Home Blog Page 3014

PMનો ફોટો ફાડવા બદલ કોંગ્રેસના વિધાનસભ્યને રૂ. 99નો દંડ

નવસારીઃ વડા પ્રધાનનો ફોટો ફાડવા પર નવસારીની એક કોર્ટે વાંસદા બેઠકથી કોંગ્રેસના વિધાનસભ્ય અનંત પટેલ પર રૂ. 99નો દંડ ફટકાર્યો હતો. જો પટેલ રૂ. 99 નહીં આપે તો તેમને સાત દિવસ જેલમાં પણ જવું પડે. પટેલ પર 12 મે, 2017માં કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિની ઓફિસમાં દેખાવો દરમ્યાન વિરોધ કરવા દરમ્યાન કુલપતિની ઓફિસમાં ઘૂસીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ફાડ્યાનો આરોપ છે.

જસ્ટિસ વીએ ધધલે વિધાનસભ્યને સરકારી કર્મચારીના કામમાં વિઘ્ન નાખવા માટે કુલપતિની ઓફિસમાં જબરદસ્તીથી ઘૂસવા માટે દોષી ઠેરવ્યા હતા. કોર્ટે પીએમ નરેન્દ્ર મોદીનો ફોટો ફાડવાના કેસમાં કોર્ટે વાંસદાના કોંગ્રેસ MLA અનંત પટેલ દોષિત જાહેર કર્યા છે.પટેલ સિવાય થરાદથી કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય ગુલાબસિંહ રાજપૂત, યુવા કોંગ્રેસ નેતા પીયૂષ ઢીમર અને યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ પાર્થિવ કાઠવાડિયાની સામે 2017માં જલાલપુરમાં કેસ નોંધ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે આ ક્રાઇમ માટે ત્રણ મહિનાની કેદ અને રૂ. 500ના દંડની સજાની જોગવાઈ આપવામાં આવે છે, પણ વિધાનસભ્ય સ્ટુડન્ટ્સને ટેકો આપવા માટે એક સારા ઉદ્દેશથી યુનિવર્સિટી ગયા હતા. હા, તેમની રીત યોગ્ય નથી, એટલે તેમને સજા આપવાની જરૂર નથી. માત્ર દંડ ફટકારીને છોડી મૂકવા યોગ્ય રહેશે, જેથી ભવિષ્યમાં લોકો ભીડમાં ઉછેરાતી આવી માનસિકતાથી દૂર રહેશે.

આ ઘટના 12 મે, 2017એ બની હતી. જ્યાં સ્ટુડન્ટ ફોરેસ્ટ અને બીટ ગાર્ડ પોસ્ટ પર ભરતી કરવા માટે નોન ફોરેસ્ટ્રી વિષયવાળા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા. વાંસદા નગરપાલિકાના તત્કાલીન અધ્યક્ષ કોંગ્રેસી વિધાનસભ્ય પટેલ જબરદસ્તી કુલપતિ સીજે ડોગરિયાની ઓફિસમાં ઘૂસ્યા અને અધિકારીઓને ધમકાવ્યા હતા. તેમણે અહીં જ વડા પ્રધાન મોદીનો ફોટો ફાડ્યો હતો.

 

 

 

 

મહાઠગ કિરણ પટેલની પત્નીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ પ્રધાનના ભાઈનો બંગલો પચાવી પાડવા, 35 લાખની ઠગાઈ અને છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલની પત્ની માલિની પટેલની ધરપકડ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માલિનીએ આગોતરા જામીનની અરજી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં મકાન પચાવી પાડી છેતરપીંડીની ફરિયાદ થઈ હતી.

શું છે સમગ્ર મામલો 

પીએમઓમાં ટોચના અધિકારી તરીકે રજૂ કરીને શ્રીનગરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવનારા કિરણ પટેલની પોલીસે ધરપકડ કરી હતી.તે સમયે કિરણ પટેલની પત્ની માલિની પટેલે ધરપકડના ડરથી આગોતરા જામીન માટે શહેરની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જો કે ગયા અઠવાડિયે જ આ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. માલિની પટેલે પોતાની ધરપકડ પૂર્વેની જામીન અરજીમાં દાવો કર્યો છે કે, તે પોતાના પરિવારનો મુખ્ય આધાર છે અને ઘરમાં એકમાત્ર કમાઉ વ્યક્તિ છે. જો તેને કોઈ કાનૂની સુરક્ષા આપવામાં ન આવી તો તેના પરિવારના સભ્યો ભૂખે મરશે. તણે એવું કહ્યું કે, તે નોકરી કરે છે અને તેના ખભા પર પરિવારની સંપૂર્ણ જવાબદારી છે અને તેથી ન્યાયથી ભાગી જવાની કોઈ શક્યતા નથી.

