Home Blog Page 2899

UP માં PFI પર સિકંજો, દરોડામાં ATS અને STFની ટીમોએ 70 લોકોની અટકાયત કરી

PFI કનેક્શન મામલે ATSની ટીમે ઉત્તર પ્રદેશમાં મોટી કાર્યવાહી કરી હતી. અત્યાર સુધીમાં અલગ-અલગ જિલ્લામાંથી 70 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. PFI પર કાર્યવાહી અંગે ATSએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે અલગ-અલગ જિલ્લામાં 211 શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી છે. વિમોચન મંચના પ્રમુખ મોહમ્મદ. શુએબને રાજધાની લખનઉના અમીનાબાદ સ્થિત તેના ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો. UP ATSએ PFI સાથે જોડાયેલા પરવેઝ અહેમદ અને રઈસ અહેમદની પણ ધરપકડ કરી છે.

ATSએ PFI પર કબજો જમાવ્યો

પરવેઝ અને રઈસ અહેમદને 50-50 હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું. વારાણસીના લોહતા પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ATSની ટીમ ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. એટીએસની ટીમે ઉતાવળે અનેક શહેરોમાં દરોડા પાડ્યા હતા. શામલી, ગાઝિયાબાદ, લખનૌ, વારાણસી, બિજનૌર, મેરઠ, મુઝફ્ફરનગર, બારાબંકી, કાનપુર, દેવરિયા, બહરાઈચ, સીતાપુર, બલરામપુર, સિદ્ધાર્થનગર, બુલંદશહર, સહારનપુર, અમરોહા, મુરાદાબાદ અને રામપુરમાં શનિવારે સવારથી મોડી રાત સુધી ATSની કાર્યવાહી ચાલુ રહી.

ઘણા જિલ્લાઓમાં દરોડા

આ દરમિયાન શામલીમાંથી 11, ગાઝિયાબાદથી 10, લખનૌથી 9, વારાણસીથી 8, બિજનૌરથી 5, મેરઠથી 4, મુઝફ્ફરનગર, બારાબંકીથી 3-3, કાનપુર, દેવરિયા અને બહરાઇચ, સીતાપુર, બલરામપુર, સિદ્ધાર્થનગરથી 2-2 , બુલંદશહર, સહારનપુર, અમરોહા, મુરાદાબાદ અને રામપુરમાંથી 1-1 PFI શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. રિહાઈ મંચના પ્રમુખ શુએબની પદવી પર પરિવારે પ્રતિક્રિયા આપી છે. પત્નીનું કહેવું છે કે આજે સવારે કેટલાક લોકો ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેણે શુએબને અમીનાબાદ પોલીસ સ્ટેશન જવા કહ્યું. ત્યારથી શુએબ વિશે કોઈ માહિતી મળી રહી નથી. શુએબની પત્નીનું કહેવું છે કે અમારી પાસે PFI સંબંધિત કોઈ માહિતી નથી અને અમે PFIને પણ જાણતા નથી. જ્યારે પતિને ઉપાડવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે અમને આ અંગે કોઈ માહિતી આપવામાં આવી રહી નથી. સ્વજનો શુએબને લઈને ચિંતિત છે.

કુસ્તીબાજોનો વિરોધ : ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ સમર્થન આપવા પહોંચ્યા

જંતર-મંતર પર કુસ્તીબાજોની હડતાળ ચાલુ છે. ધીમે ધીમે દેશના ખેલાડીઓના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. તેમાં મુખ્યત્વે પંજાબ અને હરિયાણાના લોકોનો સમાવેશ થાય છે. આજે અહીં ખેડૂતોના સંગઠનો અને ખાપ પંચાયતો એક થયા છે. યુનાઇટેડ કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત પણ વિરોધ સ્થળ પર પહોંચી ગયા છે. તેણે કહ્યું કે કુસ્તીબાજો સાથે અત્યાચાર થાય છે, તેથી તે અમારો સમર્થન માંગે છે.


