Home Blog Page 4852

રાશિ ભવિષ્ય 16/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પંચાંગ: 16/04/2020

આ ત્રણ બાબતનું ધ્યાન રાખી તમે પૈસા બચાવી શકો

નવી દિલ્હીઃ નોકરિયાત વર્ગના લોકોના ખાતામાં પગાર આવેને તરત ખતમ થઈ જાય છે, કેમ કે પગાર આવતાં પહેલાં કેટલાય પ્રકારના બીલ ચૂકવવાના હોય છે. આ સિવાય દૂધનો હિસાબ, શાકભાજી, ધોબી, હોમ લોન, કાર લોનના હપતામાં પૈસાનું એડજસ્ટમેન્ટ પહેલેથી જ થઈ જાય છે. બીજી બધા બીલ તો ચૂકવવા જ પડે છે, પણ યુવા વર્ગે પોતાના શોખ પૂરા કરવા માટે પણ  વધારાના ખર્ચ કરવા પડે છે. જો તમારે પણ પગારમાંથી ફાલતુ ખર્ચ થતા હોય તો આ ત્રણ વાતો ધ્યાનમાં રાખો, જેથી ખોટા ખર્ચથી બચી શકાય છે.

 

ATM  કાર્ડનો સૂઝબૂઝથી ઉપયોગ

ATM કાર્ડનો ઉપયોગ સૂઝબૂઝથી કરવો જોઈએ હવે બેન્કોએ ATM  કાર્ડના વારંવાર ઉપયોગ પર મર્યાદા મૂકી દીધી છે. જો તમે બેન્કે આપેલી ATM કાર્ડની છૂટ કરતાં વધારે વખત એનો ઉપયોગ કરો છો તો તમને વધારાનો ચાર્જ લાગી શકે છે, માટે વધારા ચાર્જથી બચવા માટે પહેલેથી જરૂરિયાત પૂરતા પૈસા ઉપાડવાનું આયોજન કરો.

બેન્કથી ચેકબુક ના લો

બેન્કથી ચેકબુક લેવાથી બચો. ડિજિટલ યુગ હોવાથી ચેકબુક પૈસા કાઢવાનો જમાનો હવે પૂરો થયો છે. હવે બેન્કો ચેકબુકના બદલામાં કેટલીક ફીઝ પણ વસૂલે છે. આ ફી રૂ. 20થી માંડીને રૂ. 150 સુધી હોઈ શકે છે. એટેલ નેકબેન્કિંગનો ઉપયોગ વધુ કરો, જેથી આ ફીથી બચી શકો.

ક્રેડિટ કાર્ડની સમયસર ચુકવણી કરો

જો તમે ક્રેડિટ કાર્ડનો વપરાશ કરતા હો તો એની ચુકવણી સમયસર કરો. આ એક સારી આદત છે. જો તમે સમયસર ક્રેડિટ કાર્ડની ચુકવણી નહીં કરો તો બેન્ક પેનલ્ટી ચૂકવવી પડશે. ક્રેડિટ કાર્ડની મોડી ચુકવણી પર 36 ટકાથી માંડીને 42 ટકા સુધીનો ચાર્જ લાગી શકે છે. માત્ર ત્રણ દિવસની મોડી ચુકવણી પર તમારે રૂ. 750નો ચાર્જ ચૂકવવો પડે એમ છે.

 

માત્ર Covid-19 રસીથી જ પરિસ્થિતિ રાબેતા મુજબની થશેઃ UN વડા ગુટેરેસ

ન્યૂયોર્કઃ યુનાઈટેડ નેશન્સ સંસ્થાના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે કોરોના વાઈરસ-વિરોધી કોઈ સુરક્ષિત અને અસરકારક રસીથી જ આ રોગચાળાને ડામી શકાશે. પરિસ્થિતિ રાબેતા મુજબ કરવાનો તે જ એકમાત્ર રસ્તો બની શકે છે.

ગુટેરેસે UN સંસ્થા અંતર્ગત આવતા 50 આફ્રિકન દેશોના વડાઓ સાથેની એક વિડિયો કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ઊભી કરેલી કટોકટી દૂર કરવાનું એકમાત્ર સાધન છે, આ રોગની રસી.

ગુટેરેસે એવી આશા વ્યક્ત કરી છે કે આ વર્ષના અંત પહેલા આ રોગચાળાનો ઈલાજ મળી આવશે.