આ મામલે કરાઈ ધરપકડ 

ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવી હતી. જે બાદ માલિવની પટેલે કાયદાકીય રક્ષણ માટે કોર્ટનો દરવાજે ખખડાવ્યો હતો. જગદીશ ચાવડાએ આરોપ લગાવ્યો છે કે, કિરણ પટેલે તેમના 15 કરોડના બંગલા પર ગેરકાયદે રીતે કબજો કર્યો હતો. તેમજ એવો દાવો કરવામાં પણ કરવામાં આવ્યો હતો કે, તે રૂપિયાની ચૂકવણી કરશે, કારણ કે એક કોર્પોરેટ કંપનીની યોજના માટે તે ચૂકવણીની રાહ જોઈ રહ્યો છે. પોતાની ફરિયાદમાં ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે પટેલે પોતાની ઓળખ પીએમઓના ટોપના અધિકારી તરીકે આપી હતી અને એવું પણ કહ્યું હતું કે તે ટી પોસ્ટ ચેઈનનો ભાગીદાર તથા રિયલ એસ્ટેટ બ્રોકર પણ છે.

મારે કોઈ લેવાદેવા નથી

મહાઠગ કિરણ પટેલે ચાવડાને એવું કહ્યું હતું કે, તે રિનોવેટ કર્યા બાદ બંગલાને વેચી દેશે. આ વાત ફેબ્રુઆરી 2022ની છે અને એ પછી ચાવડાને અમદાવાદ જિલ્લા કોર્ટ દ્વારા એક નોટિસ મળી હતી. જેમાં પટેલ દ્વારા તેમની વિરુદ્ધ બંગલા પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો અને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોતે નિર્દોષ હોવાની દલીલ કરતા માલિની પટેલે જણાવ્યું કે, કથિત ગુના સાથે તેણીને કોઈ લેવા દેવા નથી.

અમદાવાદ-લંડન ગેટવિક વચ્ચે એર ઈન્ડિયાની નોન-સ્ટોપ ફ્લાઈટ્સ શરૂ

અમદાવાદઃ દેશની અગ્રગણ્ય એરલાઈન અને સ્ટાર અલાયન્સની સભ્ય એર ઈન્ડિયાએ અમદાવાદ અને બ્રિટનના બીજા નંબરના મોટા એરપોર્ટ લંડન ગેટવિક વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ્સનો આજથી શુભારંભ કર્યો છે. કેન્દ્રના સિવિલ એવિએશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વર્ચ્યુઅલ સમારોહમાં આ ઉદઘાટક ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. એ પ્રસંગે સિવિલ એવિએશન વિભાગના સેક્રેટરી રાજીવ બંસલ અને એર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ કેમ્પબેલ વિલ્સન ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે વરિષ્ઠ એક્ઝિક્યૂટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીર સૌજન્યઃ @Gatwick_Airport)

આ ફલાઈટ (AI-171) અમદાવાદથી સવારે 11.50 વાગ્યે ઉપડી હતી અને લંડન ગેટવિક ખાતે તેના પહોંચવાનો સમય સાંજે 4.40 (સ્થાનિક સમય) હતો.

સિંધિયાએ આ પ્રસંગે કહ્યું, દેશની મુખ્ય એરલાઈન એર ઈન્ડિયાએ અમદાવાદ અને લંડન ગેટવિક વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરી છે ત્યારે આજનો દિવસ અમદાવાદ અને ગુજરાત માટે મહત્ત્વનો છે.

કેમ્પબેલ વિલ્સને કહ્યું, અમદાવાદ અને લંડન ગેટવિક વચ્ચે સેવા શરૂ કરવાથી અમે બેહદ આનંદનો અનુભવ કરીએ છીએ. આ સેવાથી ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપાર અને પર્યટનનો વધુ બળ પ્રાપ્ત થશે.

