Home Blog Page 4555

કોવિડ સેન્ટરમાં સેવાના હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે

અમદાવાદઃ રાજ્યમાં માસ્ક નહીં પહેરતાં લોકો સામે ગુજરાત હાઇકોર્ટના કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. આ પહેલાં હાઈકોર્ટે રાજ્ય સરકારને આ માટે જાહેરનામું પાડવા આદેશ કર્યો હતો, જેની સામે રાજ્ય સરકારે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. જેથી સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના સમાજ સેવાના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ આદેશ ગેરવાજબી છે અને તેનાથી આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જોકે કોર્ટે કહ્યું હતું કે માસ્ક પહેરવો ફરજિયાત છે અને આદેશનો ભંગ કરનારને નિયમ મુજબ સજા થવી જોઈએ.

ગુજરાત હાઈકોર્ટના સામાજિક સેવાના આદેશ સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી. આ સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોરોના ગાઇડલાઇનનું રાજ્ય સરકાર સખતાઈથી પાલન કરાવે અને સરકારને ચાર સપ્તાહમાં કાઉન્ટર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપ્યો હતો આવો જવાબ

રાજ્યમાં કોરોના કેસોમાં ઉછાળો આવતાં ગુજરાત હાઈકોર્ટે સરકારને માસ્ક વગર ફરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા અને દંડ વસૂલવા ઉપરાંત તેમની પાસે કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવા કરાવવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટમાં ગુજરાત સરકારે એવો જવાબ રજૂ કર્યો હતો કે હાલમાં સરકાર કોવિડ સંક્રમણ નિવારવા માટે કામ કરી રહી છે અને તેઓ માસ્ક વગર ફરતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવા કરાવવા માટે અસહાય છે.

 

 

 

LPG-સિલિન્ડર 50-રૂપિયા મોંઘું થયું; આમઆદમીના બજેટને ફટકો

મુંબઈઃ કેન્દ્ર સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડિસેમ્બર મહિના માટે રાંધણ ગેસ (એલપીજી) સિલન્ડરની કિંમત જાહેર કરી છે. ગયા ઓગસ્ટથી સપ્ટેમ્બરના સતત ત્રણ મહિના સુધી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નહોતો, પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં વ્યાવસાયિક ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરાયો હતો. હવે ડિસેમ્બરમાં ઓઈલ કંપનીઓએ સબસિડી-વગરના 14.2 કિલોગ્રામ વજનના ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.

આઈઓસી કંપનીના જણાવ્યા મુજબ, 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. 594થી વધીને હવે રૂ. 644 કરવામાં આવી છે. જ્યારે કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 56 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

મુંબઈમાં હવે સબસિડી વગરનું ગેસ સિલિન્ડર રૂ. 644માં મળશે. દિલ્હીમાં આનો ભાવ રૂ. 644, કોલકાતામાં રૂ. 670.50 અને ચેન્નાઈમાં રૂ. 660 છે. અમદાવાદમાં આ સિલિન્ડર હવે રૂ. 651માં મળશે. 19 કિલોગ્રામનું રાંધણ ગેસ સિલિન્ડર 55 રૂપિયા મોંઘું થયું છે. મુંબઈમાં તે હવે રૂ. 1,244માં મળશે.

કોરોનાના કેસોની સંખ્યા 95 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 95 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 35,551 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 526 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 95,34,964 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,38,648 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 89,73,373 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 40,726 દર્દીઓ સ્વસ્થ થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,22,943એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.94 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

સુરતમાં 1508 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

કોરોના મામલે સુરતની હાલત ખૂબ ગંભીર છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ રોકવા તંત્ર પગલા લઇ રહી છે છતાં પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં જ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે. અઠવા વિસ્તારમાં 327 કન્ટેનમેન્ટ ઝોન બન્યા છે. જ્યારે રાંદેર વિસ્તારમાં 385 કન્ટેનમેન્ટ ઝોન થયા છે. દિવાળી સમયે સુરતમાં 830 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા, જે વધી ને 1508 થયા છે. કતારગામમાં 205 કન્ટેનમેન્ટ ઝોન છે તો લીંબાયતમાં 195 કન્ટેનમેન્ટ ઝોન છે. વરાછા એ ઝોનમાં 160 છે, જ્યારે વરાછા બી ઝોનમાં 68 કન્ટેનમેન્ટ ઝોન છે અને ઉધનામાં 81 કન્ટેનમેન્ટ ઝોન છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