રાકેશ ટિકૈતે કહ્યું કે કુસ્તીબાજોને કેવી રીતે ન્યાય મળશે તે વિચારવા જેવી બાબત છે. આ આંદોલન લાંબા સમય સુધી ચાલશે. ખબર નહીં કેટલા દિવસોમાં સરકાર પર ચઢેલું ભૂત ઉતરી જશે. ભૂત-પ્રેતથી છુટકારો મેળવવા માટે તમારે ઘણી વખત સાવરણી કરવી પડશે. તેણે કહ્યું કે તેની એક જ માંગ છે કે તેણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવી જોઈએ.


‘પોક્સોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે’

ટિકૈતે વધુમાં કહ્યું કે જો POCSO ની જાણ થાય છે, તો તરત જ ધરપકડ કરવામાં આવે છે, પરંતુ કુસ્તીબાજો વતી ફરિયાદ નોંધાવ્યા પછી પણ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે જંતર-મંતરથી કોઈ ટિકિટ વહેંચવામાં આવી રહી નથી જે રાજકીય પ્લેટફોર્મ હશે. કુસ્તીબાજોને ન્યાય અપાવવાનો આ અમારો પ્રયાસ છે.

‘આવા સંવેદનશીલ મુદ્દાની મજાક ઉડાવી’

વિનેશ ફોગાટે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે અમને સહેલું લાગ્યું કે કમિટીમાં વાત કરીશું તો બધું સારું થઈ જશે, પરંતુ આવા સંવેદનશીલ મુદ્દાની મજાક ઉડાવી. અમે સત્યની લડાઈ લડવા નીકળ્યા હતા અને અમને ખબર ન હતી કે અમારે આ રીતે ખુલ્લામાં આવવું પડશે. અમારા માટે આ બહુ મોટી વાત છે. કુસ્તીબાજએ દાવો કર્યો હતો કે જો બ્રિજભૂષણ શરણ સિંહને જેલમાં ન મોકલવામાં આવે તો તે તમામ 7 કુસ્તીબાજોને મારી નાખશે.

ખાંડના ભાવ વધી ગયા; ઉત્પાદન ગયા વર્ષ કરતાં 9% ઓછું થયું છે

મુંબઈઃ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન 9 ટકા જેટલું ઘટ્યું હોવાનો અંદાજ છે. આને પરિણામે ખાંડના છૂટક ભાવ અત્યારથી જ વધવા માંડ્યા છે. છેલ્લા એક મહિનામાં એક કિલોગ્રામ ખાંડની કિંમત સવા રૂપિયો જેટલી વધી છે.

હોલસેલ બજારમાં પણ ખાંડના ભાવ વધ્યા છે. છેલ્લા એક મહિનામાં એક કિલો ખાંડના ભાવમાં રૂ. 124નો વધારો થયો છે.

ગયા વર્ષે ખાંડનું 357 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. સરકારે 100 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી. અપેક્ષા કરતાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન ઓચિંતું ઘટ્યું છે. ગ્રાહકોને રાહત પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર સંચાલિત અન્ન તથા ગ્રાહક બાબત વિભાગ આગામી દિવસોમાં ખાંડનો એક્સ્ટ્રા ક્વોટા છૂટો કરે એવી ધારણા છે.

વીએચપી, બજરંગ દળ 9 મેએ ભારતભરમાં ‘હનુમાન ચાલીસા’નું પઠન કરશે

મુંબઈઃ વિશ્વ હિન્દુ પરિષદ અને તેની યુવા પાંખ બજરંગ દળ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે આવતી 9 મેએ આખા દેશમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 10 મેના બુધવારે કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.