બ્રિટનમાં અંદાજે 8 લાખ જેટલા ગુજરાતીઓ વસે છે. ગુજરાતીઓની આટલી મોટી સંખ્યા ભારત બહાર દુનિયામાં બીજા કોઈ દેશમાં નથી. એર ઈન્ડિયા હવે ભારત અને બ્રિટન વચ્ચે દર સપ્તાહે 49 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

રાજસ્થાનમાં બમ્પર ઓફરઃ લગ્ન કરવા પર મળશે રૂ, 10 લાખ, શરતો લાગુ

જયપુરઃ રાજસ્થાનની ગહેલોત સરકારે છેલ્લા કેટલાક સમયથી એક પછી એક મોટા નિર્ણય લઈ રહી છે. મુખ્ય પ્રધાન ગહેલોતે હાલમાં રાજ્યમાં 19 નવા જિલ્લા બનાવવાની ઘોષણા કરી હતી. હવે રાજ્ય સરકારે એક મોટું એલાન કર્યું છે. સામાજિક સમરસતા અને એકતા વધારવાના ઉદ્દેશથી સરકારે આંતરજાતીય લગ્નોને પ્રોત્સાહન રકમને બે ગણી કરી છે.

સરકારે ઇન્ટર કાસ્ટ મેરેજની પ્રોત્સાહન રકમને વધારીને હવે રૂ. 10 લાખ કરવાનું એલાન કર્યું છે. આ પહેલાં રૂ. પાંચ લાખ આપવામાં આવતા હતા. હવે આંતરજાતીય યુગલને રૂ. 10 લાખ આપવામાં આવશે. સરકારે કહ્યું હતું કે આનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળશે. સમાજમાં એકતા અને ભાઇચારો વધશે. સરકારે હાલમાં વિધાનસભામાં રજૂ કરેલા બજેટ 2023-24માં આ રકમ વધારવાનું એલાન કર્યું હતું. સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટે હવે એનું નોટિફિકેશન જારી કરી દીધું છે.

સરકારની આ શરતો થશે લાગુ

ડોક્ટર સવિતાબહેન આમ્બેડકર આંતરજાતીય સંશોધિત વિવાહ યોજના હેઠળ લગ્ન કરનાર કપલ ઇન્ટર કાર્ય જ હોવું જોઈએ. એ કપલને લગ્ન કરવા પર રૂ. 10 લાખ આપવામાં આવશે. એમાંથી રૂ. પાંચ લાખ આઠ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવામાં આવશે, જ્યારે બચેલા રૂ. પાંચ લાખ કપલને જોઇન્ટ બેન્ક અકાઉન્ટમાં જમા કરવામાં આવશે. જોકે ફિક્સ્ડ ડિપોઝિટવાળા નાણાંના આઠ વર્ષથી પહેલાં કાઢી નહીં શકાય.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 2006માં આ યોજના હેઠળ રૂ. 50,000 આપવામાં આવતા હતા, ત્યાર બાદ એપ્રિલ, 2013માં એને વધારીને રૂ. પાંચ લાખ કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો પૈસા આપે છે, એમાં રાજ્ય સરકાર 75 ટકા અને 25 ટકા કેન્દ્ર સરકાર યોગદાન આપે છે.

 

 

 

ધો.12 સાયન્સ-કોમર્સના આ પેપરમાં 5 પ્રશ્નો એક જેવા જ

ગુજરાતી માધ્યમના પેપરમાં છબરડો જોવા મળ્યો છે. જેમાં ધો.12 સાયન્સ-કોમર્સના આ પેપરમાં 5 પ્રશ્નો એક જેવા જ છે. તેમાં 21,509 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. તથા 149 ગેરહાજર છે. ગુજરાતી માધ્યમના પેપરમાં ટાઈપ્સને બદલે ડેટા શબ્દનો ઉલ્લેખ કરાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. તેમજ ધો.12 કોમર્સનું કમ્પ્યુટરનું પેપર એકદંરે સરળ પુછાયું હતું. શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષા અંતર્ગત ધો.10નું ગુજરાતી અને ધો.12 કોમર્સનું કમ્પ્યુટરનું પેપર એકદંરે સરળ પુછાયુ હતું. જોકે, ગત શનિવારે ધો.12 સાયન્સના કમ્પ્યુટર પેપરમાં પુછાયેલા પાંચ પ્રશ્નો આજના ધો.12 કોમર્સના પેપરમાં પણ પુછાયા હોવાનું વિષય શિક્ષકે જણાવ્યું હતું.