રસી બનાવવા માટેના પ્રયાસોને વેગ આપવો જોઈએ એમ UN સંસ્થાના આ વડાએ કહ્યું છે. ‘આ રસીથી સમગ્ર દુનિયાને લાભ થવો જોઈએ. આ રસી તમામ માનવીઓને મળવી જોઈએ જેથી રોગચાળો કાબૂમાં રહી શકે,’ એમ તેમણે વધુમાં કહ્યું.

અનેક પ્રકારના સિદ્ધાંતો અને સંશોધનો હાથ ધરનાર નિષ્ણાતોએ જણાવ્યું છે કે કોરોના વાઈરસને લોકડાઉનના કોઈ એકલદોકલ રાઉન્ડથી નાબૂદ કરી શકાશે નહીં. આ વાઈરસ મોસમી બની શકે છે અને ઠંડીની મોસમવાળા મહિનાઓમાં એનો ફેલાવો વધી શકે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જણાવાયું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાં વારંવાર ભરતા રહેવા પડશે. રોગચાળાને ફેલાતો રોકવા માટે આ જ સૌથી મહત્ત્વનું પગલું છે. કોરોનાને નાબૂદ કરવાની લડાઈ 2022 સુધી ચલાવવી પડે એવી જરૂર લાગે છે.

દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસને કારણે 1,34,600થી વધારે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. દુનિયાભરમાં આ રોગના કન્ફર્મ્ડ કેસોની સંખ્યા 20 લાખને ક્યારની પાર કરી ગઈ છે. અમેરિકામાં આ રોગ દરરોજ સેંકડો લોકોનો ભોગ લે છે. ગઈ કાલે આ દેશમાં એક જ દિવસમાં 2,600 જેટલા લોકો માર્યા ગયા હતા. અમેરિકામાં મરણાંક વધીને 27 હજાર થયો છે.

ચીનના આ પ્રાંતમાં જોવા મળ્યા કોરોનાના નવા કેસ

નવી દિલ્હીઃ ચીને કોરોના વાયરસ સામે લડવા માટે બે પ્રાયોગિક વેક્સિન માટે પ્રારંભિક ચરણના માનવ પરિક્ષણને મંજૂરી આપી દીધી છે, કારણ કે ચીનમાં હજી પણ કેટલાક કેસો સામે આવી રહ્યા છે. આ મામલાઓ વિશેષ રુપથી પાડોશી દેશ રશિયાને રોકવા માટે ચીન સતત પગલા ભરી રહ્યું છે. ચીનમાં કુલ 409 આયાતિત મામલાઓ રશિયાના છે અને સંક્રમણ થવાથી રશિયા ચીનમાં આયાતિત મામલાઓનો સૌથી મોટો સ્ત્રોત બની ગયું છે.રશિયા આયાતિત મામલાઓને નિયંત્રિત કરવામાં નિષ્ફળતાનું એક નવું ઉદાહરણ છે અને અન્ય માટે એક ચેતવણીના રુપમાં કામ કરી શકે છે. ચીનના લોકોએ જોયું છે રશિયા એક ગંભીર રુપથી પ્રભાવિત દેશ બની ગયો છે. આનાથી આલાર્મ વાગવો જોઈએ ચીનને કડકાઈથી મામલાઓને વધતા રોકવા જોઈએ અને એક બીજા પ્રકોપથી બચવું જોઈએ. ચીનના પૂર્વોત્તર સીમાવર્તી પ્રાંત હેઈલોગજિયાંગમાં સોમવારના રોજ આયાતિત કોરોના વાયરસ મામલાઓના નવા 79 જેટલા કેસ જોવા મળ્યા.

Chitralekha Gujarati – April 27, 2020

PDF Version

ભારતીય ચામાચિડિયામાં જોવા મળ્યો ‘બેટ કોરોના’ વાઈરસ

નવી દિલ્હી: કોરોના વાઈરસની મહામારી સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે સવાલ એ છે કે, છેવટે કોરોના વાઈરસ માણસોમાં કેવી રીતે પહોંચ્યો? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિશ્વભરના વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. આ શોધમાં ભારતીય વૈજ્ઞાનિકોને એક મોટી ઉપલબ્ધી હાથ લાગી છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ(આઈસીએમઆર) પ્રથમ વખત અલગ પ્રકારના કોરોના વાઈરસની ઓળખ કરી છે, આ વાઈરસ ચામાચિડિયામાં જોવા મળતો બેટ કોરોના વાઈરસ છે.

