ ક્યારેય પાછળ હટ્યું નથી. એટલું જ નહીં, આ જૂથ પોતાની વ્યૂહરચના બદલી વધુ સ્થિતિસ્થાપક, પ્રબળ અને અડીખમ બનીને ઉભરી આવ્યું છે.”

આપનો દૃઢવિશ્વાસ એ જ અમારી તાકાત

અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું, “અમારા ઉદ્દેશ્યો ભારતની મહત્વાકાંક્ષાઓ સાથે સુમેળ ધરાવે છે. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અમારા શેરધારકોનો અમારામાં દૃઢ વિશ્વાસ એ જ અમારી તાકાત છે.” તેમણે ઉમેર્યું હતું કે “પ્રત્યેક પડકાર અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે અને દરેક અવરોધ એક પગથિયું બની જાય છે.”

નકારાત્મકતા સત્યને ઢાંકે છે

ગૌતમ અદાણી જણાવે છે કે “આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં નકારાત્મકતા ઘણીવાર સત્ય કરતાં વધુ પડઘા પાડે છે. પરંતુ અમે કાનૂની પ્રક્રિયાઓને સહકાર આપીએ છીએ. હું એ પણ ભારપૂર્વક કહેવા માંગુ છું કે અમારા જૂથની કામગીરી વૈશ્વિક ધોરણો મુજબની છે. અમારુ માળખુ મજબૂત છે, અમે તેમાં કોઈ સમાધાન કરતા નથી.”

અદાણી જૂથના વિવિધ વ્યવસાયોમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. બંદરોથી લઈને એરપોર્ટ, નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન, ડેટા સેન્ટરો, સંરક્ષણ ઉત્પાદન, શહેરી ગેસ જેવા અદાણી ગ્રુપના વ્યવસાયોએ નવા વિક્રમો સર્જ્યા છે.

સાચા નેતૃત્વની કસોટી કટોકટીમાં

ગૌતમ અદાણીએ કહ્યું, “ઇતિહાસ અમને બેલેન્સશીટના કદ માટે નહીં, પરંતુ અમારા નક્કર પાયા માટે યાદ રાખશે; અમે જે બજારોમાં પ્રવેશ્યા તેના માટે જ નહીં, પરંતુ જે વિપદાઓમાંથી મજબૂત બની બહાર આવ્યા તેના માટે યાદ રાખશે. જ્યારે બધી જ પરિસ્થિતીઓ અનુકૂળ હોય ત્યારે નેતૃત્વ કરવું સરળ છે, પરંતુ નેતૃત્વની સાચી કસોટી તો કટોકટીનો સામનો કરવામાં જ થાય છે.”

ઐતિહાસિક નફાનું વર્ષ

અદાણી ગ્રુપના ચેરમેને કહ્યું કે, “તાજેતરમાં પ્રકાશિત કંપનીના પરિણામો એક રસપ્રદ વાર્તા કહે છે – રેકોર્ડબ્રેક આવક, અભૂતપૂર્વ વૃદ્ધિ અને ઐતિહાસિક નફાનું વર્ષ. જો કે સત્ય એ છે કે આ તમામ સીમાચિહ્નો અમારી અવિરત શક્તિ અને દ્રઢતાનું પ્રતિબિંબ છે. તે એક એવા જૂથનો પુરાવો છે જેણે અવરોધોથી આગળ વધીને સ્વપ્ન જોવાની હિંમત કરી. જે દરેક શ્વાસ સાથે આવતીકાલ માટેની પ્રબળ સંભાવનાઓ ખોલે બનાવે છે.”

પોર્ટથી લઈને પાવર સુધીના વ્યવસાયો ધરાવતું આ જૂથ ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ દ્વારા ભારતના સૌથી મહત્વાકાંક્ષી શહેરી પુનર્વસન પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યું છે.

