બિપરજોય વાવાઝોડું આજ સવારથી અરબી સમુદ્રમાં આક્રમક બનતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ વાવાઝોડું પોરબંદરથી આશરે 400 કિમી દૂર છે. જો કે બિપોરજોય વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. જો કે હજુ સુધી તેની અસર પોરબંદરના દરીયા કિનારે અત્યારે જોવા મળી રહી છે. સાંજે 5 વાગ્યા બાદ દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને 20 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠે કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે. જેના કારણે કાંઠે અને ચોપાટી જવા ઉપર લોકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ તમામ મંત્રીઓને સોપાઈ જવાબદારી
કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદર માં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લા માં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકી ને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીશ્રીઓ ને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.
બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું
વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તમામ બંદરો 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે ખસેડાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
મુંબઈઃ મહાનગરના રસ્તાઓ પર ધ્વનિ પ્રદૂષણ ઓછું કરવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગ આવતા બુધવારે, 14 જૂને ‘નો હોન્કિંગ ડે’ (નો હોર્ન દિવસ) મનાવશે. આ ઝુંબેશનો આખા શહેરમાં અમલ કરવામાં આવશે. મુંબઈ ટ્રાફિક પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધની આ ઝુંબેશમાં તેઓ સહભાગી થાય અને જરૂર વગર એમનાં વાહનોના હોર્ન વગાડે નહીં. જરૂર વગર કે કારણ વગર હોર્ન વગાડનાર વાહનચાલક સામે એ દિવસે કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈના નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) પ્રવીણ પડવળે કહ્યું છે કે બુધવારના દિવસે મુંબઈ શહેરના તમામ મુખ્ય જંક્શન પર પોલીસ અધિકારીઓ તૈનાત કરીને હોર્ન વગાડવા સંબંધિત વિશેષ ઝુંબેશ અને જનજાગૃતિ કાર્યક્રમ લાગુ કરવામાં આવશે.
મુંબઈમાં જરૂર વગર હોર્ન વગાડવાનું બંધ કરીને ધ્વનિ પ્રદૂષણમાં ઘટાડો કરવાની ઝુંબેશ નિવૃત્ત પોલીસ અધિકારી સંજય પાંડેએ તેઓ જ્યારે શહેરના પોલીસ કમિશનર પદે હતા ત્યારે શરૂ કરી હતી.
હાલમાં ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી શું-શું કરવું જોઈએ અને શું-શું ના કરવું જોઈએ તેના દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આ દિશાનિર્દેશોનું પાલન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.
વાવાઝોડા પહેલા :
અફવાઓને અવગણો, શાંત રહો, ગભરાશો નહીં. આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક સાધવા તમારા મોબાઈલ ફોનને સંપૂર્ણ ચાર્જ કરેલા રાખો; SMS નો ઉપયોગ કરો. હવામાનના અપડેટ્સ માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ, અખબારો વાંચો. તમારા દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓને વોટરપ્રૂફ કન્ટેનરમાં રાખો. ખાલી રૂમમાં રહેવાનો પ્રયાસ કરો. જંગમ વસ્તુઓ સુરક્ષિત રીતે બાંધી રાખો. સલામતી અને બચાવ માટે જરૂરી વસ્તુઓ સાથે આપાતકાલીન કીટ તૈયાર રાખો. તમારા ઘરને, ખાસ કરીને છતને સુરક્ષિત કરો; જરૂર જણાય તો સમારકામ હાથ ધરો; તીક્ષ્ણ વસ્તુઓ છૂટી ન છોડો. ઢોર પ્રાણીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમને ખુલ્લા રાખો. વાવાઝોડાના ઉછાળા /ભરતીની ચેતવણી અથવા પૂરના કિસ્સામાં તમારા નજીકના સુરક્ષિત ઉંચા મેદાન/સુરક્ષિત આશ્રયસ્થાન અને તેમાં જવાનો સૌથી સુરક્ષિત માર્ગ જાણો. ખાવા માટે તૈયાર ખોરાક અને પાણી ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સંગ્રહિત કરો. તમારા કુટુંબ અને સમુદાય માટે મોક ડ્રીલ કરો. સ્થાનિક સત્તાધિકારીની પરવાનગી સાથે તમારા ઘરની નજીકના ઝાડ અને ડાળીઓને ટ્રીમ કરો. દરવાજા અને બારીઓ સુરક્ષિત રીતે બંધ કરો. સરકારી અધિકારીઓ દ્વારા નિર્દેશિત થવા પર તરત જ સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરો.
