Home Blog Page 4479

એનપીઆરના નિયમોને લઈને લોકોનો ભ્રમ દૂર કરવા સરકારની મથામણ

નવી દિલ્હી: રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને લઈને ચાલી રહેલા તમામ વિવાદો વચ્ચે ગૃહ મંત્રાલય તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ અંગે નિયમોને લઈને ગૃહમંત્રાલયે અનેક માહિતી જાહેર કરી છે. સરકારે લોકોનો ભ્રમ દૂર કરવા કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર તમામ ભારતીય નિવાસીઓની ઓળખનો એક ડેટાબેઝ છે. આ ડેટાબેઝની ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયુક્ત દ્વારા જાળવણી કરવામાં આવે છે. ભારતના દરેક સામાન્ય નિવાસી માટે એનપીઆરમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કોઈપણ વ્યક્તિ જે 6 મહિના કે તેનાથી વધારે સમયથી કોઈ પણ વિસ્તારમાં રહેતો હોય તો તેમણે નાગરિક રજિસ્ટરમાં રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે. આવો જાણીએ આ નિયમોમાં સરકાર તરફથી કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે.

એનપીઆરમાં શું ફેરફાર થયા:

  • એનપીઆરમાંથી પેન નંબરની કોલમ હટાવી દેવામાં આવી
  • ટ્રાયલ દરમ્યાન 30 લાખ લોકોના ફિડબેક પછી આ કોલમ દૂર કરવામાં આવી
  • નવા એનપીઆર ફોર્મમાં માતૃભાષાની માહિતી ઉમેરવામાં આવી
  • નવા ફોર્મમાં 21 જૂદી જૂદી માહિતીઓની માંગ
  • 2010, 2015માં કુલ 14 પ્રકારની માહિતી માંગવામાં આવી હતી
  • માતા પિતાનું જન્મ સ્થાન, જૂનુ એડ્રેસ વગેરે માહિતી
  • આધારની માહિતી આપવી મરજીયાત રહેશે
  • ચૂંટણી કાર્ડ, મોબાઈલ નંબર, ડ્રાઈવિંગ લાઈસન્સની માહિતી
  • આંકડા એક્ત્ર કરનારા કોઈ દસ્તાવેજો માંગવામાં નહીં આવે
  • 2010માં પ્રથમ વખત ડેટા કલેક્શન કરવામાં આવ્યું અને 2015માં તેને અપડેટ કરવામાં આવ્યું.
  • પશ્ચિમ બંગાળ, કેરળનો ડેટા અપડેટથી ઈનકાર
  • લડાખ, પુડુચ્ચેરી, તેલંગાણા, આંધ્રપ્રદેશે પણ એનપીઆર અપડેટની તારીખ નક્કી નથી કરી

 

નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનો શું થશે ફાયદો?

સરકારી યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો યોગ્ય વયક્તિ સુધી પહોંચે અને વ્યક્તિની સાચી ઓળખ કરી શકાય.

સોશિયો ઈકોનોમિક કાસ્ટ સેન્સસ (SECC) એનપીઆર ડેટા પર આધારિત છે, જેન પાછળથી જૂદા જૂદા પ્રકારના લાભાર્થીઓ નક્કી કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયુષ્યમાન ભારત, જન ધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, સૌભાગ્યા વગેરે યોજનાઓના યોગ્ય અમલીકરણમાં એનપીઆર ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એનપીઆર જૂદી જૂદી સરકારી યોજનાઓ/કાર્યક્રમો હેઠલ લાભના વિતરણ તંત્રને યોગ્ય બનાવવામાં મદદ કરશે.

એનપીઆરનો ઉદેશ્ય

ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ અને એન્ડ સેન્સસ કમિશ્નરની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ એનપીઆરનો ઉદેશ્ય દેશમાં દરેક સામાન્ય રહેવાસીની એક વ્યાપક ઓળખ ડેટાબેઝ તૈયાર કરવાનો છે.

 

કેવી રીતે થઈ એનપીઆરની શરુઆત?

યુપીએ સરકારે વર્ષ 2010માં એનપીઆર બનાવવાની પહેલ શરુ કરી હતી. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર માટે 2011ની વસ્તીગણતરી પહેલા 2010માં ડેટા એક્ત્ર કરી લેવામાં આવ્યા હતાં. આ ડેટાને ઘરે ઘરે જઈને સર્વે કરીને 2015માં અપડેટ કરવામાં આવ્યા હતા.