ચામાચિડિયાની 2 પ્રજાતિમાં કોવિડ 19થી અલગ બેટ કોરોના વાઈરસ (Bat Coronavirus) જોવા મળ્યો છે. ICMRના રિસર્ચમાં આ ખુલાસો જોવા મળ્યો છે. મહત્વનું છે કે આ વાઈરસનું સંક્રમણ મનુષ્યોને નહીં થાય.

બેટ કોરોના વાઈરસ વાળી ચામાચિડિયાની આ બે પ્રજાતિઓ દેશના ચાર રાજ્યો કેરળ, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, તમિલનાડુમાં જોવા મળી છે. આ વાઈરસને બીટકોવ પણ કહે છે. આ ચામાચિડિયા Rousettus અને Pteropus જાતિના છે. ચામાચિડિયામાં બેટ કોરોના વાઈરસ મળવાના કારણે સ્ટડીને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં છાપવામાં આવ્યો છે.

બેટ કોરોનાને કોવિડ 19 સાથે કોઈ સંબંધ નથી

પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના સાયન્ટિસ્ટ ડૉ. પ્રજ્ઞા ટી યાદવે કહ્યું કે આ વાતને સાબિત કરવા માટે કોઈ સાબિતિ કે રિસર્ચ નથી કે બેટ કોરોના વાઈરસ વ્યક્તિમાં બીમારી ફેલાવી શકે છે. રિસર્ચ પેપર લખનારી ડૉ. પ્રજ્ઞા કહે છે કે બેટ કોરોના વાયરસનો કોવિડ 19 સાથે કોઈ સંબંધ નથી. તેઓએ એમ પણ કહ્યું છે કે ચામાચિડિયામાં આ પહેલાં નિપાહ નામનો વાયરસ પણ જોવા મળ્યો હતો.

ચામાચિડિયામાં અનેક પ્રકારના વાયરસ હોય છે તેમાંથી કેટલાક વ્યક્તિઓ માટે ઘાતક હોય છે, પણ તે ચામાચિડિયાને નુકસાન કરતા નથી. માનવામાં આવે છે કે વુહાનમાં ચામાચિડિયાથી જ કોવિડ 19 વ્યક્તિઓમાં ફેલાયો હતો. સ્ટડીમાં આ વાતનું પણ ધ્યાન રખાયું છે કે ચામાચિડિયાથી માણસોના સંક્રમણના ખતરા પર સતત ધ્યાન રાખવામાં આવે.

વિશ્વના આ 15 દેશ હજુ કોરોનાની પહોંચથી બહાર

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના નામથી વિશ્વઆખું પરિચિત છે. જાન્યુઆરીથી ચીનમાં ફેલાયેલો આ વાઇરસ પાછલા ત્રણ મહિનામાં દુનિયા આખીમાં પ્રસરી ચૂક્યો છે.અત્યાર સુધી આ વાઇરસથી 20 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ વાઇરસથી એક લાખ 26 હજારથી વધ લોકોનો જીવ લઈ ચૂક્યો છે, પણ હવે વિશ્વના કેટલાક એવા દેશો પણ છે, જ્યાં કોરોનો પહોંચી નથી શક્યો અથવા આ દેશોમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. આવા 15 દેશોનાં નામ અમે તમને જણાવી રહ્યા છીએ.

વિશ્વના સાત મહા દ્વીપોમાંથી કોરોના વાઇરસ છ મહાદ્વીપોમાં પહોંચી ગયો છે. એકમાત્ર એન્ટાર્ટિકા જ એકમાત્ર એવો મહાદ્વીપ છે, જ્યાં કોરોના વાઇરસ નથી પહોંચી શક્યો

 

આ 15 દેશોમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો

1 કોમોરોસ 6 નોરુ 11 તાજિકિસ્તાન
2 કિરબાતી 7 નોર્થ કોરિયા 12 ટોંગા
3 લેસોથો 8 પલાઉ 13 તુર્કમેનિસ્તાન
4 માર્શલ 9 સમોઆ 14 તુવાલુ
5માઇક્રોનેશિયા 10 સોલોમન આઇલેન્ડ્સ 15 વાનુઅતુ

 

શું છે કારણ?