પાંચ માર્ક્સના પ્રશ્નો સાયન્સ અને કોમર્સના કમ્પ્યુટરના પેપરમાં એકસરખા

શહેર અને જિલ્લામાં ધો.10ના 10,665 વિદ્યાર્થીઓએ ગુજરાતીની પરીક્ષા આપી હતી. જે પૈકી 59 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતાં. ધો.12 કોમર્સના 10,844 વિદ્યાર્થીઓએ કમ્પ્યુટરની પરીક્ષા આપી, જે પૈકી 90 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતાં. ગત શનિવારે યોજાયેલ ધો.12 સાયન્સના કમ્પ્યુટરનું પેપરમાં પુછાયેલા પાંચ પ્રશ્નો આજે ધો.12 કોમર્સના કોમ્પ્યુટરના પેપરમાં પુછાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ સંદર્ભે વિષય શિક્ષકે જણાવ્યું હતું કે, ક્લાસ મેથડ, નોર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરવાની રચના, કોન્સોલ ક્લાસ, લોકલ વેરિયેબલ અને ડુ વહાઈલ લુપના પાંચ માર્ક્સના પ્રશ્નો સાયન્સ અને કોમર્સના કમ્પ્યુટરના પેપરમાં એકસરખા હતાં.

શબ્દને બદલે ડેટા શબ્દનો ઉલ્લેખ કરાતા વિદ્યાર્થીઓ મુંઝાયા

ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓને પ્રિન્ટિનાં છબરડાને કારણે એક માર્ક્સનું નુકસાન થવાની શક્યતા છે. ગુજરાતી માધ્યમના પેપરમાં પ્રશ્ન પુછાયો હતો કે, નીચેનામાંથી કયો ડેટા વાસ્તવિક સંખ્યાનો સમાવેશ કરે છે ? જ્યારે અંગ્રેજી માધ્યમના પેપરમાં પ્રશ્ન પુછાયો હતો કે, વિચ ઓફ્ ધ ફેલોઈંગ પ્રીમિટિવ ડેટા ટાઇપ્સ હોલ્ડ રીયલ નંબર? ગુજરાતી માધ્યમના પેપરમાં ટાઈપ્સ શબ્દને બદલે ડેટા શબ્દનો ઉલ્લેખ કરાતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતાં.

ભારતીય સેનાની ત્રણે પાંખમાં 1.55 લાખ પદો ખાલીઃ સરકાર

નવી દિલ્હીઃ ત્રણે સશસ્ત્ર દળો આશરે 1.55 લાખ કર્મચારીઓની અછતનો સામનો કરી રહ્યાં છે, જેમાં સેનામાં સૌથી વધુ 1.36 લાખ ખાલી પદો છે, એમ રાજ્યસભાને એની માહિતી આપવામાં આવી છે. સંરક્ષણ રાજ્યપ્રધાન અજય ભટ્ટે રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં કહ્યું હતું કે સશસ્ત્ર દળોના કર્મચારીઓની અછતની નિયમિત રૂપથી સમીક્ષા કરવામાં આવે છે અને ખાલી પદો ભરવા અને યુવાઓની સેવાઓમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેટલાય ઉપાય શરૂ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે ભારતીય સેનામાં 8129 અધિકારીઓની અછત છે, જેમાં આર્મી મેડિકલ કોર અને આર્મી ડેન્ટલ કોર સામેલ છે. મિલિટરી નર્સિંગ સર્વિસ (MNS)માં 509 પદ ખાલી છે અને જેસીઓ અને અન્ય રેન્કમાં 1,27,673 પદ પણ ખાલી છે. તેમણે કહ્યું હતું કે સેના દ્વારા નિયોજિત નાગરિકોમાં ગ્રુપ Aમાં 252 ખાલી પદો છે. ગ્રુપ Bમાં 2549માં ખાલી પદો છે અને ગ્રુપ Cમાં 35,368 પદો છે, જે ખાલી છે.

