Home Blog Page 2852

પાકિસ્તાનમાંથી છોડાયેલું પાંચમું ડ્રોન સીમા સુરક્ષા દળે પંજાબ સરહદે પકડી પાડ્યું

અમૃતસરઃ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના સતર્ક જવાનોએ ગઈ કાલે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ભારતમાં ઘૂસી આવેલા એક વધુ પાકિસ્તાની ડ્રોનને આંતરીને તોડી પાડ્યું હતું. છેલ્લા ચાર દિવસમાં બીએસએફે આ પાંચમું પાકિસ્તાની ડ્રોન પકડી પાડ્યું છે. આ ડ્રોન ભારતની ધરતી પર કેફી પદાર્થો ભરેલું કન્સાઈનમેન્ટ ડ્રોપ કરે એ પહેલાં જ એને આંતરીને તોડીને નીચે પાડી દેવામાં આવ્યું હતું.

બીએસએફ જવાનોએ પાંચમા ડ્રોનને ગઈ કાલે રાતે લગભગ 9 વાગ્યે અમૃતસર જિલ્લાના ભૈની રાજપૂતાના ગામમાં અમૃતસર સેક્ટરમાં તોડી પાડ્યું હતું. તે ડ્રોન ‘DJ Matrice 300 RTK’ બનાવટનું અને કાળા રંગનું ક્વાડકોપ્ટર હતું. એમાં 2.1 કિલોગ્રામ વજનનું એક કન્સાઈનમેન્ટ હતું, જેમાં કેફી પદાર્થ હેરોઈન હોવાની શંકા છે. તે કન્સાઈનમેન્ટને એક લોખંડની રીંગ સાથે બાંધવામાં આવ્યું હતું. તેની સાથે એક નાનકડી ટોર્ચ પણ હતી, જે ઓન સ્થિતિમાં હતી, જેથી ભારતની ધરતી પરના ડ્રગ્સના દાણચોરો એને ઓળખી શકે અને કોઈ ખુલ્લા મેદાન કે ખેતરમાં એને પકડીને ઉતારી શકે.

ગઈ 19 મેથી ચાર દિવસમાં આ પાંચમું અજાણ્યું માનવરહિત હવાઈ વાહન (ડ્રોન) પાકિસ્તાનમાંથી પંજાબ સરહદે મોકલવામાં આવ્યું હતું. ગયા શુક્રવારે બીએસએફના જવાનોએ આવા બે ડ્રોનને તોડી પાડ્યા હતા અને ત્રીજાને આંતર્યું હતું. તે આખરે પાકિસ્તાનની ધરતી પર જઈને પડ્યું હતું એટલે મેળવી શકાયું નહોતું. ત્યારબાદ ગયા શનિવારે રાતે પણ એક અન્ય ડ્રોન ભારતની હવાઈ સીમાનો ભંગ કરીને ભારતમાં ઘૂસી આવ્યું હતું, પરંતુ સીમા સુરક્ષા દળના જવાનોએ એને આંતરીને પકડી લીધું હતું. એમાંથી 3.3 કિલોગ્રામ કેફી પદાર્થો ભરેલું એક કન્સાઈનમેન્ટ મળી આવ્યું હતું.

પંજાબ રાજ્યમાં પાકિસ્તાન સાથે ભારતની 500 કિલોમીટર લાંબી સરહદ છે. તેની પર ચોકીપહેરો સીમા સુરક્ષા દળ કરે છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૩ મે, ૨૦૨૩

૨૩ મે, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 23/05/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિક ભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પડી પટોળે ભાત ફાટે, પણ ફીટે નહીં

 

પડી પટોળે ભાત ફાટે, પણ ફીટે નહીં

 

ઉત્તર ગુજરાતમાં આવેલું પાટણ એના પટોળા માટે જાણીતું છે. “છેલા જી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો” આ શબ્દોમાં પોતાના પ્રિયતમને પાટણથી આ વિશિષ્ટ સાડી લાવવા માટે પ્રિયતમા સંદેશ આપે છે. આ પટોળા અદભૂત કારીગીરીનો નમૂનો છે. એમાં કુદરતી રંગો જ વપરાય છે. અને એની ભાત વણાટની સાથે જ ઉપસે છે. આમ કેમિકલ રંગ હોય તો ધીરે ધીરે કપડું ધોવાય તેમ ઝાંખો પડતો જાય તેવું પટોળામાં થતું નથી.

એટલે જ કહેવાયું છે “પડી પટોળે ભાત ફાટે, પણ ફીટે નહીં.” મતલબ કે જે રંગ કે ભાત પટોળા પર છપાયેલ હોય તે લૂગડું ફાટી જાય તો પણ તેનો રંગ ઘસાઈને ઝાંખો પડતો નથી.