સૌથી પહેલું કારણ સીધું છે કે અહીંની જનસંખ્યા ઓછી છે. આ 15 દેશો મોટે ભાગે નાના-નાના દાવીપ સમૂહ છે. આ દ્વીપ એટલા જાણીતા પણ નથી કે અહીં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય. આવામાં અહીં વગર નિયમે સોશિયલ ડિસ્ટન્સિંગ થતું રહ્યું છે.

નોર્થ કોરિયા સુધી કેમ નથી પહોંચ્યો આ વાઇરસ

મિસાઇલ ટેસ્ટમાં હંમેશાં ચર્ચામાં રહેતો નોર્થ કોરિયા આ વાઇરસના સંકટથી બચેલો છે. ચીનની સરહદને લગોલગ હોવા છતાં આ આશ્ચર્યજનક બાબત છે. ખુદને કોરોનામુક્ત જાહેર કરતાં કોરિયાએ કહ્યું હતું કે એણે કોરોના સંભવિત સ્થાનો- બધા રસ્તા, સમુદ્ર અને હવાઇ રસ્તાઓ બંધ કરી દીધા છે. કોરિયાની સરકારનું માનીએ તો તેમને ત્યાં કોઈ કેસ ના હોવા છતાં ક્વોરોન્ટાઇન બેડ વગેરેની સંપૂર્ણ વ્યવસ્થા તૈયાર કરી દીધી છે.

 

મગજની કાર્યક્ષમતા વધારે બ્રોકોલી

મે કોઈ દિવસ વિચાર્યું છે કે તમે કોઈ કાર્ય કરવાનું શરૂ કરો અને એને પાર પાડો ત્યાં સુધી એનું મેનેજમેન્ટ કરવામાં તમને કોણ મદદ કરે છે? કોઈની વાતને લઈને તમે જે નાની કે મોટી પ્રતિક્રિયા આપો છો તો એની સમજણ તમને કોણ આપે છે? બહુ સ્વાભાવિક વાત છે! આવા અગત્યનાં કામો આપણું મગજ જ કરે છે! આવા તો ઘણા નિર્દેશ આપણને આપવા માટે આપણું મગજ સતત કાર્યરત રહેતું હોય છે!

 

આપણે આપણા શરીર માટે પોષક આહાર લઈએ છીએ તો મગજ માટે પણ પોષક આહાર જરૂરી તો છે જ! મગજને પોષણ આપતો આહાર છે, બ્રોકોલી. જેનું સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. સતત કાર્યશીલ રહેતા મગજ માટે બ્રોકોલી એક ઉત્તમ ડાયેટ છે.

ઘણા લોકો બ્રોકોલીને લીલાં શાક તરીકે પણ ખાય છે. બ્રોકોલી કોઈપણ શાકભાજીની દુકાનમાં સહેલાઇથી મળી રહે છે. બ્રોકોલી વિશે રિસર્ચ પણ થયું છે અને સાબિત થયું છે કે જો બ્રોકોલી નું સ્મૂધી કે ડ્રીંકના રૂપમાં સેવન કરવામાં આવે તો તે ઘણું જ લાભકારી છે. તેમાંથી મળતાં વિટામીન્સ્ અને મિનરલ્સ્ લોહીમાં જલ્દી ભળી જાય છે અને ઘણા જ ઓછા સમયમાં શરીરના વિભિન્ન ભાગો સુધી આ વિટામિન ત્વરિત પહોંચીને ઘણો જ ફાયદો આપે છે.

બ્રોકોલીમાં રહેલાં ઓમેગા-3 ફેટી એસિડ, ફ્લેવોનોઈડ, વિટામિન-ઈ, લોહતત્વ અને કોપર જેવા પોષક તત્વો મગજને તેજ કરે છે અને એની કાર્યક્ષમતા પણ વધારે છે.

કઈ રીતે બનાવશો બ્રોકોલી સ્મૂધી?
સામગ્રી:
બ્રોકોલી – સો ગ્રામ, પાણી – ૧ કપ

 

રીતઃ
બ્રોકોલીને ધોઈને એના નાના ટુકડા કરી લેવા. મિક્સરમાં બ્રોકોલી ના ટુકડા તથા પાણી નાખીને 5 મિનિટ સુધી ગ્રાઈન્ડ કરવું. આ જ્યૂસને એક ગ્લાસમાં ગાળી લીધા બાદ એનું સેવન કરી શકો છો.