આવતી કાલે એએમસીનું ડ્રાફ્ટ બજેટઃ શેના પર અપાશે ધ્યાન?

અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આ બજેટ કોઈપણ કરવેરાના વધારા વગરનું રહી શકે છે. વિકાસલક્ષી પ્રોજેક્ટ પર પણ ભાર મૂકવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે લોકો ઝઝુમી રહ્યા છે. એકતરફ બીઆરટીએસના કારણે પહોળા રોડ સાંકળા થઈ ગયા છે, ઠેર-ઠેર ટ્રાફીક જામ થતા લોટો અટવાય છે, રોડ પર રખડતા ઢોરનો ત્રાસ છે, ખાડા વાળા રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, ચોમાસામાં પાણી ભરાઈ જવા સહિતની અનેક પ્રકારની સમસ્યાઓ શહેરમાં રોજિંદી બની ગઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે એએમસી દ્વારા શહેરીજનોની મૂળભૂત સમસ્યાઓ પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.  

ક્રેડિટ-ડેેબિટ કાર્ડની સુરક્ષા વધારવા આરબીઆઈના નવા નિયમો

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અંગે નવા નિયમો રજૂ કર્યા છે. આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે ભારતમાં કાર્ડ ઈશ્યૂ કરતા સમયે એટીએમ અને પીએસઓ ઉપર માત્ર ડોમેસ્ટિક કાર્ડના ઉપયોગની જ મંજૂરી આપે. આરબીઆઈ તરફથી આવેલા નિવેદન પ્રમાણે આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે અલગથી મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઓનલાઈન લેવદદેવડ, કાર્ડ નહીં હોવાથી લેવડદેવડ અને કોન્ટેક્ટલેસ લેવડદેવડ માટે ગ્રાહકોએ પોતાના કાર્ડ ઉપર સેવાઓ અલગથી સેટ કરાવી પડશે.

15 મી જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કાર્ડનો વપરાશકાર પોતાની મેળે જ ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો કયા કયા હેતુ માટે ઉપયોગ કરવાનું નક્કી કરી શકે અને તે પ્રમાણે કાર્ડને તે પોતે જ ડિસેબલ કે અનેબલ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે.

પોઈન્ટ ઓફ સેલ પર રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના વપરાશની મર્યાદા કેટલી રાખવી અને તેમાં વધારો કે ઘટાડો કાર્ડધારક પોતે જ કરી શકે તેવી વ્યવસ્થા દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવે ત્યારે તેને પોઈન્ટ સેલ અથવા તો પછી એ.ટી.એમ ખાતે જ ચાલી શકે તેવી વ્યવસ્થા સાથેના કાર્ડ પણ ઈશ્યૂ કરવાની સૂચના રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવી છે.

તો આ સાથે જ માત્ર ભારતમાં જ તેનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા પણ તેની સાથે જ કરી દેવાની રહેશે. પરિણામે હવે પછી જે કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે તે પોઈન્ટ ઓફ સેલ અથવા તો એ.ટી.એમમાં જ વાપરી શકાશે. આ સિવાયના હેતુ માટે કાર્ડનો ઉપયોગ થઈ શકશે જ નહી. ત્યારબાદ આ કાર્ડનો ઉપયોગ ઓનલાઈન અથવા તો કોન્ટેક્ટ લેસ ટ્રાન્ઝેક્શન કરવા માટે ઉપયોગ કરી શકાશે જ નહી. કાર્ડધારક જ તેને અન્ય વપરાશ માટે અનેબલ અથવા તો ડિસેબલ કરી શકશે.

ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ માટેની નવી સિસ્ટમમાં કાર્ડનો વપરાશકાર તેના કાર્ડના વપરાશને સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરી શકે તેવી વ્યવસ્થા પણ દાખલ કરી દેવામાં આવે તેવો આદેશ તમામ બેંકોને આપી દેવામાં આવ્યો છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને વધુ સલામત બનાવવા માટે આ વ્યવસ્થા દાખલ કરવામાં આવી રહી છે.

આરંભમાં એટીએમ કે પીઓએસ ખાતે જ વપરાશ થાય તેવી સુવિધાવાળા ક્રેડિટ-ડેબિટકાર્ડ ઈશ્યૂ કરવાના રહેશે. તેના વપરાશના અન્ય હેતુ નક્કી કરવાની સત્તા પોતે કાર્ડ હોલ્ડરને જ આપવી પડશે. કાર્ડ ઈશ્યૂ કરનારી બેંક કે પછી નાણા સંસ્થાએ કાર્ડધારકને તેના ટ્રાન્ઝેક્શન નક્કી કરવાની સુવિધા જાતે જ ઉભી કરીલે તેવી વ્યવસ્થા આપવાની રહેશે.

