નવી દિલ્હીઃ દેશભરમાં રઝળતા કૂતરાઓને મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્યોની સરકારોને ફટકાર લગાવી હતી. આ કૂતરાઓને પકડવા, તેમની નિષ્ક્રિયતા (નસબંધી) કરવા અને તેમને છોડી મૂકવા અંગે ઓગસ્ટમાં આપવામાં આવેલા આદેશનું પાલન કરવા અંગે રાજ્યોએ સોગંદનામું રજૂ નથી કર્યું. કોર્ટે પશ્ચિમ બંગાળ, દિલ્હી અને તેલંગાણા સિવાય બાકીનાં તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા આદેશ આપ્યો છે.
ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની ખંડપીઠે જણાવ્યું હતું કે જો અધિકારીઓ આગામી સુનાવણીની તારીખે હાજર નહીં રહે તો તેમના પર દંડ ફટકારવામાં આવશે અથવા કડક પગલાં લેવામાં આવશે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે કહ્યું હતું કે સોગંદનામું શા માટે રજૂ નથી કર્યું? મુખ્ય સચિવોએ સ્પષ્ટતા આપવી જોઈએ, નહીં તો દંડ ફટકારવામાં આવશે અને દંડાત્મક પગલાં લેવામાં આવશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરવામાં આવી છે. તમારા અધિકારીઓ અખબાર કે સોશિયલ મિડિયા વાંચતા નથી? દરેક જગ્યાએ આ બાબત અંગે સમાચાર આવ્યા છે. એક વાર માહિતી મળી જાય પછી તેમને કાર્યવાહી કરવી જ જોઈએ. બધા મુખ્ય સચિવોએ ત્રીજી નવેમ્બરે હાજર રહેવું, નહીં તો અમે ઓડિટોરિયમમાં કોર્ટની કાર્યવાહી ચલાવીશું.
દેશની છબી વિદેશોમાં ખરાબ થઈ રહી છેઃ ન્યાયમૂર્તિ વિક્રમ નાથ
કોર્ટે એ પણ ટિપ્પણી કરી કે રઝળતા કૂતરાઓ સંબંધિત ઘટનાઓ સતત બની રહી છે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથે કહ્યું હતું કે આ ઘટનાઓ સતત બની રહી છે અને દેશની છબી અન્ય દેશોની નજરે ખરાબ થઈ રહી છે. અમે સમાચાર રિપોર્ટ પણ વાંચી રહ્યા છીએ.
શું હતો મામલો?
આ આખો મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 11 ઓગસ્ટે ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાળા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આદેશ આપ્યો કે તેઓ તમામ વિસ્તારોમાંથી રઝળતા કૂતરાઓને પકડે અને આઠ સપ્તાહમાં ઓછામાં ઓછા 5000 કૂતરાઓની ક્ષમતા ધરાવતા શેલ્ટર હોમ બનાવે. આ આદેશ બાદ ભારે વિરોધ અને પ્રદર્શન થયાં હતાં.
ટીવીના સૌથી પ્રખ્યાત કપલમાંથી એક, જય ભાનુશાલીઅને માહી વિજ હવે અલગ થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના 14 વર્ષના લગ્નજીવનનો અંત આવી રહ્યો છે.
નાના પડદાના લોકપ્રિય યુગલ જય ભાનુશાલી અને માહી વિજના લગ્નનો અંત આવી રહ્યો છે. આ કપલ, જેમણે 2011 માં લગ્ન કર્યા હતા અને હવે 14 વર્ષ સાથે રહ્યા પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, તેઓએ થોડા મહિના પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી, અને છૂટાછેડાની પ્રક્રિયા હવે જુલાઈ-ઓગસ્ટ 2025 માં પૂર્ણ થઈ ચૂકી છે.
એક સમયે ટેલિવિઝનના સૌથી પ્રિય યુગલોમાંના એક ગણાતા, જય અને માહીને તેમના ચાહકો દ્વારા “કપલ ગોલ” તરીકે જોવામાં આવતા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર તેમના કૌટુંબિક વિડિઓઝ અને વ્લોગ્સ દ્વારા ગાઢ સંબંધ શેર કર્યો હતો. જો કે, હવે તેમની વચ્ચે અંતર વધી ગયું છે, અને તેમના બ્રેકઅપના સમાચારથી તેમના ચાહકો પણ દુ:ખી છે.
જય અને માહી એકબીજાથી છૂટાછેડા લઈ રહ્યા છે. જય અને માહી ઘણા સમયથી અલગ રહેતા હોવાનું કહેવાય છે. સંબંધને બચાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કંઈ સફળ થયું નહીં. અહેવાલો અનુસાર, તેઓ તેમના બાળકોની કસ્ટડી અંગે પણ એક કરાર પર પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે, જેથી તેમના બાળકોના જીવન પર ઓછામાં ઓછી અસર પડે.
