મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને બ્લેકમેલ કરવા અને લાંચ આપવાનો કથિતપણે પ્રયાસ કરવા બદલ મહિલા અનિક્ષા જયસિંઘાની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે એનાં પિતા અનિલ જયસિંઘાનીને પોલીસે ગુજરાતમાંથી પકડ્યો છે. અનિલ શકમંદ બુકી છે. એની સામે પોલીસના ચોપડે 14-15 કેસ નોંધાયા છે.
અનિક્ષા અનિલ જયસિંઘાની વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે. એક ક્રિમિનલ કેસમાં હસ્તક્ષેપ કરવા માટે એણે અમૃતા ફડણવીસને એક કરોડ રૂપિયાની લાંચ આપવાની કોશિશ કરી હોવાનો અને અમૃતાને ધમકી આપવાનો પણ એની પર આરોપ છે.
અનિલ જયસિંઘાની મુંબઈની પડોશના થાણે જિલ્લાના ઉલ્હાસનગરનો રહેવાસી છે. 2010માં એ નાના બુકી તરીકે જાણીતો હતો. સટ્ટાખોરી કરવાના ગુનાસર પોલીસે એની ધરપકડ પણ કરી હતી. એ મુંબઈના બ્લૂ બોય તરીકે જાણીતા એક પોલીસ અધિકારીનો નિકટનો સહયોગી હતો. તે અધિકારી કમિશનર બનતાં પોલીસ કમિશનર કાર્યાલયમાં અનિલની અવરજવર વધી ગઈ હતી. એટલું જ નહીં, 1995માં કોંગ્રેસ પાર્ટી વતી એ ઉલ્હાસનગર પાલિકા ચૂંટણી લડ્યો હતો. પરંતુ, બાદમાં 1997ની ચૂંટણીમાં એ હારી ગયો હતો. છેલ્લા 15 વર્ષથી અનિલ ફરાર રહીને ભૂગર્ભ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ ગુનાઓ કરતો રહ્યો છે.
કહેવાય છે કે અનિક્ષા જયસિંઘાનીએ અમૃતાને કહ્યું હતું કે તમે જાહેર કાર્યક્રમોમાં મારાં ડિઝાઈન કરેલાં વસ્ત્રો અને જ્વેલરી પહેરજો. એનાથી મારી બ્રાન્ડનું પ્રમોશન થશે. અમૃતા ફડણવીસ એ માટે તૈયાર થયાં હતાં. અમૃતાનો આરોપ છે કે અમુક સમય બાદ અનિક્ષાએ એનાં પિતા અનિલના એક ઓળખીતા સાથે મળીને મને ધમકી આપી હતી અને મારી વિરુદ્ધ એક ષડયંત્ર રચ્યું હતું. ફસામણી અને લાંચ આપવાના પ્રયત્નના કેસમાં અમૃતાએ ફરિયાદ કર્યાં બાદ અનિક્ષાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસને માલૂમ પડ્યું હતું કે અનિક્ષા કુખ્યાત બુકી અનિલની પુત્રી છે અને અનિલે જ આ પ્રકરણમાં એને મદદ કરી હતી. તેથી પોલીસ અનિલને પણ શોધતી હતી, પરંતુ એ ફરાર હતો. આખરે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની એક ટૂકડીએ બાતમી મળ્યા બાદ ગુજરાતમાં જઈને ગઈ મોડી રાતે એને પકડ્યો હતો અને એને મુંબઈ લાવી છે.
મુંબઈઃ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ હાલમાં જેલમાંથી ઇન્ટરવ્યુ આપતાં સલમાન ખાનને મારવાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે તે ચાર-પાંચ વર્ષોથી સલમાન ખાનને મારવા ઇચ્છે છે. હાલમાં સલમાન ખાનને ફરી ધમકી ભર્યો ઈમેઇલ આવ્યો છે, જેને પોલીસે ફરિયાદ નોંધી છે અને મુંબઈમાં તેના ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી છે. સલમાન ખાનને હવે કેનેડિયન ગેંગસ્ટર ગોલ્ડી બરાડના સાથી તરફથી ધમકીભર્યો મેઇલ મળ્યો છે. શનિવારે એ ઈમેઇલ સલમાન ખાનને મળ્યો છે, જેમાં લખ્યું છે કે ગોલ્ડી બરાડ તેની સાથે વાત કરવા ઇચ્છે છે. પોલીસે સલમાન ખાનના મેનેજરની ફરિયાદ પર ગોલ્ડી બરાર અને લોરેન્સની સામે મામલો નોંધી લીધો છે.
સલમાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને 18 માર્ચે મોહિત ગર્ગની IDથી ધમકી ભર્યો મેઇલ મોકલવામાં આવ્યો હતો. એ ઈમેઇલમાં લખ્યું છે કે ગોલ્ડી બરારને તારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. ઇન્ટરવ્યુ જોઈ લીધો હશે તેણે કદાચ, નહીં જોયો હોય તો કહી દઈશું જોઈ લેજે. મેટર બંધ કરવી હોય તો વાત કરાવી દેજો. ફેસ ટુ ફેસ કરાવવા હોય તો બતાવી દેજો. હજી સમય રહેતા જણાવી દીધું, આવતી વખતે આંચકો લાગશે.
એક્ટરે ધમકી મળ્યા પછી સલમાનની ટીમે તરત ઈમેઇલને લઈને ફરિયાદ કરી હતી. એક્ટર મેનેજરે ફરિયાદ પર ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈની સામે IPCની કલમ 120 (B),34 અને 506 (2) હેઠળ નોંધ્યો હતો અને ઘરની બહાર સુરક્ષા પણ વધારવામાં આવી છે. પોલીસ આ ઈમેઇલની તપાસ કરી રહી છે.
મુંબઈઃ બોલીવૂડ એક્ટર અને ડિરેક્ટર દીપક તિજોરીએ રૂ. 2.6 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. એક્ટરે મુંબઈ પોલીસને પરિયાદ કરતાં સહ-નિર્માતા મોહન નડાર પર આરોપ લગાવ્યો હતો કે ફિલ્મના લોકેશનને નામે તેમની સાથે છેતરપિંડી કરી છે. મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં 15 માર્ચે સહ-નિર્માતા મોહન નડારની સામે કેસ નોંધ્યો છે, જે એક થ્રિલર ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે તેમની સાથે સામેલ થયા હતા. પોલીસે એક્ટરના નિવેદનને આધારે મોહન ગોપાલ નડારની સામે IPCની કલમ 420 અને 406 હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.
એક્ટરે પોલીસને જણાવ્યું હતું કે નડારે લંડનમાં શૂટ લોકેશન માટે ઉપયોગ કરવાને બહાને તેમના નાણાં લીધાં હતાં, જે તેમણે હજી સુધી પરત નથી આપ્યાં. અંબોલી પોલીસના વરિષ્ઠ બંસોડે પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ એક્ટરે આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2019માં ટિપ્સી નામની ફિલ્મ માટે તેમણએ અને નડારે એક કોન્ટ્રેક્ટ પર હસ્તાક્ષર કર્યો હતો.
નડારે એ દરમ્યાન એક્ટર પાસેથી નાણાં લીધાં હતાં, જેને પરત માગતાં તેમણે એક્ટરને એક પછી એક ચેક તો આપ્યા હતા, પણ એ એ ચેક બાઉન્સ થઈ ગયા છે. એક્ટરના જણાવ્યા મુજબ તેમના આપેલાં નાણાં અત્યાર સુધી પરત નથી આપ્યા. હવે પોલીસ એક્ટરના નિવેદનની તપાસ કરી રહી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 917 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,96,338 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,30,806 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,59,182 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 479 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 6350એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 44,225 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.01 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.08 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.9 ટકા છે.
દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,96,044 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1246 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આંગણામાં ચકલીઓનો કલબલાટ સૌને ગમે, પરંતુ માનવજાતની બેદરકારી, ઉદાસીન વલણ અને બેફામ શહેરીકરણને કારણે આ નાનકડા પ્યારા પક્ષી, પ્રકૃતિની આ સુંદરતમ રચનાનું અસ્તિત્વ આજે જોખમમાં આવી ગયું છે. ચકલી પક્ષી પૃથ્વી પરથી વિલુપ્ત થઈ રહ્યું છે. આ પક્ષીઓની જાતિને બચાવવા માટે દર વર્ષે 20 માર્ચે દુનિયાભરમાં ‘વિશ્વ ચકલી દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ દુનિયાભરમાં લોકોને એમનાં ઘરઆંગણામાં, બાલ્કનીમાં કે અગાસી પર ચકલીઓ તથા અન્ય પક્ષીઓ માટે પીવાનાં પાણીની વ્યવસ્થા કરીને તેમજ ચણ નાખતા રહીને એમનું રક્ષણ કરવા અને પક્ષીઓ માળા બાંધીને રહી શકે એ માટે વધુ ને વધુ ઝાડ ઉગાડી સુરક્ષિત, આદર્શ વાતાવરણ બનાવવાનો સંકલ્પ કરવા પ્રોત્સાહિત કરવાનો છે.
નવી દિલ્હીઃ બ્રિટનના પાટનગર લંડનમાં ગઈ કાલે મોડી સાંજે ખાલિસ્તાનવાદી તત્ત્વોના એક જૂથે ભારતીય હાઈ કમિશનની ટોચ પર ફરકી રહેલા ભારતીય રાષ્ટ્રધ્વજને નીચે ઉતારી દીધો હતો અને અલગતાવાદી ખાલિસ્તાની ધ્વજ ફરકાવ્યો હતો તેમજ ખાલિસ્તાન-તરફી નારા લગાવ્યા હતા. બ્રિટિશ મેટ્રોપોલિટન પોલીસના મુખ્યાલય સ્કોટલેન્ડ યાર્ડે કહ્યું કે તે ઘટનાથી એ વાકેફ છે, પરંતુ એ વિશે તેણે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
ભારતે તે બનાવ અંગે બ્રિટિશ સરકાર સમક્ષ જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને લંડનસ્થિત ભારતીય દૂતાવાસની સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યો છે. નવી દિલ્હીમાં, વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેણે કહ્યું છે કે બ્રિટનમાં ભારતીય દૂતાવાસની ઈમારત તથા ત્યાં કામ કરતા લોકોની સલામતી પ્રતિ બ્રિટિશ સરકારનું ઉદાસીન વલણ ભારતને અસ્વીકાર્ય છે. ભારતસ્થિત બ્રિટિશ ડેપ્યૂટી હાઈ કમિશનર ક્રિસ્ટિના સ્કોટને પણ વિદેશ મંત્રાલયના કાર્યાલયમાં બોલાવવામાં આવ્યાં હતાં અને ભારત સરકારનો વિરોધ એમની સમક્ષ નોંધાવ્યો હતો. હાઈ કમિશનર એલેક્સ એલિસ દિલ્હી બહાર ગયાં હોવાથી ડેપ્યૂટી હાઈ કમિશનરને બોલાવવામાં આવ્યાં હતાં.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.
કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.
રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.
તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.
પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.
મુસાફરી થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
થોડા વર્ષો પહેલા હું જ્યારે પ્રથમ વખત અમેરિકા ગયો ત્યારે એક શબ્દ જે મેં દરેક જગ્યાએ સાંભળ્યો તે હતો ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ.’ કેમ કોઈ તેમના તણાવનું સંચાલન કરવા માંગે છે? હું સમજી શકું છું કે તમે તમારા પૈસા, વ્યવસાય, કુટુંબ અથવા સંપત્તિનું સંચાલન કરવા માંગો છો. પરંતુ શા માટે કોઈ પણ તેમના તણાવ ને મેનેજ કરવા માંગે? તે એટલા માટે છે કે તમે એક સંપૂર્ણ સંસ્કૃતિ સ્થાપિત કરી છે જે માને છે કે તણાવ એ તમારા જીવનનો એક ભાગ છે.