તો આ સાથે જ તેની ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારવાની કે ઘટાડવાની પણ કાર્ડધારકને જ છૂટ આપવાની રહેશે. તેમ જ તેની સુવિધાને જાતે ચાલુ કે બંધ કરવાની સગવડ પણ આપવાની રહેશે.

આગામી સોળમી માર્ચ 2020 થી નવી વ્યવસ્થા અમલમાં આવશે. રિઝર્વ બેંક દ્વારા આ અંગે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા થોડા વર્ષોમાં કાર્ડ થકી થતા વ્યવહારોના મૂલ્યમાં અનેકગણો વધારો થયો છે.

હજી પાંચ દિવસ પડશે હાડ થીજવતી ઠંડીઃ હવામાન ખાતાની આગાહી

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીએ માઝા મુકી છે. સમગ્ર રાજ્યમાં ઠંડા પવનો ફરી વળતા કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ઠંડી પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૬ ડિગ્રી નોંધાઈ છે. જ્યારે અમદાવાદ ૯ ડિગ્રી અને પાટનગર ગાંધીનગર ૭.૭ ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠયાં હતા. દરિયાકાંઠા વિસ્તારમાં સામાન્ય રીતે ઓછી ઠંડી અનુભવાઈ પણ આજે પોરબંદર, વેરાવળ, દીવમાં પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

ઉત્તરાયણ પહેલાં આકાશ વાદળ આચ્છાદિત બન્યું હતું. જો કે હવામાન ખાતાએ જાહેર કર્યું હતું કે ઉત્તરાયણના દિવસે વાદળો હટી જશે અને કડકડતી ઠંડીનો દોર ચાલુ થશે તે મુજબ થયું છે. ઉત્તરાયણથી ઠંડી શરૂ થઈ હતી અને લઘુતમ તાપમાન ગગડતું ગયું. આજે અમદાવાદનું તાપમાન ઘટીને ૯ ડિગ્રી થતાં લોકો ધ્રુજી ઉઠયાં હતા. મહત્તમ તાપમાન પણ માત્ર ૨૫.૩ ડિગ્રી રહેતા સૂર્યપ્રકાશમાં રહેવાનું લોકોએ પસંદ કર્યું હતું.

આખો દિવસ ઠંડકના કારણે લોકોને ગરમ કપડાંમાં લપેટાયેલા રહેવાની ફરજ પડી હતી. ટુ વ્હીલરચાલકોએ હેલ્મેટની સાથે સાથે કાન અને મોં વાટે ઠંડી પ્રવેશે નહીં તે માટે મફલર અને રૂમાલ વીંટાળ્યા હતા. પાટનગર ગાંધીનગરમાં ૭.૭ ડિગ્રી ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર જવાનું ટાળ્યું હતું. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે. તેમાં પણ આગામી ૪૮ કલાક સુધી વર્તમાન તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઉંચકાઈ શકે છે.

ઓડિશામાં મુંબઈ-ભૂવનેશ્વર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી

કટક – ઓડિશા રાજ્યના કટક શહેરના સ્ટેશન નજીક નરગુંડી સ્ટેશન પાસે આજે સવારે મુંબઈ-ભૂવનેશ્વર વચ્ચે દોડતી લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન ખડી પડતાં 20 જેટલા પ્રવાસીઓને ઈજા થઈ છે. તમામ પ્રવાસીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ભયમુક્ત હોવાનો અહેવાલ છે.

આ દુર્ઘટના ગાઢ ધૂમ્મસને કારણે થઈ હોવાનું કહેવાય છે. દુર્ઘટના કટક શહેરથી 15 કિ.મી. દૂરના સ્થળે થઈ હતી.

સવારે 7 વાગ્યે નરગુંડી સ્ટેશન નજીક લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન એક ગૂડ્સ ટ્રેનની ગાર્ડ વાન સાથે અથડાતાં એક્સપ્રેસ ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઈસ્ટ કોસ્ટ રેલવે હેલ્પલાઈન નંબર છેઃ 1072.

UNSCમાં પાકિસ્તાને ફરી કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, નિષ્ફળ ગયું

ન્યૂયોર્ક – પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રો સુરક્ષા પરિષદ (UNSC)માં કશ્મીરનો મુદ્દો ફરી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચીન સિવાય કોઈ દેશે એને ટેકો ન આપતાં એને નિષ્ફળતા મળી હતી.