જય અને માહી ત્રણ બાળકોના માતા-પિતા છે – તેમની પુત્રી તારા, જેનો જન્મ 2019 માં થયો હતો, અને બે દત્તક બાળકો, રાજવીર અને ખુશી, જેમને તેમણે 2017 માં દત્તક લીધા હતા. આ બંને તેમના બાળકોની ખૂબ નજીક છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની સાથે ખુશીની ક્ષણો શેર કરે છે.
તારાના જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા
પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી જય અને માહી બહુ ઓછી વાર સાથે જોવા મળતા હતાં. તેમના વ્લોગ અને પોસ્ટ્સ બંધ થઈ ગયા હતા. તેઓ છેલ્લે ઓગસ્ટ 2024 માં તેમની પુત્રી તારાના જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા, જ્યારે તેઓએ એક થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું.
મળતી માહિતી અનુસાર તેમના સંબંધોમાં તણાવ માહીના વિશ્વાસના મુદ્દાઓથી શરૂ થયો હતો. ધીમે ધીમે તેમની વચ્ચેનું અંતર છૂટાછેડા સુધી વધ્યું. તાજેતરમાં, જય તેની પુત્રીઓ સાથે વેકેશન પર જોવા મળ્યો હતો, જ્યારે માહી બાળકો સાથે નવા ઘરમાં રહેવા ગઈ છે.
નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટીની સેકન્ડ યરની વિદ્યાર્થિની પર બે બાઈકસવાર યુવકોએ એસિડ ફેંક્યો હતો. આરોપી હજુ પણ ફરાર છે અને પીડિતા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. દેશમાં મહિલાઓ પર એસિડ હુમલાના કેસ સતત સામે આવી રહ્યા છે. રાજ્ય બદલાય છે, કારણ બદલાય છે, પરંતુ મહિલાઓ સામેની આ ક્રૂરતા, આ હેવાનિયત અટકતી નથી. કાયદો કડક છે, પોલીસ પણ એક્શન લે છે, છતાં ગુનેગારોના ઇરાદા ઊંચા છે. ચિંતાની વાત એ છે કે ઘણા કેસોમાં તો ફરિયાદ પણ નોંધાતી નથી, એટલે સાચા આંકડા સુધી પહોંચી શકવું મુશ્કેલ છે.
ભારતીય ન્યાય દંડ સંહિતાની કલમ 124 હેઠળ એસિડ હુમલાની વ્યાખ્યા આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પર એસિડ ફેંકીને, પીવડાવીને અથવા કોઈ પણ રીતે તેના શરીરને કાયમી કે આંશિક નુકસાન પહોંચાડવામાં આવે, ગંભીર ઈજા કરવામાં આવે, તો તેને એસિડ હુમલો ગણવામાં આવે છે. ભારતીય કાયદા મુજબ આવા કેસોમાં આરોપીને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને દંડ અલગથી લાગશે.
એસિડ હુમલાના કેસ એશિયન દેશોમાં સૌથી વધુ જોવા મળ્યા છે. બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, કોલંબિયા અને કમ્બોડિયા એવા મુખ્ય દેશો છે જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ (NCRB)ના આંકડા મુજબ દેશ માં છેલ્લાં પાંચ વર્ષોમાં એસિડ હુમલાના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જેમાં 70 ટકા પીડિતાઓ મહિલાઓ જ હોય છે.
નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI)એ એસિડ હુમલાઓ અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો હતો. 2024માં પ્રકાશિત થયેલા આ રિપોર્ટમાં જણાવાયું છે કે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ એવા બે રાજ્ય રહ્યા જ્યાં સૌથી વધુ એસિડ હુમલાના કેસ નોંધાયા. મહાનગરોની વાત કરીએ તો રાજધાની દિલ્હી આ મામલામાં ટોચ પર છે. એક સકારાત્મક બાબત એ છે કે શહેરોની તુલનામાં મહાનગરોમાં ચાર્જશીટ દર વધારે છે, એટલે ઓછામાં ઓછા કેસોમાં કાર્યવાહી આગળ વધે છે.