વીએચપી અને બજરંગ દળે આ નિર્ણય કોંગ્રેસ પાર્ટીએ કરેલી એક જાહેરાતના જવાબમાં લીધો છે. કોંગ્રેસે ગયા અઠવાડિયે કર્ણાટક ચૂંટણી વિશે રિલીઝ કરેલા પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે જાતિ અને ધર્મના નામે સમુદાયોમાં ઝનૂનની લાગણી ફેલાવનાર વ્યક્તિઓ અને સંગઠનો-સંસ્થાઓ સામે તે કડક અને નિર્ણાયક પગલું ભરશે. ચૂંટણી ઢંઢેરામાં જણાવાયું છે કે બજરંગ દળ, પીએફઆઈ કે અન્ય સંગઠનો કે વ્યક્તિઓ સમાજમાં દ્વેષ કે ઝનૂનને ઉત્તેજન આપીને કાયદો તથા બંધારણની પવિત્રતાનું ઉલ્લંઘન કરી શકે નહીં. પછી આ સંગઠનો-સંસ્થાઓ કે વ્યક્તિઓ ભલે બહુમતી સમાજના હોય કે લઘુમતીઓના. અમે કાયદા અંતર્ગત એવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવા સહિતના પગલાં લઈશું.

વીએચપીના મહામંત્રી મિલિંગ પરાંડેનું કહેવું છે કે હનુમાન ચાલીસાના રાષ્ટ્રવ્યાપી પઠનનો કાર્યક્રમ યોજવાનો હેતુ એ છે કે બજરંગ બલી (હનુમાનજી) કોંગ્રેસ તથા અન્ય સંગઠનો અને કાર્યકર્તાઓને સદ્દબુદ્ધિ આપે જેઓ ત્રાસવાદીઓ, ભારત-વિરોધી તત્ત્વો, હિન્દુ-વિરોધી માનસિકતા ધરાવનારાઓને સમર્થન આપે છે અને ઉત્તેજન આપે છે.

ક્રાયોથેરેપીઃ રકુલપ્રીતે આઈસકોલ્ડ પાણીમાં સ્નાન કર્યું, ડૂબકી લગાવી

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી રકુલપ્રીત સિંહે અત્યંત આકરી એવી ક્રાયોથેરેપી કરીને તેનાં પ્રશંસકોને આશ્ચર્ય પૂરું પાડ્યું છે. એણે માત્ર બિકિની પહેરીને માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસ બર્ફિલા ઠંડા પાણીમાં સ્નાન કર્યું હતું અને ડૂબકી લગાવી હતી. અનેક પ્રકારની બીમારીઓની સારવાર તરીકે અને ત્વચાનું આરોગ્ય વધારવા માટે ક્રાયોથેરેપીનો ઉપયોગ થાય છે, જેમાં અત્યંત ઠંડા પાણીમાં સ્નાન કરવાનું હોય છે.

રકુલપ્રીત ગઈ 6 મેએ કોઈક અજ્ઞાત બરફાચ્છાદિત સ્થળે ક્રાયોથેરેપી કરી હતી અને આઈસકોલ્ડ પાણીમાં સ્નાન કરતો પોતાનો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. કમેન્ટ વિભાગમાં તેનાં ઘણાં પ્રશંસકોએ આ બહાદૂર અભિનેત્રીનાં વખાણ કર્યાં છે.

ક્રાયોથેરેપી શું છે?

આ થેરેપી શરીરને અત્યંત ઠંડા કે બર્ફિલા પાણીમાં બોળવાની સારવાર છે, જેનાથી શરીરમાંના અસામાન્ય કોશનો નાશ થાય છે. આ થેરેપીમાં કોલ્ડ શાવર, આઈસ પેક્સ, કૂલ-ર બોડી ચેંબર્સ અને બર્ફિલા પાણીમાં શરીરને સંપૂર્ણ રીતે ડૂબાડવાનો સમાવેશ થાય છે. જે લોકો એથ્લેટિક્સમાં સક્રિય હોય તેઓને આ થેરેપી સલાહભરી હોય છે. એમને માટે શાવરનો સમય 30 સેકંડથી લઈને 3 મિનિટ સુધીનો હોય છે.