૦૩ જૂન ૨૦૨૫

પંચાંગ 03/06/2025

સારી ગુણવત્તાની પ્રિન્ટ સાથે ફરી રીલિઝ થશે રેખાની ‘ઉમરાવ જાન’ ફિલ્મ

જો તમે હજુ સુધી પીઢ અભિનેત્રી રેખાની કલ્ટ ફિલ્મ ‘ઉમરાવ જાન’ જોઈ નથી, તો હવે તમે તેને થિયેટરોમાં વધુ સારી ગુણવત્તામાં જોઈ શકો છો. હા, તમે સાચું સાંભળ્યું. 1981માં આવેલી રેખા અને ફારૂક શેખની સુપરહિટ ફિલ્મ ‘ઉમરાવ જાન’ ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, હવે ફરી એકવાર તમને થિયેટરોમાં રેખાની નજાકત જોવા મળશે.

27 જૂને ફરીથી રિલીઝ

મુઝફ્ફર અલી દ્વારા દિગ્દર્શિત બોલિવૂડની કલ્ટ ફિલ્મ ‘ઉમરાવ જાન’ 27 જૂને સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને 4K માં સારી રીતે રિસ્ટોર કરવામાં આવી છે. જેથી ફિલ્મની ગુણવત્તા અને પ્રિન્ટ સુધારી શકાય.

ફિલ્મની પુનઃપ્રદર્શનની ઉજવણી કરવા માટે દિગ્દર્શક મુઝફ્ફર અલી એક મર્યાદિત આવૃત્તિ કોફી ટેબલ બુક પણ લોન્ચ કરી રહ્યા છે જે ઉમરાવ જાનના નિર્માણના BTS ને દર્શાવે છે. પુસ્તકમાં ક્યારેય ન જોયેલા ફોટા, કોસ્ચ્યુમ સ્કેચ, કવિતા અને સેટ પરના કેટલાક કિસ્સાઓ હશે. સિનેમાપ્રેમીઓ, સિનેમાના વિદ્યાર્થીઓ અને સંસ્કૃતિ ઉત્સાહીઓ માટે રચાયેલ, આ પુસ્તક ફિલ્મના પ્રી-રિલીઝ વર્ઝન સાથે ઉપલબ્ધ રહેશે.

રેખાને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો

ફિલ્મ ‘ઉમરાવ જાન’ બોલિવૂડની એક યાદગાર ફિલ્મ છે. આ માટે રેખાને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. ફિલ્મની વાર્તાની સાથે, તેના ગીતોને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, જે આજે પણ લોકોના પ્લેલિસ્ટનો ભાગ છે.

દેશભક્તિ મુદ્દે સલમાન ખુરશીદે કોંગ્રેસને લીધી આડે હાથ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે સોમવારે રાજકીય નિષ્ઠાઓને લઈને “ઘરના લોકો”- કોંગ્રેસીઓને કડક સંદેશ આપ્યો હતો, જોકે જમ્મુ-કશ્મીરમાં આટિકલ 370 પર તેમની તાજેતરના ટિપ્પણીથી તેમની પાર્ટીમાં અસ્વસ્થતા વધી હતી છે. ખુરશીદે ભારતના રાજકીય વિભાજન પર ચિંતા વ્યક્ત કરી છે.

ખુરશીદ આતંકવાદ સામે ભારતની એકતાને દ્રઢપણે રજૂ કરવા માટે એક સર્વપક્ષી પ્રતિનિધિમંડળ સાથે વિદેશ પ્રવાસે છે. વરિષ્ઠ રાજકારણી અને પૂર્વ વિદેશ મંત્રી ખુરશીદ હાલ JDUના સાંસદ સંજય કુમાર ઝા દ્વારા નેતૃત્વ પામતા સર્વપક્ષી સંસદીય જૂથના હિસ્સા તરીકે પૂર્વ એશિયામાં છે.

ખુરશીદે X પર લખ્યું હતું કે જ્યારે આપણે આતંકવાદ સામેના મિશનમાં છીએ, અને ભારતનો સંદેશ દુનિયા સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે દુઃખ થાય છે કે ઘરમાં જ લોકો રાજકીય નિષ્ઠાઓની  ગણતરી કરી રહ્યા છે. શું દેશભક્ત બનવું એટલું મુશ્કેલ છે?

કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે તેમના ટ્વીટમાં કહ્યું, “લોકો પૂછે છે, ‘તમે એ પ્રતિનિધિમંડળમાં શું કરી રહ્યા છો જેમાં ભાજપના લોકો છે? તમે ત્યાં શું કરો છો?’ આપણે ત્યાં શું કરીએ છીએ? આપણે ત્યાં એ જ કરીએ છીએ જે દેશ માટે જરૂરી છે. તમે કોઈ પણ પાર્ટીમાંથી હો, આજની જરૂરિયાત એ છે કે દેશના પક્ષમાં એક અવાજ ઊઠે – અમે  અહીં એ જ કરીએ છીએ. મને લાગે છે કે જ્યારે હું કહું છું કે ‘શું દેશભક્ત બનવું એટલું મુશ્કેલ છે?’ – તો એ પ્રશ્ન તેમને પૂછવો જોઈએ જે ટ્વીટ કરીને આવા પ્રશ્નો ઊભા કરે છે, જેનાથી લાગે છે કે તેમને દેશ માટે કંઈક કરવાનો ઉત્સાહ નથી..

હેમલેઝે GCCમાં તેનો નવમો સ્ટોર‌ શરૂ કર્યો

કુવૈતઃ વિશ્વનો સૌથી પ્રખ્યાત ટોય સ્ટોર હવે કુવૈતમાં ખૂલ્યો છે. કુવૈતના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત લાઈફસ્ટાઇલ ધરાવતા ધ એવેન્યુઝ મોલમાં હેમલેઝે 31 મે 2025એ 1170 ચોરસ મીટરમાં ભવ્ય સ્ટોરનો પ્રારંભ કર્યો છે. ધ એવેન્યુઝ મોલ 12 થીમ આધારિત ડિસ્ટ્રિક્ટમાં 1000થી વધુ સ્ટોરોમાં ફેલાયેલો છે, જે હેમલેઝ માટે નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટેનો આ એક ઉત્તમ મંચ છે.

હેમલેઝનો કુવૈતમાં પહેલો અને GCC ક્ષેત્રમાં નવમો સ્ટોર છે, જે UAE અને કતારમાં તેની મજબૂત હાજરી પછી મિડલ ઈસ્ટમાં કંપનીની બ્રાન્ડના વિસ્તરણને આગળ વધારે છે. આ લોન્ચ હેમલેઝના મિડલ ઈસ્ટના રિટેલ ગ્રુપ સાથેના વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે, જે આ ક્ષેત્રના માર્કેટમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને લાવવા માટે અગ્રણી રિટેલ ગ્રુપ છે.

હેમલેઝના અનોખા થિયેટર, જીવંત ડેમો અને ઉત્સાહભર્યા મનોરંજન સાથે સ્ટોર એક રંગબેરંગી વિશ્વ આપે છે જ્યાં કલ્પના, પ્લે અને અદભુતતામાં જીવંત બનતી જોવા મળે છે, જેમાં બધી ઉંમરનાં બાળકોને આનંદ આપતી આ જગ્યા પર મુલાકાતીઓનું સ્વાગત હેમલેઝનાં પ્રખ્યાત પાત્રો — હેમલે અને હૈતી બિયર, ધ ટોય સોલ્જર, સર્કસ રિંગમાસ્ટર અને રેગ ડોલ  દ્વારા કરવામાં આવશે, જે આનંદ અને સર્જનાત્મકતાને પ્રેરિત કરે છે.

કુવૈતના ધ એવેન્યુઝમાં હેમલેઝની મુલાકાત એક અવિસ્મરણીય અનુભવ છે. અહીં 100થી વધુ બ્રાન્ડના 10,000થી વધુ ટોયઝ ઉપલબ્ધ છે. લેગો, બાર્બી, હોટ વ્હીલ્સ,માર્વલ, બિલ્ડ-એ બિયર, બેન્ડાઇ અને કેન્ડિલિશિયસ જેવી લોકપ્રિય બ્રાન્ડને હવે નવી, ઇન્ટરએક્ટિવ રીતે રજૂ કરવામાં આવી છે. ખાસ રૈલીઝ (હેમલેઝનું પોતાનું હાઈ-એનર્જી RC રેસટ્રેક) અને ધ બુટિક જેવી અનોખી ઝોન બાળકો માટે કોસ્મેટિક્સ જોઈ શકો છો એ ઉપરાંત, નેઇલ આર્ટ અને પોતાની એક્સેસરીઝ બનાવી શકાય છે, જે યુવા ગ્રાહકોને મજાનો અનુભવ આપે છે.