અભિનેત્રી પરિણીતી ચોપરાએ થોડા દિવસ પહેલા તેના પહેલા બાળકને જન્મ આપ્યો. હવે, તેણીએ સોશિયલ મીડિયા પર એક રમુજી પ્રતિક્રિયા સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં તેના જીવનના સૌથી સુંદર તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેણીએ તાજેતરમાં જ તેના પતિ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે એક પુત્રનું સ્વાગત કર્યું છે. 19 ઓક્ટોબરના રોજ અભિનેત્રીએ બાળકને જન્મ આપ્યો હતો. હવે પરિણીતીએ માતા બન્યા પછી પહેલી વાર સોશિયલ મીડિયા પર આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
માતૃત્વની લાગણી રમુજી રીતે શેર કરી
માતા બન્યા પછી પરિણીતી ચોપરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખૂબ જ રમુજી પ્રતિક્રિયા શેર કરી, જેનાથી ચાહકો ખૂબ હસી પડ્યા. તેણીએ આમિર ખાનની ફિલ્મ “અંદાજ અપના અપના” નું એક દ્રશ્ય પોસ્ટ કર્યું, જેમાં આમિર પહેલા જોરથી હસે છે અને પછી અચાનક રડવા લાગે છે. વિડિઓના અંતે એક સંવાદ સંભળાય છે: “બધું પૂરું થયું, ટાટા બાય-બાય.” પરિણીતીએ તે જ ક્લિપ પર લખ્યું, “જ્યારે મને ખ્યાલ આવ્યો કે હું હવે એક સંપૂર્ણ માતા છું અને ફક્ત ગર્ભવતી નથી.” તેણીએ બે હસતા ઇમોજી પણ ઉમેર્યા.
ભાવનાત્મક પોસ્ટ સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરી
થોડા દિવસો પહેલા પરિણીતીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેના બધા ચાહકો, મિત્રો અને શુભેચ્છકોનો આભાર માન્યો. તેણીએ લખ્યું, “અમે દરેક સંદેશ વાંચી રહ્યા છીએ અને તમારા પ્રેમથી અભિભૂત છીએ. દરેકના આશીર્વાદ અમૂલ્ય છે.”
રાઘવ અને પરિણીતીની લવ સ્ટોરી
બૉલિવુડ અને રાજકારણની દુનિયામાંથી આવનાર આ યુગલ હંમેશા સમાચારમાં રહ્યું છે. તેઓ થોડા વર્ષો પહેલા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં મળ્યા હતા, જ્યાં તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિણમી. મે 2023 માં તેઓએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી. થોડા મહિના પછી સપ્ટેમ્બર 2023 માં, તેઓએ રાજસ્થાનના ઉદયપુરમાં ધ લીલા પેલેસમાં શાહી લગ્ન કર્યા.
ખુશીઓથી ભરેલો એક નવો અધ્યાય
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ 19 ઓક્ટોબરે તેમના પુત્રના જન્મની જાહેરાત કરતા લખ્યું, “તે અ આવી ગયો છે! અમારો નાનો છોકરો. હવે અમારી પાસે બધું છે.” આ પોસ્ટ સાથે બંનેએ ચાહકોનું મન જીતી લીધું. સૂત્રોના જણાવ્યા અનુસાર પરિણીતી હાલમાં ડિલિવરી પછી મુંબઈમાં તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તે ટૂંક સમયમાં કોઈ પ્રોજેક્ટ પર પાછા ફરતા પહેલા માતૃત્વના દરેક ક્ષણનો આનંદ માણવા માંગે છે.
નવી દિલ્હીઃ દેશભરમાં લગભગ 8000 શાળાઓમાં શૈક્ષણિક સત્ર 2024-25માં એક પણ દાખલો એડમિશન થયું નથી, જેમાં સૌથી વધુ શાળાઓ પશ્ચિમ બંગાળમાં અને પછી તેલંગાણામાં છે. આ માહિતી સત્તાવાર આંકડાઓમાંથી મળી છે. આ શૂન્ય દાખલાવાળી શાળાઓમાં કુલ 20,817 શિક્ષકો કાર્યરત હતા.
પશ્ચિમ બંગાળમાં આવા શિક્ષકોની સંખ્યા 17,965 હતી અને ત્યાં શૂન્ય દાખલાવાળી શાળાઓની સંખ્યા સૌથી વધુ (3812) હતી. શિક્ષણ મંત્રાલયના આંકડા મુજબ 7993 શાળાઓમાં કોઈ દાખલો થયો નહોતો, જે અગાઉના વર્ષ (12,954) કરતાં 5000થી વધુ ઓછું છે.