માનવના સ્વભાવનું પણ એવું જ છે. જે ઢાળ્યા ઢળ્યા એ ઢળ્યા, એમાં કશો ફેરફાર થાય નહીં.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

કુમાર સાનૂનું કલ્યાણ કરનાર સંગીતકાર

ગાયક કુમાર સાનૂને નામ અને કામ આપનાર સંગીતકાર કલ્યાણજી- આણંદજીએ એને અમિતાભનો અવાજ પણ બનાવ્યો હતો. કુમાર સાનૂનું નામ બદલવા પાછળનો કલ્યાણજીનો ઇરાદો એની કારકિર્દી માટે બહુ નેક હતો. ગાયક જગજીતસિંહ સાથે કુમારને પહેલી તક મળી હતી. કુમારને સ્ટેજ કાર્યક્રમમાં કિશોરકુમારના ગીતો ગાતા સાંભળી જગજીત પોતાના ઘરે લઈ ગયા હતા અને પોતાની ફિલ્મ ‘આંધિયાં’ માટે એક ગીતનું રિહર્સલ કરાવી સ્ટુડિયોમાં રેકોર્ડ કરાવ્યું હતું. એ ફિલ્મ રજૂ થઈ શકી ન હતી. એમણે કુમારની મુલાકાત સંગીતકાર કલ્યાણજી- આણંદજી સાથે કરાવી હતી.

કલ્યાણજી- આણંદજી સાથે જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મૂળ નામ કેદારનાથ ભટ્ટાચાર્ય હતું. કુમાર ગાવામાં હિન્દી- ઉર્દૂ શબ્દોનો ઉચ્ચાર એકદમ સ્પષ્ટ કરતો હતો. કલ્યાણજીએ કહ્યું કે તું ગાય છે ત્યારે ઉર્દૂ શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટ કરે છે એટલે ખબર પડતી નથી કે ક્યાંનો છે. પણ વાત કરે છે ત્યારે બંગાળી હોવાનો ખ્યાલ આવી જાય છે. તારે નામ પાછળનું આ ‘ભટ્ટાચાર્ય’ કાઢી નાખવું પડશે. કેમકે ગાયક બંગાળી હોવાની નામ પરથી ખબર પડે છે ત્યારે લોકો એવું વિચારે છે કે આ બંગાળી ગાયક ઉર્દૂ ગાયન કેવી રીતે ગાઈ શકશે? અને કલ્યાણજીએ એનું નામ કુમાર સાનૂ કરી દીધું હતું. કુમારને એ પસંદ આવ્યું હતું. ત્યારે ઘણા એવા ગાયકો હતા જેમના ગાયન પરથી ખ્યાલ આવી જતો હતો કે એ બંગાળી છે. કુમારના કિસ્સામાં એવું ન હતું.

Kolkata: Singer Kumar Sanu during ‘Pride of Bengal Awards 2022’ organised by Indian Chamber of Commerce on Saturday night, in Kolkata on Sunday, April 10, 2022. (Photo:Kuntal Chakrabarty/IANS)

કલ્યાણજી- આણંદજીએ કુમારને ફિલ્મ ‘જાદૂગર’ (૧૯૮૯) માં પહેલી વખત અમિતાભ બચ્ચનનું ગીત ગાવા માટે તક આપી હતી. આ વાતની કુમારને પછીથી ખબર પડી હતી. અમિતાભ એ દિવસોમાં અમેરિકા ખાતે એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે કલ્યાણજી- આણંદજીએ ત્યાં જતા સંજય દત્તના હાથે કુમારના એક ગીતની કેસેટ મોકલાવીને સંદેશો આપ્યો હતો કે આ અવાજ તમે સાંભળી લો. અમે તમારી આગામી ફિલ્મનું એક ગીત આ ગાયક પાસે ગવડાવવા માંગીએ છીએ. અમિતાભને કુમારનો અવાજ એટલો પસંદ આવ્યો કે ફિલ્મના બધા જ ગીતો ગવડાવવા પરવાનગી આપી દીધી હતી. ગીતનું રેકોર્ડિંગ કરવાનું હતું એ પહેલાં સુધી કુમારને આ વાત કહેવામાં આવી ન હતી. જ્યારે પહેલું ગીત ‘મૈં જાદૂગર…’ નું રેકોર્ડિંગ થવાનું હતું ત્યારે કલ્યાણજીએ એને સૂચના આપી કે બહુ ફોર્સથી ગાવાનું છે. તારા અવાજની શક્તિ બતાવવાની છે. તને ખબર છે ને કે તું કોના માટે ગાઈ રહ્યો છે? કુમારે ખબર ન હોવાનું કહ્યું.