ઘણા ભારતીયો કોરોના-રસી લેવા બ્રિટન જવા આતુર

નવી દિલ્હીઃ બ્રિટિશ સરકાર દ્વારા ગઈ કાલે કોવિડ-19ની રસીને મંજૂરી અપાયા પછી અનેક ભારતીયોએ યુકે જઈ રસી પ્રાપ્ત કરવા માટે ટ્રાવેલ એજન્ટોને ત્યાં પૂછપરછ શરૂ કરી હતી. એક ટ્રાવેલ એજન્ટ તો એ ભારતીયો માટે ત્રણ-રાત્રિનું પેકેજ શરૂ કરવા માટે આયોજન કરી રહ્યો છે. જે ભારતીયો બ્રિટનમાં મોટા પાયે શરૂ થયેલા રસીકરણનો લાભ લેવા ઇચ્છે છે, તેમના માટે આવતા સપ્તાહે પેકેજ શરૂ થવાની સંભાવના છે. યુકે બુધવારે ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાઇરસની રસીને મંજૂરી આપનારો પહેલો દેશ બની ગયો છે.

મુંબઈના એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું હતું કે બુધવારે કેટલાક લોકોએ કોવિડ-19ની રસી પ્રાપ્ત કરવા માટે યુકેમાં આ રસી ક્યારે અને કેવી રીતે મળશે એ અંગે સવાલો કર્યા હતા. મેં તેમને જણાવ્યું હતું કે રસી કઈ રીતે પ્રાપ્ત થશે એ વિશે કંઈ પણ કહેવું અત્યારે વહેલું હશે. આમ તો રસી મેળવવાની લાઇનમાં સૌથી પહેલાં સિનિયર સિટિઝનો અને હેલ્થ વર્કર્સ હશે, જે કોરોના વાઇરસ સામે સૌથી વધુ અસલામત છે, એમ એજન્ટે કહ્યું હતું.

EaseMyTrip.comના સહસંસ્થાપક અને સીઈઓ નિશાંત પિટ્ટીએ પણ કહ્યું હતું કે લંડનના પ્રવાસ માટે હાલ ઓફબીટ સીઝન છે. બુધવારે ફાઇઝરની રસી વિષે ઘોષણા થયા પછી તેમને યુકેના વિઝા ધરાવતા કેટલાક ભારતીયોએ સવાલો કર્યા હતા. તેમની કંપની બ્રિટન સરકારથી સ્પષ્ટતા માટે રાહ જોઈ રહી છે કે શું એ પ્રવાસીઓને રસીકરણ કરવા ઇચ્છે કે નહીં, જે ભારતીય પાસપોર્ટધારક રસી માટે પાત્ર છે કે નહીં. તેમની કંપની પણ માત્ર રસીના ઉદ્દેશથી યુકે જવા ઇચ્છતા લોકો માટે ત્રણ-રાત્રિનું પેકેજ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

 

 

 

 

મહારાષ્ટ્રમાં રહેણાંક કોલોનીઓના જાતિ-આધારિત નામો બદલવામાં આવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં જે રહેણાંક કોલોનીઓનાં નામ જાતિ-આધારિત હશે એ તમામને બદલવા માટેના એક પ્રસ્તાવને રાજ્યના પ્રધાનમંડળે ગઈ કાલે પાસ કરી દીધો છે. કેબિનેટ પ્રધાન અસલમ શેખે કહ્યું કે આ બધી જાતિ-આધારિત રહેણાંક કોલોનીઓ બ્રિટિશ હકૂમતના સમયમાં સ્થાપવામાં આવી હતી, જેનો ઈરાદો લોકોમાં ભાગલા પડાવવાનો હતો. તેથી હવે એવું નક્કી કરાયું છે કે એવી કોલોનીઓનાં નામ બદલવા અને દેશ માટે જેમણે સમાજસેવા કરી હોય એવી વ્યક્તિઓના નામ આપવા.