નેવીમાં 12,428 કર્મચારીઓની અછત છે. તેમણે કહ્યું હતું કે નેવીમાં 1653 અધિકારીઓ, 29 મેડિકલ અને ડેન્ટલ અધિકારીઓ અને 10,746 નાવિકોમાં અછત છે. સિવિલિયન કર્મચારીઓમાં ગ્રુપ Aમાં 165, ગ્રુપ Bમાં 4207 અને ગ્રુપ Cમાં 6156ની અછત છે. એરફોર્સમાં 7031 જવાનોની અછત છે. તેમણે કહ્યું હતું કે 721 અધિકારીઓ, 16 મેડિકલ અધિકારીઓ, 4734 એરમેન અને મેડિકલ સહાયક ટ્રેડના 113 એરમેનની પણ અછત છે. કાર્યરત નાગરિકોમાં ગ્રુપ Aમાં 22, ગ્રુપ Bમાં 1303 અને ગ્રુપ Cમાં 5531 કર્મચારીઓની અછત છે.

 

 

 

18 ફાર્મા કંપનીઓ પર સરકારની કાર્યવાહી

ભારત સરકારે નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓનું ઉત્પાદન કરવા બદલ 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. આ કંપનીઓને ઉત્પાદન બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ નકલી દવાઓ અને નબળી ગુણવત્તાની દવાઓ બનાવતી ફાર્મા કંપનીઓ સામે કાર્યવાહી હેઠળ આવ્યો છે.

ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્યની ટીમોએ 20 રાજ્યોમાં ઓચિંતી તપાસ કરી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી.

બનાવટી દવાઓ બનાવતી દેશભરની ફાર્મા કંપનીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. લગભગ 15 દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશમાં 70, ઉત્તરાખંડમાં 45 અને મધ્ય પ્રદેશમાં 23 કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

ફિલ્મનું નામ ‘ભીડ’, પણ થિયેટરો ખાલીખમ

મુંબઈઃ રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર અભિનીત ‘ભીડ’ ફિલ્મ ગઈ 24 માર્ચથી થિયેટરોમાં રિલીઝ થઈ છે. 2020ના માર્ચ-એપ્રિલમાં કોરોનાવાઈરસ મહામારીની પહેલી લહેર વખતે સંપૂર્ણ દેશમાં લોકડાઉન લાગુ કરાયું હતું. એ વખતે જે કઠિન પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેમજ એ કાળમાં જુદા જુદા લોકોને ભોગવવી પડેલી વેદનાને વિષય બનાવને દિગ્દર્શક અનુભવ સિન્હાએ ‘ભીડ’ ફિલ્મ બનાવી છે.

પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરાવી શકી નથી અને ફ્લોપ સાબિત થઈ રહી છે. ફિલ્મનું બજેટ રૂ. 25 કરોડનું હોવાનું મનાય છે. પરંતુ ફિલ્મ આટલી રકમની કમાણી પણ કરાવી આપે એવું લાગતું નથી. કારણ કે દર્શકોના કંગાળ પ્રતિસાદને કારણે થિયેટરોમાં અનેક શો રદ કરવા પડી રહ્યા છે.

ફિલ્મમાં રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર ઉપરાંત આશુતોષ રાણા, આદિત્ય શ્રીવાસ્તવ, પંકજ કપૂર, દિયા મિર્ઝા જેવા અન્ય કલાકારો પણ છે. અનુભવ સિન્હા આ પહેલાં આર્ટિકલ 15, મુલ્ક જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. ફિલ્મની કથા સિન્હાએ તેમજ સૌમ્યા તિવારી, સોનાલી જૈને સાથે મળીને લખી છે. સિન્હા ફિલ્મના સહ-નિર્માતા પણ છે.

સુપ્રીમ કોર્ટનો Hate Speech પર કેન્દ્રને સવાલ

સુપ્રીમ કોર્ટે Hate Speech મામલાની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે, અભદ્ર ભાષા છોડવી એ મૂળભૂત જરૂરિયાત છે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે માત્ર FIR નોંધવાથી નફરતભર્યા ભાષણની સમસ્યા હલ નહીં થાય, આ માટે શું પગલાં લેવામાં આવ્યા તે જણાવો?

જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે નફરતભર્યા ભાષણ સામેની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પણ પૂછ્યું હતું કે એફઆઈઆર નોંધવા માટે શું કાર્યવાહી કરવામાં આવી હતી કારણ કે માત્ર ફરિયાદ દાખલ કરવાથી દ્વેષપૂર્ણ ભાષણની સમસ્યા હલ થઈ શકતી નથી.