આ હરકત બદલ ભારતે પાકિસ્તાનની સખત ઝાટકણી કાઢી છે.

સંયુક્ત રાષ્ટ્રો (UN) સંસ્થા ખાતેના કાયમી ભારતીય પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે પાકિસ્તાને આની કરતાં ભારત સાથે સંબંધો સુધારવા માટેનું કામ કરવું જોઈએ.

પાકિસ્તાને સુરક્ષા પરિષદમાં કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે એકમાત્ર ચીને જ એને ટેકો આપ્યો હતો. ચીન આ મામલે કાયમ પાકિસ્તાનની સાથે રહ્યું છે.

પરંતુ, પરિષદના સભ્યોએ પાકિસ્તાનને ચોખ્ખી કહી દીધું કે, ‘કશ્મીરનો મામલો એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે.’

સૈયદ અકબરુદ્દીન

બુધવારે, સિક્યુરિટી કાઉન્સિલ કન્સલ્ટેશન્સ રૂમમાં બંધબારણે યોજાઈ ગયેલી બેઠકમાં ચીને ‘અન્ય બાબતો’ હેઠળ કશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

એક ટોચના યુરોપીયન રાજદૂતે કહ્યું હતું કે કશ્મીરનો મામલો ભારત અને પાકિસ્તાને આપસમાં જ ઉકેલવો જોઈએ અને આ એક ઘરેલુ મામલો છે.

30 વર્ષમાં ઈન્ટરનેટે આવી રીતે સરળ બનાવી આપણી જિંદગી!!

જે લોકો સમયનું મહત્વ જાણે છે તેઓ કાયમ કહેતા આવ્યા છે કે, એક મિનિટ એટલે કે, ફક્ત 60 સેકન્ડ પણ કેટલી કિંમતી હોય છે. તમે આ ક્યારેક અનુભવ્યું પણ હશે. જેમ કે, એક મિનિટમાં બસ, ટ્રેન, પ્લેનમાં બેસવાનું ચૂકી જાઓ છો ત્યારે. આ સિવાય ઘણાં કિસ્સામાં આવું બનતું હોય છે. આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટની વાત કરીએ તો, 1 મિનિટમાં ઈન્ટરનેટની દુનિયામાં કેટકેટલું બની જતું હોય છે, અપલોડ્સ, ઈ મેઈલ, મેસેજિસ, વેબ સાઈટ જોવી, આવી કેટ કેટલી પ્રવૃત્તીઓ એક મિનિટમાં બની જતી હોય છે.

ઓફિસથી ઘરે જવામાં મોડુ થયું હોય અને તેમ બસ કે ટ્રેનમાં મુસાફરી નથી કરવા ઈચ્છતા તો બસ તમારા સ્માર્ટફોનમાં રહેલી એપની મદદથી ટેક્સી બોલાવી લો….

ઘરે જમવાનું બનાવવાની ઈચ્છા નથી? તો પરેશાન થવાની જરુર નથી. બસ તમારા સ્માર્ટફોન પર આંગળીઓ ફેરવો અને તમારુ મનભાવતું ભોજન તમારા ઘરે ડિલિવરી થઈ જશે…..

ટ્રાવેલિંગમાં કંટાળો આવી રહ્યો છે? તમારો સ્માર્ટ ફોન ઉઠાવો અને જુઓ નવી સીરીઝ, જેની આજકાલ દરેક જગ્યાએ ચર્ચા છે….

 

હવે આપણે આપણા ફોન સાથે કનેક્ટેડ રહેવા ઉપરાંત પણ ઘણા બધા કામો માટે ઉપયોગ કરીએ છીએ અને આ બધું શક્ય બન્યું છે ઈન્ટરનેટના કારણે. માર્કેટિંગ પ્રોફેશનલ સુદર્શન સેનગુપ્તાનું કહે છે કે, મારી મોટાભાગની જરૂરીયાતોને પૂર્ણ કરવા માત્ર મારો સ્માર્ટફોન જ કાફી છે. ઓનલાઈન શોપિંગ હોય, ટ્રાવેલ બુકિંગ હોય, કોઈ માહિતી મેળવવી હોય, કે પછી એ બધુ જેની મેં કલ્પના કરી હોય એ તમામ વસ્તુઓ માટે મારા ફોનનો ઉપયોગ કરું છું. ઈન્ટરનેટે ખરેખર ફોનની સંભાવનાઓને નવા સ્તરેથી પરિભાષિત કરી છે. પછી એ મનોરંજન હોય, હરતા ફરતા ઈમેલ ચેક કરવા હોય, કે પછી તમે કોઈ પણ વસ્તુની જાણકારી મેળવવા માગતા હોવ, ઈન્ટરનેટની સુવીધા વાળો સ્માર્ટફોન આજના જમાનાનું એક શક્તિશાળી યંત્ર બની ગયું છે.