કલ્યાણજીએ એ ગીત અમિતાભ માટે ગાઈ રહ્યો હોવાની માહિતી આપી ત્યારે કુમાર થોડો નર્વસ થઈ ગયો હતો. પણ એણે ભારે અવાજમાં સરસ રીતે ગાઈ બતાવ્યું હતું. ત્યાં હાજર અમિતાભને એનો અવાજ પસંદ આવ્યો હતો. કુમાર બંગાળી હોવાની ખબર હતી એટલે એમણે બંગાળીમાં જ સારું ગાયું હોવાની પ્રશંસા કરી હતી. કુમારે ફિલ્મના અન્ય ગીતો ‘નાચ મેરી રાધા’ અને ‘આએં હૈં દુઆએં દેને’ પણ ગાયા હતા. કુમારે એક મુલાકાતમાં કહ્યું હતું કે કલ્યાણજી- આણંદજીના કહેવાથી અમિતાભે મારો અવાજ પસંદ કર્યો હોવાથી જ ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકે પ્રવેશ મળ્યો હતો. ફિલ્મ ‘જાદૂગર’ ચાલી ન હતી પણ ઇન્ડસ્ટ્રીમાં એક વાત ફેલાઈ ગઈ કે અમિતાભ માટે પાર્શ્વગાયન કરવા એક નવો છોકરો આવ્યો છે. આ વાત કુમારની કારકિર્દીને વેગ આપવા માટે મોટી બની ગઈ હતી.

પંચાંગ 23/05/2023

PM મોદી નોટબંધી સમયે 2000ની નોટના પક્ષમાં ન હતા

કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન આરબીઆઈએ લોકોને કહ્યું છે કે તેઓ બેંકોમાં જઈને 30 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવેલી નોટ બદલી શકે છે. આ દરમિયાન પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરીની એક મોટી તસવીર સામે આવી છે. તેમણે કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોટબંધી દરમિયાન રૂ. 2,000ની નોટની તરફેણમાં બિલકુલ ન હતા, પરંતુ નોટબંધીની સમય મર્યાદાને કારણે તેમણે તેને મંજૂરી આપવી પડી હતી.

હકીકતમાં, કેન્દ્રએ 30 સપ્ટેમ્બરથી 2,000 રૂપિયાની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા લોકો બેંકમાં જઈને પોતાની પાસે રાખેલી 2000 રૂપિયાની નોટ બદલી શકશે. RBIએ નોટો બદલવાને લઈને કેટલાક નિયમો પણ જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે નોટબંધીના સમયે પણ 2000 રૂપિયાની નોટનો વિરોધ કરવામાં આવ્યો હતો કારણ કે વધુ ચલણને કારણે લોકો માટે કાળું નાણું જમા કરવાનું સરળ છે.

જો કે હવે પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રાએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય 2000 રૂપિયાની નોટને ગરીબોની નોટ નથી ગણી. તેથી જ નોટબંધીના સમયે તેમણે અનિચ્છા છતાં આ નોટને મંજૂરી આપી હતી. નૃપેન્દ્રએ એ પણ જણાવ્યું કે તે સમયે પીએમ મોદી પણ જાણતા હતા કે 2000 રૂપિયાની નોટની હોર્ડિંગ વેલ્યુ (હોર્ડિંગ વેલ્યુ) વધારે છે જ્યારે ટ્રાન્ઝેક્શન વેલ્યુ (ટ્રાન્ઝેક્શન વેલ્યુ) ઓછી છે.

RBI ગવર્નરે ઘણી અટકળો વચ્ચે કહ્યું છે કે બજારમાં કાનૂની ટેન્ડર તરીકે રૂ. 2,000ની નોટનો ઉપયોગ ચાલુ રહેશે. અગાઉના નોટબંધીની જેમ તેને બંધ કરવામાં આવી રહ્યું નથી. જેમાં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. જો કે, રાજ્યપાલે હાલમાં નોટ બદલવાના સમયમાં ફેરફાર કે વિસ્તરણ અંગે કંઈ કહ્યું નથી. આ દરમિયાન તેમણે એક વાત વધુ સ્પષ્ટ કરી કે 2000ની નોટો પર પ્રતિબંધ બાદ જો લોકોને જરૂર જણાશે તો બજારમાં 500ની નોટો વધારવામાં આવશે.

CSK vs GT: ચેન્નાઈ અને ગુજરાતની મેચમાં રેકોર્ડનો વરસાદ થશે

IPL-2023નો લીગ તબક્કો પૂરો થઈ ગયો છે. હવે પ્લેઓફનો વારો છે. મંગળવારથી પ્લેઓફનો પ્રારંભ થઈ રહ્યો છે. ચાર ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. વર્તમાન વિજેતા ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો પણ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે રમાવાની છે. આ મેચમાં બંને ટીમના કેટલાક ખેલાડીઓ રેકોર્ડ બનાવી શકે છે. આ રેકોર્ડ્સ તમને શું કહે છે?