6 ફેબ્રુઆરીની સુનાવણીમાં કોર્ટની ટિપ્પણી

અગાઉ, ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે નફરતના ભાષણને લઈને સર્વસંમતિ વધી રહી છે અને ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે નફરતના અપરાધને કોઈ અવકાશ નથી.

કોર્ટે કહ્યું, “નફરતભર્યા ભાષણ પર કોઈ સમાધાન થઈ શકે નહીં.” જો રાજ્ય દ્વેષપૂર્ણ ભાષણની સમસ્યાને સ્વીકારે, તો જ તેનો ઉકેલ મળી શકે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના નાગરિકોને આવા જઘન્ય અપરાધથી બચાવવાની પ્રાથમિક ફરજ છે.

જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે કહ્યું, “જ્યારે દ્વેષપૂર્ણ ગુનાઓ સામે પગલાં લેવામાં આવતાં નથી, ત્યારે એવું વાતાવરણ સર્જાય છે જે ખૂબ જ ખતરનાક હોય છે અને આપણા જીવનમાંથી જડમૂળથી ઉખેડી નાખવાનું હોય છે. અપ્રિય ભાષણ પર કોઈ સમાધાન કરી શકાય નહીં.”

20 ફેબ્રુઆરીએ સુનાવણીમાં, કોર્ટે દિલ્હી પોલીસને રાષ્ટ્રીય રાજધાનીમાં ધાર્મિક મેળાવડામાં આપવામાં આવેલા નફરતભર્યા ભાષણોના કેસમાં 2021માં ચાર્જશીટ દાખલ કરવા કહ્યું હતું. તેના પર દિલ્હી પોલીસ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કોર્ટને કહ્યું કે કેસની તપાસ એડવાન્સ સ્ટેજમાં છે.

 

 

 

 

રાહુલ ગાંધીની ઘટના પર બાઇડન વહીવટી તંત્રની બાજ નજર

વોશિંગ્ટનઃ અમેરિકી વિદેશ વિભાગના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે અમેરિકા ભારતીય કોર્ટોમાં કોંગ્રેસ નેતાના કેસોને જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા અભિવ્યક્તિ સ્વતંત્રતા, માનવાધિકારોની સુરક્ષા અને લોકતાંત્રિક સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા માટે ભારતની સાથે છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કાનૂનના શાસન અને ન્યાયિક સ્વતંત્રતા માટે સન્માન કોઈ પણ લોકતંત્રની આધારશિલા છે. અમે રાહુલ ગાંધીના મામલામાં ભારતીય કોર્ટોમાં જોઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યાં અમેરિકાના દ્વિપક્ષી સંબંધ છે, ત્યાં કોઈ પણ દેશ વિરોધ પક્ષોના સભ્યોની સાથે જોડાવું સામાન્ય છે. અમે રાહુલ ગાંધીની ઘટના પર બાજ નજર રાખી રહ્યા છે, એવું તેમણે કહ્યું હતું.

સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને કર્ણાટકમાં એક ચૂંટણી સભામાં મોદી સરનેમ પર ટિપ્પણી પર માનહાનિ કેસમાં 23 માર્ચે બે વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે રાહુલની વિરુદ્ધ સુરત પશ્ચિમથી ભાજપના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. દોષી ઠેરવવામાં આવ્યા પછી લોકસભામાં તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.

અયોગ્ય ઘોષિત થયાના ત્રણ દિવસ પછી વિરોધ પક્ષોએ મોદી સરકારની સામે હુમલા તેજ કરી દીધા હતા અને સોમવારે લોકતંત્ર માટેનો કાળો દિવસ ઊજવ્યો. ભાજપે સંસદમાં વિરોધ પક્ષોના હંગામાની નિંદા કરી હતી. કોંગ્રેસ પર OBC સમાજની સામે ગાંધીની ટિપ્પણી યોગ્ય ઠેરવતાં નિમ્ન સ્તરના રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વેદાંત પટેલે ભારતના રાજદૂત અને પત્રકાર પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા હુમલા પર કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં રાજદૂતની સુવિધાઓ અને કર્મચારીઓની સામે હિંસા અથવા હિંસાની ધમકી ચિંતાનો વિષય છે, એને સાંખી નહીં લેવામાં આવે.