સતત બદલાતી રહેતી ઈન્ટરનેટની દુનિયાની સાથે તાલમેલ મેળવવા માટે ટેલીકોમ કંપનીઓ પણ તેમના નેટવર્કમાં સતત ફેરફાર કરી રહી છે. જેમકે, અત્યારે ભારતમાં 4જી ઈન્ટરનેટના કારણે મોબાઈલ ફોન ઉપયોગની તમામ સીમાઓ પાર થઈ ગઈ છે. તમે ચાલુ ટ્રેનમાં ભીડભાડ વચ્ચે એચડી વિડિયો સ્ટ્રીમિંગ કરી શકો છો. ટુંકમાં મોબાઈલમાં ઈન્ટરનેટની મદદથી તમે આ બધુ એકદમ સરળતાથી કરી શકો છો.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિવેક તેઝુઝા, જેમના ટ્વિટર પર 26 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે, એ કહે છે કે, મને દરેક સમયે મારા ફોલોઅર્સ સાથે જોડાયેલુ રહેવું પસંદ છે. ખાસ કરીને જ્યારે હું ટ્રાવેલિંગ કરું છું ત્યારે.

ઈન્ટરનેટે ટ્રાવેલિંગ વગર પણ આપણા માટે એવા અનેક દરવાજા ખોલ્યા છે જ્યાં આપણે ઘણુ બધુ કરી શકીએ છીએ. આજે તમે જ્યાં ફરવા જવા માગતા હોવ ત્યાં જતાં પહેલા જ સરળતાથી એ સ્થળની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો. જો તમને કોઈ ટ્રિપ દરમ્યાન એડવેન્ચરનો મૂડ બની જાય અને તમારા ફોનમાં ઈન્ટરનેટ હોય તો સમજી લો કે વાત બની ગઈ. ઈન્ટરનેટને કારણે ગ્લોબલ ટૂરિઝમને પણ વેગ મળ્યો છે.  ઈન્ટરનેટ હવે આપણી લાઈફસ્ટાઈલનો એક મહત્વનો હિસ્સો બની ચૂક્યું છે. જોવાનું રહેશે કે, આગામી 30 વર્ષોમાં આ ઈન્ટરનેટ આપણે કયાં લઈ જશે!

રાશિ ભવિષ્ય 16/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમા વ્યસતા વધુ રહે તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમા જવાના યોગ છે તેમા જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમા ના આવી જવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમા મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારુ સારુ પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનુ આયોજન થઈ શકે છે,

મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય કહી શકાય,


આજનો દિવસ તકેદારી અને સાવચેતીસૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમા રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવુ અગત્યનુ છે, ખટપટથી દુર રહેવુ ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચન ના આપવી, વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામા આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કોઈ કામ કરોતો તેમા તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવુ બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમા નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિકકામકાજ અર્થે પ્રવાસનુ આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારો ઉત્સાહ જોવા મળે, વેપારમા નાનુ કામકાજ કરવુ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, ઘરકે ઓફીસમા વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી,કોઈની સાથે વધુ દલીલબાજી ના કરવી, વેપારમા જોખમ ભર્યા કામ ન કરવા, જીવનસાથી સાથે ઉગ્રતા ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયવ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે અને તેને કારણે થોડી માનસિકઅશાંતિ જેવુ રહે, વાણીવર્તણુકમા ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવુ પડે તેનુ ધ્યાન રાખવુ, વેપારમા નાનુ કામ અનુભવના આધારેજ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરતુ કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમા પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમા થોડો અસતોષ રહે, વેપારમા જોખમભર્યા કામ ન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવુ બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમા સારુ પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે, કામમા ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવુ શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવુ, આરોગ્યબાબતે થોડુ સાચવવુ, વેપારમા જોખમ ન કરવુ, માર્કેટિંગક્ષેત્રમા થોડી મહેનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ વધુ સારુ.


આજનો દિવસ સારો છે, તમારામા ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવુ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામકાજ કરવાથી  સારુ ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમા લાભ થઈ શકે છે.