ક્રાયોથેરેપીના લાભ શું છે?

આ થેરેપીમાં ભીષણ ઠંડી પેદા કરવા માટે તરલ નાઈટ્રોજન કે આર્ગન ગેસ જેવા પદાર્થોનો ઉપયોગ કરાય છે. આ ઉપચાર બાહ્ય રીતે ત્વચ પર અને આંતરિક રીતે શરીરની અંદરના કોશોની સારવાર કરે છે. આ થેરેપી વ્યક્તિને ચિંતા અને હતાશા (ડીપ્રેશન) સામે લાભદાયી હોય છે. તેનાથી ડીપ્રેશનની અસર ઘટે છે અને નર્વસ મૂડમાં સુધારો આવે છે. ગરમ પાણીના ટૂંકા શાવર બાદ અત્યંત ટૂંકા સમય માટેનો આઈસકોલ્ડ બાથ લેવાથી અનેક વાઈરસ અને ગંભીર મોસમી બીમારીઓથી બચી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

રોહિતે હવે પોતાનું નામ બદલીને ‘નો હિટ શર્મા’ કરવું જોઈએઃ શ્રીકાંત

મુંબઈઃ આઈપીએલ સ્પર્ધામાં સૌથી વધારે વખત (16 વખત) ઝીરો પર આઉટ થવાની બદનામી રોહિત શર્માને મળી છે. ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે આઈપીએલ-2023 મોસમ ખૂબ પડકારજનક બની રહી છે. આ વખતની સ્પર્ધામાં એનો દેખાવ તદ્દન નબળો રહ્યો છે. એને કારણે એની ટીમ પણ ફેંકાઈ ગઈ છે. ગઈ કાલે ચેપોક મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે એને પરાજય આપ્યો હતો. આને કારણે પ્લેઓફ્સમાં પહોંચવાની મુંબઈ ટીમની તક વધારે નબળી પડી ગઈ છે. આ વખતની સીઝનમાં રોહિત શર્માએ માત્ર 18.40ની સરેરાશ સાથે કુલ માત્ર 184 રન જ કર્યા છે. આઈપીએલમાં સુનીલ નારાયણ, દિનેશ કાર્તિક અને મનદીપ સિંહ 15-15 વખત ઝીરો પર આઉટ થયા છે. પણ હવે રોહિત એ ત્રણેયથી આગળ નીકળી ગયો છે.

ચેન્નાઈ સામેની મેચમાં રોહિત ઓપનિંગને બદલે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો, પણ એ માત્ર ત્રણ જ બોલનો સામનો કરી શક્યો હતો અને ઝીરો પર ક્લીન બોલ્ડ થયો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર કે. શ્રીકાંત આ વિશે રોહિત શર્માની મજાક ઉડાવી છે. એમણે કહ્યું કે, જો હું મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હોત તો રોહિત શર્માને ટીમમાં લીધો જ ન હોત. એ તો છે ‘નોટ હિટ શર્મા’. રોહિતે હવે પોતાનું નામ બદલીને ‘નો હિટ શર્મા’ કરવું જોઈએ.’