જે ટીમ ક્વોલિફાયર-1 જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચશે. આ સાથે જ હારનાર ટીમને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. આ ટીમ ક્વોલિફાયર-2માં એલિમિનેટર મેચના વિજેતા સાથે ટકરાશે. જે ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં પહોંચશે.


આ ખેલાડીઓ રેકોર્ડ બનાવશે

ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાની ટીમને ટાઈટલ અપાવવાનો પ્રયાસ કરશે. જો પંડ્યા ચેન્નાઈ સામેના ક્વોલિફાયરમાં વધુ બે વિકેટ લે છે તો તે ટી20માં તેની 150 વિકેટ પૂરી કરી લેશે. રવિન્દ્ર જાડેજા પણ પોતાનું નામ નોંધાવી શકે છે. જો આ ડાબોડી બેટ્સમેન વધુ બે સિક્સર ફટકારે તો તે IPLમાં પોતાની 100 સિક્સર પૂરી કરી લેશે.

જો જાડેજા વધુ એક વિકેટ લેશે તો તે IPLમાં તેની 150 વિકેટ પણ પૂર્ણ કરી લેશે. આઈપીએલમાં અત્યાર સુધીમાં જાડેજાએ 149 વિકેટ ઝડપી છે. ચેન્નાઈનો બેટ્સમેન અંબાતી રાયડુ ટી-20 ક્રિકેટમાં 6000 રન પૂરા કરવાથી આઠ રન દૂર છે. આ સિવાય જો રાયડુ પાંચ ચોગ્ગા ફટકારે તો તે T20 ક્રિકેટમાં પોતાના 500 ચોગ્ગા પૂરા કરી લેશે.

રહાણે અને ગિલ પણ લાઇનમાં

ચેન્નાઈનો અજિંક્ય રહાણે પણ T20 ક્રિકેટમાં પોતાના 6000 રન પૂરા કરવાથી 78 રન દૂર છે. તે ગુજરાત સામે આવું કરી શકે છે. જો ગુજરાતનો ઇન-ફોર્મ બેટ્સમેન શુભમન ગિલ વધુ 41 રન બનાવશે તો તે T20માં તેના 3500 રન પૂરા કરશે. જો તે વધુ આઠ ચોગ્ગા ફટકારે તો તે ટી20 ક્રિકેટમાં તેના 350 ચોગ્ગા પણ પૂરા કરી લેશે. ગુજરાતના અલઝારી જોસેફે ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી 99 વિકેટ ઝડપી છે. જો તે વધુ એક વિકેટ લેશે તો તે વિકેટની સદી ફટકારી લેશે.

કોંગ્રેસે AAP સાથે હાથ મિલાવ્યા, કેન્દ્રના વટહુકમ સામે સમર્થન આપવાનો નિર્ણય કર્યો

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. એક સમાચાર અનુસાર, કોંગ્રેસનું આ સમર્થન આમ આદમી પાર્ટીને વટહુકમ વિરુદ્ધ આપવામાં આવશે જે દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નરને બ્યુરોક્રેટ્સના ટ્રાન્સફર અને પોસ્ટિંગના તમામ અધિકારો આપે છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટી આ વટહુકમ સામે વિરોધ પક્ષોની મદદ માંગી રહી છે. આ પહેલા રવિવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કેન્દ્રના આ વટહુકમ સામે અરવિંદ કેજરીવાલને સમર્થન આપવાનું વચન આપ્યું છે.

નીતિશ કુમારે કેન્દ્રના આ વટહુકમને ‘સંવિધાન વિરુદ્ધ’ ગણાવ્યો છે. કેજરીવાલને મળ્યા બાદ નીતીશ કુમારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને આપવામાં આવેલી સત્તા કેવી રીતે છીનવી શકાય છે. તે બંધારણની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલની સાથે ઉભા છે. તેમણે કહ્યું કે તેઓ દેશના સાક્ષી વિરોધ પક્ષોને સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


વિપક્ષી એકતા માટે સતત પ્રયાસ કરી રહેલા નીતિશ કુમાર એક દિવસ પહેલા અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. આ પછી તેઓ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ બેઠક દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ જ એવા સમાચાર સામે આવ્યા હતા કે કોંગ્રેસ પાર્ટી વટહુકમ વિરુદ્ધ કેજરીવાલને સમર્થન આપશે. તેને વિપક્ષી એકતા તરફનું સકારાત્મક પગલું પણ માનવામાં આવી રહ્યું છે.

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આ રાજકીય વૈમનસ્ય વધ્યું જ્યારે કેન્દ્રએ તેની સત્તાનો ઉપયોગ કરીને નેશનલ કેપિટલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરી. આ દ્વારા, કેન્દ્ર એક વટહુકમ લાવ્યું છે જેમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને તમામ પોસ્ટિંગ, તકેદારી અને અન્ય આપાતકાલીન બાબતોમાં નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હતી.