વાવાઝોડા દરમિયાન :
જો ઇમારતની અંદર હોવ તો : ઈલેક્ટ્રીકલ મેઈન સ્વીચ બંધ કરો, તમામ વિદ્યુત ઉપકરણો અને ગેસ કનેક્શનોના પ્લગ કાઢી નાખો. દરવાજા અને બારીઓ બંધ રાખો. જો તમારું ઘર અસુરક્ષિત છે, તો વાવાઝોડાની શરૂઆત થાય તે પહેલાં વહેલા નીકળી જાઓ સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચો રેડિયો સાંભળો; માત્ર સત્તાવાર ચેતવણીઓ પર આધાર રાખો. ઉકાળેલું ક્લોરીનેટેડ પાણી પીવો , જો ઈમારત ક્ષીણ થવા લાગે, તો ગાદલા, ગોદડાં અથવા ધાબળા વડે અથવા મજબૂત ટેબલ અથવા બેન્ચ નીચે બેસીને અથવા પાણીની પાઈપ જેવી નક્કર ચીજવસ્તુને પકડીને તમારી જાતને સુરક્ષિત કરો.
જો ઇમારતની બહાર હોવ તો :
ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશશો નહીં. શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત આશ્રય મેળવો. વૃક્ષ/ઈલેક્ટ્રિક પોલ નીચે ક્યારેય ઊભા ન રહો, વાવાઝોડું શાંત થયું અમે માનીને બહાર ના નીકળી જવું. સ્થિતિ ગમે ત્યારે બદલી શકે છે. સરકારના વિભાગોની આધિકારિક સૂચનાઓ પછી જ બહાર નીકળવું.
વાવાઝોડા પછી :
ઉકાળેલું, ક્લોરીટેનેડ પાણી પીવાનો આગ્રહ રાખો. જ્યાં સુધી સત્તાવાર રીતે સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી બહાર ન જશો. જો ઇમારત/ મકાન ખાલી કરવામાં આવે, તો પાછા જવાની સલાહ ન મળે ત્યાં સુધી રાહ જુઓ. તૂટેલા વીજ થાંભલાઓ અને છૂટા વાયરો અને અન્ય તીક્ષ્ણ વસ્તુઓનું ધ્યાન રાખો. ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશશો નહીં. ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રિકલ સાધનોનો ઉપયોગ કરશો નહીં, ઈલેક્ટ્રીક નિષ્ણાંત પાસેથી સાધનોની મરમ્મત કરાવવી
માછીમારો માટે :
અફવાઓને અવગણો, શાંત રહો, ગભરાશો નહીં. આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક સાધવા તમારા મોબાઈલ ફોનને સંપૂર્ણ ચાર્જ કરેલા રાખો; SMS નો ઉપયોગ કરો. એક કાગળ પર મહત્વપૂર્ણ સંપર્ક નંબરો લખી રાખો અને તેને સુરક્ષિત રીતે રાખો. વધારાની બેટરીઓ સાથે રેડિયો સેટ હાથમાં રાખો. હવામાનના અપડેટ્સ માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ, અખબારો વાંચો. બોટ રાફ્ટને સુરક્ષિત જગ્યાએ બાંધીને રાખો. દરિયામાં જવાનું સાહસ ન કરો.
મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વૃદ્ધિનું વાતાવરણ જોવા મળ્યું હતું. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટકોમાંથી પોલીગોન અને કાર્ડાનો અનુક્રમે 5.86 ટકા અને 5.46 ટકા વધ્યા હતા. મુખ્ય ઘટેલા કોઇન અવાલાંશ, લાઇટકોઇન, શિબા ઇનુ અને ડોઝકોઇન હતા.
દરમિયાન, અમેરિકન સંસદસભ્ય સિન્થિયા લ્યુમિસે દેશમાં ડિજિટલ એસેટનું ટ્રેડિંગ સરળતાથી થઈ શકે એ માટેનું સકારાત્મક નિયમનકારી માળખું ઘડવાની દિશામાં કામ શરૂ કર્યું છે. બીજી બાજુ, નાઇજીરિયાની સરકારે ક્રીપ્ટોકરન્સી સહિતની ડિજિટલ એસેટ્સના વેચાણ વખતે મળનારા લાભ પર 10 ટકા કરવેરો લાદવાનો નિર્ણય લીધો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.64 ટકા (233 પોઇન્ટ) વધીને 36,545 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 36,312 ખૂલીને 36,712ની ઉપલી અને 36,190 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોમાં ઓનલાઇન ગેમિંગ (ગાઝિયાબાદમાં) દ્વારા ધર્મ પરિવર્તનના કેસ સામે આવ્યા પછી કેન્દ્ર સરકારે બધી જ ગેમિંગ એપનો રિવ્યુ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ત્રણ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. ઓનલાઇન સટ્ટા રમાડતી એપ પણ બંધ થશે. એના માટે નિયમોની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે, એમ કેન્દ્રીય IT રાજ્યપ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું.
ઓનલાઇન ગેમ રમાડવાની આડમાં ચાલી રહેલા ધર્માંતરણ સિન્ડિકેટમાં ગાઝિયાબાદ પોલીસે હાલમાં કાર્યવાહી કરી હતી. આ સિન્ડિકેટના મુખ્ય આરોપી શહનવાઝ મકસૂદ ઉર્ફે બદ્દોને પોલીસે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી ધરપકડ કરી હતી. બદ્દોની સામે 30 મેએ ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. DCP નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે પોલીસે આ કેસમાં ત્રણ પીડિત બાળકોથી પૂછપરછ કરી હતી, એમાં માલૂમ પડ્યું હતું કે ધર્માંતરણના ત્રણ સ્ટેપ છે.
જોકે મંત્રીએ કહ્યું હતું કે ત્રણ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. એક, જેમાં સટ્ટેબાજી સામેલ છે. બે, જે ગેમ્સ હાનિકારક હોઈ શકે છે અને ત્રણ જે ગેમ્સની લત લાગી શકે છે. તેમણે કહ્યું હતું કે સૌપ્રથમ વાર અમે ઓનલાઇન ગેમિંગને લઈને એક માળખું તૈયાર કર્યું છે, જેમાં દેશમાં ત્રણ પ્રકારની ગેમ્સની મંજૂરી નહીં અપાય.
જોકે ઓનલાઇન ગેમિંગ અને ગેમ્બલિંગમાં ફરક હોય છે. ઓનલાઇન ગેમ દ્વારા ગેમર મનોરંજન અથવા ટાઇમપાસ કરે છે, એમાં આગળ વધવા માટે ટાસ્ક આપવામાં આવે છે અને ઓનલાઇન ગેમ મોટા ભાગે ફ્રી હોય છે, જ્યારે ઓનલાઇન ગેમ્બલિંગમાં પૈસાની લેવડદેવડ હોય છે. ગેમ્બલિંગમાં પહેલાં પૈસાની શરત લગાવવાની તક મળે છે અને પછી રમવાની તક મળે છે.
નવી દિલ્હીઃ હીરો મોટોકોર્પ કંપની દુનિયામાં ટૂ-વ્હીલર વાહનોની સૌથી મોટી ઉત્પાદક છે. એણે ભારતીય માર્કેટમાં તેની લોકપ્રિય મોટરસાઈકલ ‘Passion+’ને લોન્ચ કરી છે. નવી Passion+ બાઈકની કિંમત છે રૂ. 76,301 (એક્સ-શોરૂમ, દિલ્હી). આ મોટરબાઈક દેશભરમાં હીરો મોટોકોર્પના ડિલરો પાસે ઉપલબ્ધ છે.