તણાવ એ તમારા જીવનનો એક ભાગ નથી. એ તમારા કાર્યની પ્રકૃતિ નથી જે તણાવનું કારણ બને છે; તે ફક્ત એટલું જ છે કે તમારી સિસ્ટમ પર તમારું નિયંત્રણ નથી. તમે તમારી અંદર સરળતાથી કેવી રીતે કાર્ય કરવું તે જાણતા નથી. તેથી જ તમે તણાવપૂર્ણ છો. શું તમે જોયું છે, ઘણી પરિસ્થિતિઓમાં, એક વ્યક્તિ તાણમાં આવી જાય છે અને બીજો વ્યક્તિ તેમાંથી સહેલાઇથી પસાર થઈ શકે છે. તેથી પરિસ્થિતિને કારણે તાણ આવતો નથી. તણાવ તમારી આંતરિક પરિસ્થિતિને સંચાલિત કરવામાં અસમર્થતાને કારણે આવી રહ્યો છે.
તમે પ્રયોગ કરી શકો, તમે તમારી હથેળીઓને નીચે તરફ રાખીને ઉંડા શ્વાસ લો, તો તમે જોશો કે શ્વાસ એક રીતે થશે. જો તમે તેને ફેરવો, તેને ઉપર તરફ રાખો અને શ્વાસ લો, તો તમે જોશો કે તમારો શ્વાસ અલગ રીતે થશે. જ્યારે તમારી હથેળી નીચે તરફ હશે, ત્યારે તમારા ડાયાફ્રમમાં મહત્તમ વિસ્તરણ અને સંકોચન થશે. જો તમે તેને ઉપર તરફ ફેરવો તો તે છાતીમાં વધુ હશે. તેથી ફક્ત તમારા હથેળીને ફેરવવાથી, તમે જે રીતે શ્વાસ લો છો અને શરીરમાં તમારી શક્તિઓ જે રીતે કાર્ય કરે છે તે બદલાતી રહે છે.
તમારું શરીર, તમારું મન, તમારી ભાવના અને તમારી શક્તિઓ – આ તે વાહનો છે કે જેના થકી તમે તમારા જીવનની મુસાફરી કરી રહ્યા છો. તેના વિશે કોઈ સમજ વિના, તેના વિશે કોઈ નિયંત્રણ વિના, તેના વિશે કોઈપણ વ્યક્તિલક્ષી અનુભવ વિના તમે તમારું જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યાં છો; તે આકસ્મિક અસ્તિત્વ છે. જો તમે તણાવપૂર્ણ થાઓ છો તો સ્વાભાવિક રીતે તમે તે પરિસ્થિતિઓને ટાળશો અને તમારા વ્યવસાય અને તમારા માટે શક્ય એવી તમામ શક્યતાઓને પણ ટાળશો.
જ્યારે તમે તમારી જાતને એવી સ્થિતિમાં ફેરવો કે મૂળભૂત વસ્તુઓ તમારી અંદર એટલી સુંદર રીતે કાર્ય કરે છે, ત્યારે કુદરતી રીતે ફક્ત તમારી શ્રેષ્ઠ ક્ષમતા તમારાથી બહાર નીકળશે. યોગ એ તમારી આંતરિક શક્તિઓને એવી રીતે સક્રિય કરવાનું વિજ્ઞાન છે કે તમારું શરીર, મન અને ભાવનાઓ તેમના ઉચ્ચતમ સ્તર પર કાર્ય કરે છે. જ્યારે તમારું શરીર અને મન સંપૂર્ણપણે અલગ આરામની સ્થિતિમાં અને આનંદના ચોક્કસ સ્તર પર કાર્ય કરે છે, ત્યારે તમને ઘણી બધી બાબતોમાંથી મુક્ત કરી શકાય છે જેનાથી મોટાભાગના લોકો પીડાતા હોય છે. ધારો કે તમે તમારી ઓફિસમાં આવીને બેસો, અને તમને માથાનો દુખાવો થાય છે. તમારા માથાનો દુખાવો કોઈ મોટો રોગ નથી, પરંતુ તે એ દિવસની તમારી સંપૂર્ણ ક્ષમતાને છીનવી લે છે. યોગની પ્રેક્ટિસથી, તમારું શરીર અને મન તેમના ઉચ્ચતમ સ્તરે હશે અને તમે કાયમ આરામદાયક સ્થિતિમાં રહેશો.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.