કેડબરીના ઉત્પાદનો બેક્ટેરિયાથી ‘દૂષિત’ થયાની ભીતી

મુંબઈઃ ઓલ ફૂડ એન્ડ ડ્રગ લાઈસન્સ હોલ્ડર ફાઉન્ડેશન સંસ્થાએ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગને લેખિતમાં વિનંતી કરી છે કે તે મહારાષ્ટ્રમાં વેચાઈ રહેલા કેડબરીના ઉત્પાદનો લિસ્ટેરિયા વાઈરસથી દૂષિત થયાની સંભાવના હોવાથી તેના વિશે એક તપાસ હાથ ધરવામાં આવે, એમ ફ્રી પ્રેસ જર્નલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ મહિનાના આરંભમાં બ્રિટન અને આયરલેન્ડમાં કેડબરીના બ્રાન્ડના છ ડેસર્ટ્સ લિસ્ટેરિયાથી દૂષિત થયા હોવાની શંકા પરથી તેનો માલ ઉત્પાદકોએ પાછો મગાવ્યો હતો. ડેરી કંપની મ્યૂલરે ગ્રાહકો જોગ સંદેશ બહાર પાડ્યો છે કે તેઓ ઉત્પાદનો ખાય નહીં અને એમણે જ્યાંથી ખરીદ્યા હોય તે સ્ટોરમાં જઈને તેને પરત કરી દે.

અસરગ્રસ્ત ઉત્પાદનો છેઃ કેડબરી ડૈમ ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ, કેડબરી ક્રન્ચી ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ, કેડબરી ફ્લેક ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ, કેડબરી ડેરી મિલ્ક બટન્સ ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ, કેડબરી ડેરી મિલ્ક ચન્ક્સ ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ અને કેડબરી હીરોઝ ચોકલેટ ડેસર્ટ 75 ગ્રામ

ઓલ ફૂડ એન્ડ ડ્રગ લાઈસન્સ હોલ્ડર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અભય પાંડેનું કહેવું છે કે કેડબરીના આ ઉત્પાદનો ભારતની બજારોમાં પણ વેચાય છે. તેથી એવી સંભાવના છે કે આ વાઈરસ ભારતનાં લોકોમાં પણ ફેલાઈ શકે છે. તેથી અમે વિનંતી કરીએ છીએ કે કેડબરી બ્રાન્ડેડ ડેસર્ટ પ્રોડક્ટ્સના નમૂનાઓની ચકાસણી કરવામાં આવે અને જરૂરી પગલું ભરવામાં આવે.

લિસ્ટેરિયા ચેપને લિસ્ટેરિયોસીસ કહેવામાં આવે છે. તેના લક્ષણો ફ્લૂ જેવા જ હોય છે. જેમાં શરીરનું તાપમાન વધી જાય, સ્નાયૂઓમાં દુખાવો થાય, શરીરમાં ઠંડી લાગે, અસ્વસ્થ જેવું લાગે અને ઝાડા-ઉલટી થાય.

અમેરિકાના શોપિંગ મોલ ખાતે અંધાધૂંધ ગોળીબારમાં 9નાં મરણ; બંદૂકધારી ઠાર

એલન: અમેરિકાના ટેક્સાસ રાજ્યના એલન શહેરના એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલની બહાર એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરતાં 9 જણનાં જાન ગયા છે અને બીજાં સાત જણ ઘાયલ થયા છે. બનાવ નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, બંદૂકધારીએ મોલની બહાર પસાર થતાં લોકો પર બેફામપણે ગોળીબાર કર્યો હત. ઘટનાસ્થળે હાજર રહેલા એક પોલીસ અધિકારીએ હુમલાખોરને ઠાર માર્યો હતો.

હુમલા પાછળના ઈરાદાની તત્કાળ જાણ થઈ શકી નથી. બંદૂકધારીની ઓળખ પણ પોલીસ તરફથી હજી આપવામાં આવી નથી. હુમલાની જાણ થયા બાદ ત્યાં દોડી ગયેલા પોલીસોએ શોપિંગ મોલની અંદરથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. એલન શહેરમાં આશરે એક લાખ લોકોની વસ્તી છે. અમેરિકામાં જાહેર સ્થળોએ અંધાધૂંધ ગોળીબાર વારંવાર થતા હોય છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં આવા 198 બનાવ બન્યા છે.

વાહ ભાઈ વાહ! – ૦૭ મે, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૦૭ મે, ૨૦૨૩

૦૭ મે, ૨૦૨૩

૦૭ મે, ૨૦૨૩