હેમલેઝ ગ્લોબલના CEO સુમિત યાદવ કહે છે, અમે ઘણા સમયથી કુવૈતમાં સ્ટોર ખોલવાની ઈચ્છા રાખતા હતા અને ધ એવેન્યુઝમાં સ્ટોર ખોલવો એ અમારા માટે એક નોંધપાત્ર ક્ષણ છે. આ સ્ટોર માત્ર બ્રિટિશ વારસાને નહીં, પણ આનંદ, હાસ્ય અને હસતા દરેક યુવા અને દરેક ઉંમરના લોકો માટે મહત્ત્વનો છે. નવા માર્કેટમાં હેમલેઝનું સ્વાગત હંમેશાં ઉત્સાહજનક રહ્યું છે અને અમે આશ્વસ્ત છીએ કે કુવૈત સિટી અને તેનો વર્લ્ડ-ક્લાસ મોલ પણ અપવાદ નહીં રહે.

1760માં વિલિયમ હેમલે દ્વારા સ્થપાયેલા હેમલેઝને 2019માં રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL) દ્વારા અધિકૃત કરવામાં આવ્યું હતું, જે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) — રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિટેલ શાખાની સહાયક કંપની છે. હેમલેઝ હાલમાં 13 દેશોમાં 187 સ્ટોર્સ સાથે વર્લ્ડવાઈડ વિસ્તાર ધરાવે છે.

 

કમલ હસનના સમર્થનમાં રામ ગોપાલ વર્મા, શું છે સમગ્ર મામલો?

રામ ગોપાલ વર્માએ એક ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું,’લોકશાહીનું નવું નામ અસહિષ્ણુતા છે. તથ્ય બાદ પણ કમલ હાસન માફી ન માંગે ત્યાં સુધી કર્ણાટકમાં ફિલ્મ ‘ઠગ લાઈફ’ પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપવી એ એક નવા પ્રકારની ગુંડાગીરી છે.’ આ ટ્વીટ પોસ્ટ કર્યા પછી રામ ગોપાલ વર્માએ તેને ડિલીટ પણ કરી દીધું. આ ટ્વીટ દ્વારા રામ ગોપાલ વર્મા કમલ હાસનને ટેકો આપતા જોવા મળે છે.

શું છે સમગ્ર મામલો?

તાજેતરમાં, તેમની આગામી ફિલ્મ ‘ઠગ લાઈફ’ ના પ્રમોશન દરમિયાન કમલ હાસને કન્નડ ભાષા વિશે એક ટિપ્પણી કરી હતી. અભિનેતાએ તમિલ અને કન્નડ ભાષાઓની તુલના કરી હતી, જેના કારણે કન્નડ સમર્થક જૂથોએ તેમનો વિરોધ શરૂ કર્યો હતો. કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. રામ ગોપાલ વર્મા આ મામલે અભિનેતાને ટેકો આપી રહ્યા છે.

કમલ હાસનનું શું છે વલણ

તાજેતરમાં જ કમલ હાસને પણ આ વિવાદ પર પોતાનો પક્ષ રજૂ કર્યો. તેઓ કહે છે, ‘આપણે લોકશાહીમાં રહીએ છીએ. હું કાયદા અને ન્યાયમાં વિશ્વાસ રાખું છું. મને કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળ પ્રત્યે સાચો પ્રેમ છે. કોઈને આમાં શંકા નહીં હોય, સિવાય કે જેમનો કોઈ એજન્ડા હોય. મને પહેલા પણ ધમકી આપવામાં આવી છે. જો હું ખોટો હોઉં, તો હું માફી માંગીશ. જો હું ખોટો ન હોઉં, તો હું માફી માંગવાનો નથી.’

ઠગ લાઈફ ક્યારે રિલીઝ થશે

કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ ની રિલીઝ તારીખ ખૂબ નજીક છે. આ ફિલ્મ 5 જૂન 2025 ના રોજ રિલીઝ થશે. તમિલ ઉપરાંત, આ ફિલ્મ તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં પણ રિલીઝ થશે.