એ દરમિયાન હરિયાણા, મહારાષ્ટ્ર, ગોવા, આસામ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં એક પણ શાળા એવી નહોતી જેમાં કોઈ દાખલો ન થયો હોય. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે શાળાશિક્ષણ રાજ્યનો વિષય છે અને રાજ્યોને શૂન્ય દાખલાવાળી શાળાઓનો મુદ્દો ઉકેલવા સલાહ આપવામાં આવી છે.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિતિ સારી
કેટલાક રાજ્યોમાં બાંધકામ અને કર્મચારીઓ જેવાં સંસાધનોના ઉત્તમ ઉપયોગ માટે કેટલીક શાળાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. આંકડાઓ મુજબ પોન્ડિચેરી, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી, આંદામાન-નિકોબાર ટાપુઓ, દમણ-દીવ અને ચંડીગઢ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક પણ શાળા એવી નહોતી જેમાં કોઈ દાખલો ન થયો હોય. દિલ્હીમાં પણ 2024-25માં એક પણ શાળા એવી નહોતી જેમાં શૂન્ય દાખલો થયો હોય.
આવા શાળાઓની બીજી સૌથી મોટી સંખ્યા તેલંગાણામાં (2245) છે. તેના પછી મધ્ય પ્રદેશ (463)નું સ્થાન આવે છે. તેલંગાણામાં આ શાળાઓમાં 1016 શિક્ષકો કાર્યરત હતા, જ્યારે મધ્ય પ્રદેશમાં 223 શિક્ષકો હતા. ઉત્તર પ્રદેશમાં આવી 81 શાળાઓ છે.
ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ પરિષદ (યુપી બોર્ડ)એ જાહેરાત કરી છે કે રાજ્યભરમાં તેવી સંલગ્ન શાળાઓની માન્યતા રદ કરવાની તૈયારી ચાલી રહી છે, જેઓ છેલ્લાં ત્રણ સતત શૈક્ષણિક વર્ષોથી એક પણ વિદ્યાર્થીનો નોંધણી દાખલો રાખી શકી નથી. દેશભરમાં 33 લાખથી વધુ વિદ્યાર્થીઓ એક લાખથી વધુ એકલ-શિક્ષક શાળાઓમાં નોંધાયેલા છે. આંધ્ર પ્રદેશમાં આવી શાળાઓની સંખ્યા સૌથી વધુ છે, ત્યાર બાદ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને લક્ષદ્વીપનું સ્થાન છે.
પટનાઃ RJDના નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવે વચન આપ્યું છે કે જો મહાગઠબંધન સત્તામાં આવશે, તો બિહારમાં વક્ફ કાયદાને રદ કરી દેવામાં આવશે. સીમાંચલની ચાર વિધાનસભા બેઠકો પર પ્રચારમાં તેજસ્વીએ કહ્યું હતું કે આ ચૂંટણી બંધારણ અને બહુલતાવાદને બચાવવાની લડાઈ છે.
તેમણે અનેક સભાઓમાં કહ્યું હતું કે જો અમારી સરકાર બનશે, તો અમે વક્ફને કચરાપેટીમાં ફેંકી દઈશું. કિશનગંજમાં તેમણે કહ્યું હતું કે આ દેશ બધાનો છે — હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, સૌએ બલિદાન આપ્યું છે. બંધારણ દરેકને સમાન અધિકાર આપે છે.
સંસદે એપ્રિલમાં વક્ફ (સંશોધન) અધિનિયમ પસાર કર્યો હતો. સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે જિલ્લા કલેક્ટરોને વક્ફ સંપત્તિઓ પર વ્યાપક અધિકાર આપવાના તથા વક્ફ સ્થાપવા માટે પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરવાની ફરજિયાત શરત જેવી જોગવાઈઓ પર તાત્કાલિક સ્ટે લગાવ્યો હતો. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય વક્ફ બોર્ડોમાં બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યા પણ મર્યાદિત કરી હતી.
તેજસ્વી યાદવે નીતિશ કુમાર પર આક્ષેપ કર્યા
તેજસ્વી યાદવે ભાજપ અને RSS માટે જગ્યા બનાવવાના આરોપ સાથે મુખ્ય પ્રધાન નીતીશ કુમારની ટીકા કરી હતી તેમણે કહ્યું હતું કે RJD એ એવી પાર્ટી છે જેણે ક્યારેય પોતાની વિચારધારાથી સમાધાન નથી કર્યું. લાલુજીએ ક્યારેય સાંપ્રદાયિક શક્તિઓ સાથે સમાધાન કર્યું નથી.
તેમણે આગળ કહ્યું હતું કે આજે આપણા ચાચા નીતીશકુમાર પાલો બદલીને ભાજપમાં જોડાયા છે. જો બિહારમાં ભાજપ માટે કોઈએ જમીન તૈયાર કરી હોય તો તે નીતીશકુમાર છે. જો બિહારમાં RSSને જમીન પર ઉતારનાર કોઈ હોય, તો તે પણ નીતીશકુમાર છે.
યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.