મહાર-વાડા, બૌદ્ધ-વાડા, માંગ-વાડા, ઢોર-બસ્તી, બ્રાહ્મણ-વાડા, માલી-ગલી જેવા નામો સામાન્ય રીતે અપાયા છે, પણ મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં તે જરૂરી નથી. આવા નામ પરથી સામાન્ય રીતે માલૂમ પડે છે કે એક ચોક્કસ સમાજનાં લોકો આ મોહલ્લામાં રહે છે, એમ મુખ્ય પ્રધાનના કાર્યાલયમાંથી બહાર પાડવામાં આવેલી અખબારીમાં યાદીમાં જણાવાયું છે.

આ મોહલ્લાઓના નામ બદલવાનો નિર્ણય સામાજિક એખલાસ તથા રાષ્ટ્રીય એકતા જાળવવા માટે લેવામાં આવ્યો છે. આવી રહેણાંક કોલોનીઓને નવા નામો અપાશે, જેમ કે, સમતા નગર, ભીમ નગર, જ્યોતિ નગર, શાહૂ નગર, ક્રાંતિ નગર વગેરે.

સુવિચાર – ૩ ડિસેમ્બર, ૨૦૨૦

સુવિચાર – ૩ ડિસેમ્બર, ૨૦૨૦

૩ ડિસેમ્બર ૨૦૨૦

૩ ડિસેમ્બર ૨૦૨૦

સદાબહાર દેવઆનંદ

હિન્દી ફિલ્મોના રોમેન્ટિક સ્ટાર દેવ આનંદની આજે નવમી પુણ્યતિથિ. ૩ ડીસેમ્બર, ૨૦૧૧ના રોજ લંડનમાં હેલ્થ ચેક-અપ માટે ગયેલા દેવસાહેબ ૮૮ વર્ષની ઉંમરે, રાત્રે ઊંઘમાં જ આ જગતને અલવિદા કહી ગયા હતા. એ માનતા કે લગ્ન અને મૃત્યુ એકદમ અંગત બાબતો છે માટે બન્ને ખાનગી રહેવા જોઈએ.

ધર્મદેવ આનંદ નામે ૨૬ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ સાકરગઢ, ગુરદાસપુર, પંજાબમાં તેમનો જન્મ. ફિલ્મ નિર્માતા, અભિનેતા, લેખક, દિગ્દર્શક અને સૌથી વધુ તો પ્રેક્ષકોના દિલની ધડકન હતા એ. મોટાભાઈ ચેતન આનંદ સાથે તેમણે છેક ૧૯૪૯માં નવકેતન ફિલ્મ્સની સ્થાપના કરી હતી. લાહોરમાં અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. થયા હતા.‘ટેક્સી ડ્રાઈવર’ ફિલ્મના નિર્માણ દરમ્યાન ખાનગીમાં અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન પણ કર્યા હતા. એમના બે સંતાનો એટલે સુનીલ આનંદ અને દેવીના આનંદ.

ભારત સરકારે તેમને ૨૦૦૧ના વર્ષમાં પદ્મભૂષણ અને ૨૦૦૨માં શ્રેષ્ઠ સિનેસન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ૬૫થી વધુ વર્ષની કરિયરમાં તેમણે ૧૧૪ ફિલ્મમાં અભિનય કર્યો અને તેમાંની ૯૨ ફિલ્મમાં તો એ સોલો લીડ હીરો હતા!