તમે અઠવાડિયામાં ત્રણ વાર આ ડ્રીંક લઈ શકો છો.

ખોટી વાત, IPLમાં કંઈ એમ રમવા મળતું નથીઃ લક્ષ્મણ

હૈદરાબાદઃ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્મણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કના એક દાવાને નકારી કાઢ્યો છે. ક્લાર્કે એમ કહ્યું છે કે, ‘2018-19માં ભારત સામેની ટેસ્ટ સિરીઝ વખતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વિરાટ કોહલીને ‘સ્લેજ’ કરતા (અપશબ્દો બોલતા) ગભરાતા હતા, કારણ કે તેઓ કોહલીને નારાજ કરીને એમના લાખો ડોલરના IPL સોદા ગુમાવવા માગતા નહોતા.’

લક્ષ્મણે જોકે ક્લાર્કના આ દાવાને ફગાવી દીધો છે. એણે ‘સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ કનેક્ટેડ’ શોમાં કહ્યું હતું કે, ‘તમે કોઈ પણ ભારતીય ખેલાડી સાથે મૈત્રી રાખો એટલે તમને આઈપીએલમાં રમવાનો કોન્ટ્રાક્ટ મળે એ વાત ખોટી છે.’

‘ટીમના માર્ગદર્શક તરીકે હું હરાજી વખતે ટેબલ પર બેસતો હોઉં છું. અમે જ ખેલાડીઓની પસંદગી કરતા હોઈએ છીએ. જે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પોતપોતાના દેશ વતી મેચોમાં અસાધારણ સારો દેખાવ કર્યો હોય અને એમને પસંદ કરવાથી ફ્રેન્ચાઈઝનું મૂલ્ય વધી શકે છે એવું ટીમના માલિકોને જણાય એ ગણતરીએ જ વિદેશી ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. કોઈ પણ ભારતીય ખેલાડી સાથે મિત્રતા રાખવાથી કંઈ આઈપીએલમાં એન્ટ્રી મળી જતી નથી,’ એમ લક્ષ્મણે વધુમાં જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે કોહલીની આગેવાની હેઠળની ટીમ 2018-19માં ઓસ્ટ્રેલિયામાં પહેલી જ વાર ટેસ્ટ શ્રેણી વિજય હાંસલ કરનાર ભારતીય ટીમ બની હતી. 1947ની સાલ બાદ પહેલી જ વાર ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં પરાજય આપ્યો હતો. એ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમનો કેપ્ટન હતો ટીમ પેન. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ચાર મેચોની શ્રેણીમાં 2-1થી પરાજય આપ્યો હતો.

લક્ષ્મણે કહ્યું કે, ‘આઈપીએલની દરેક ટીમ ખેલાડીની ક્ષમતાને મહત્ત્વ આપે છે તેમજ એને સામેલ કરવાથી ટીમનું મૂલ્ય કેટલું વધે છે એ જુએ છે.’

‘ખેલાડીઓને એમની કાબેલિયત અનુસાર જ આઈપીએલના કોન્ટ્રાક્ટ મળે છે. તેથી તમે કોઈની સાથે સારા સંબંધો રાખો એટલે આઈપીએલમાં રમવા મળી જાય એવું નથી,’ એમ લક્ષ્મણે કહ્યું છે.

ટીમ પેને પણ માઈકલ ક્લાર્કના આ દાવાને નકારી કાઢ્યો છે. પેને કહ્યું કે, ‘2018-19ની સિરીઝમાં અમારા ખેલાડીઓ કોહલીની ખુશામત કરતા હોય કે એને આઉટ કરવાનું ટાળતા હોય કે એવી બીજી હરકતો કરતા હોય એવું મને તો જરાય લાગ્યું નહોતું. હું તો એટલું જ જાણું છું કે ઓસ્ટ્રેલિયાનો દરેક ખેલાડી એના હાથમાં જ્યારે બોલ કે બેટ આવે ત્યારે ટીમ માટે પોતાનો બેસ્ટ દેખાવ જ કરવા તત્પર રહેતો હોય છે.’