ચાલીસના દાયકાના આરંભમાં ફિલ્મોમાં કામ કરવા માટે દેવ મુંબઈ આવ્યા અને ચર્ચગેટની સેન્સર્સ ઓફિસમાં કામ કરીને શરૂઆત કરી. ત્યારે તેમને માસિક રૂ. ૧૬૫નો પગાર મળતો હતો. નાટ્યસંસ્થા ઇપ્ટા સાથે જોડાયા બાદ અશોક કુમારની ‘અછૂતકન્યા’ અને ‘કિસ્મત ’ફિલ્મ જોઈને તેમને ફિલ્મ અભિનેતા બનવાનો શોખ જાગ્યો.

દેવ આનંદ હંમેશા જે ફિલ્મો દ્વારા યાદ રહેશે તેમાં ઝીદ્દી, અફસર, સઝા, બાઝી, જાલ, પતિતા, ટેક્સી ડ્રાઈવર, મુનીમજી, ઘર નંબર ૪૪, ફંટૂશ, સી.આઈ.ડી., પેઈંગ ગેસ્ટ, નૌ દો ગ્યારાહ, સોલવા સાલ, કાલા પાની, અમરદીપ, લવમેરેજ, કાલાબઝાર, બમ્બઈ કા બાબૂ, જબ પ્યાર કિસી સે હોતા હૈ, હમ દોનોં, બાત એક રાત કી, અસલી નકલી, તેરે ઘર કે સામને, તીન દેવીયાં, ગાઈડ, જ્વેલથીફ, પ્રેમ પૂજારી, જ્હોની મેરા નામ, ગેમ્બલર જેવી ફિલ્મોને યાદ કરી શકાય.

(નરેશ કાપડીઆ-સુરત)

રાશિ ભવિષ્ય 03/12/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

દિવસે હાયેના જોવું હોય તો અહીં જવું પડે…

ગુજરાતમાં જંગલની વાત આવે તો બધાને ગીર કે સાસણગીર જ યાદ આવે. પણ એક “હીડન જેમ” જેવું “બ્લેકબક નેશનલ પાર્ક-વેળાવદર” હજી મોટાભાગના લોકોને ધ્યાનમા નથી. આ કારણે જ એને “હીડન જેમ” એવું કહ્યું.

અમદાવાદથી અઢી કલાક, વડોદરા,આણંદ અને નડીયાદથી 3 કલાક અને રાજકોટથી 4કલાકના અંતરે આવેલ એક માત્ર સવાના ગ્રાસ લેન્ડ વાળો નાનકડો નેશનલ પાર્ક એટલે “બ્લેકબક નેશનલ પાર્ક-વેળાવદર”.

જો કોઇને દિવસના સમયે ઝરખ કે હાયેના(Hyena) સરળતાથી જોવુ હોય તો અહીં આવવુ જ પડે અને 2-4 સફારી કરો અને ભાગ્ય હોય તો મળી જાય. ટીવીમાં ડીસ્કવરી કે નેટજીઓની વિવિધ ચેનલમાં બધાએ આફ્રીકાના હાયેના(Hyena) વિશે ઘણું બધુ જાણ્યુ હોય છે, એટલે હાયેના(Hyena)ની એક ચોક્કસ છબી બધાના મનમાં હોય છે, પણ એ સ્પોટેડ હાયેના(Hyena) છે અને ભારતમાં છે તે સ્ટ્રાઇપડ હાયેના(Hyena) છે.

બન્ને મુળ “સ્કેવેન્જર” જંગલની સફાઇના એર્સપર્ટ, પણ બન્ને માં બહુ ફર્ક છે, સ્પોટેડ હાયેના (Hyena) ગ્રુપમાં રહે જ્યારે સ્ટ્રાઇપડ હાયેના (Hyena) પેરમાં (બે) રહે છે. આવી તો અનેક અલગતા અને વિશેષતા છે બન્ને હાયેના(Hyena) માં જોવા મળે છે. થોડા વર્ષ પહેલા પરિવાર સાથે “બ્લેકબક નેશનલ પાર્ક-વેલાવદર” માં સફારી કરતા બ્લેકબકના અડધા શરીર વાળા શિકાર સાથે સ્ટ્રાઇપડ હાયેના (Hyena)નો આ ફોટો મળ્યો. 

(શ્રીનાથ શાહ)