(તસવીરઃ heromotocorp.com)
ભારતના નાના નગરો અને ગામડાઓમાં હીરોની Passion મોટરબાઈક ચાલકોમાં ખૂબ ફેવરિટ છે. એણે પેશન પ્લસ બાઈકને 2020માં બીએસ-6 માપદંડોને કારણે બંધ કરી દીધી હતી. પરંતુ હવે તેણે એને નવા અને વધારે સારા ફીચર્સ સાથે લોન્ચ કરી છે. એનું માઈલેજ વધારે કુશળ બનાવ્યું છે. ડિઝાઈનમાં ખાસ વધારે ફેરફાર કરાયો નથી, પરંતુ એ હવે ત્રણ રંગમાં મળે છે – સ્પોર્ટ્સ રેડ, બ્લેક નેક્સસ બ્લૂ અને બ્લેક હેવી ગ્રે.
વોશિંગ્ટનઃ અમેરિકી અર્થતંત્ર પર હાલ મંદીનું જોખમ ઝળૂંબી રહ્યું છે. સરકારે દેશને ડિફોલ્ટ થવાથી બચાવવા માટે ડેટ સીલિંગ બિલને પાસ કર્યું છે. જોકે અમેરિકામાં છટણીનો દોર હજી પણ જારી છે. મેમાં અમેરિકામાં આશરે 80,000થી વધુ નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો છે. અમેરિકી કંપનીઓએ આ વર્ષે મેમાં વર્ષ 2022માં રેકોર્ડ નોકરીઓમાં કાપની ઘોષણા કરી હતી, એમ અમેરિકાની એક્ઝિક્યુટિવ આઉટપ્લેસમેન્ટ ફર્મ ચેલેન્જર ગ્રે એન્ડ ક્રિસમસ ઇન્કે જણાવ્યું હતું.
અમેરિકી એમ્પ્લોયરે મેમાં 80,089 નોકરીઓમાં કાપની ઘોષણા કરી હતી, જ્યારે ગયા વર્ષે આ મહિનામાં 20,712 છટણી કરવામાં આવી હતી. આ વર્ષે એપ્રિલમાં અમેરિકી કંપનીઓએ 66,995 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ગયા મહિને 80,000થી વધુ અમેરિકી કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી, જેમાંથી 3900 ટેક ક્ષેત્રથી સંબંધિત હતી. આ કર્મચારીઓને AIને કારણે નોકરીઓ ગુમાવી હતી.
આ વર્ષે અત્યાર સુધી કંપનીઓએ 4.17 લાખ નોકરીઓમાં કાપની યોજનાની ઘોષણા કરી હતી. ગયા વર્ષે સમાન સમયગાળામાં 1,00,694 નોકરીઓમાં કાપની ઘોષણા કરી હતી, જે 315 ટકા વધુ છે. અમેરિકામાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ છ મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો અને જોબ ઓપનિંગ ઓછી રહી હતી. મંદીની આશંકાને કંપનીઓએ હાયરિંગ પર બ્રેક લગાવતી જોવા મળી હતી.
અહેવાલ અનુસાર ટેક સેક્ટરમાં મેમાં સૌથી વધુ 22,887ની સાથે સૌથી વધુ છટણીની ઘોષણા કરી હતી. રિટેલ વિક્રેતાઓએ મેમાં 9053 નોકરીઓમાં કાપ સાથે બીજા ક્રમે હતા. ઓટોમોટિવ ક્ષેત્ર 8308 નોકરીઓ અને બેન્કિંગ ક્ષેત્રમાં નાણાકીય કંપનીઓએ મેમાં 36,937 કાપની ઘોષણા કરી હતી.
ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર તોળાઈ રહેલી ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત વ્યાપકતા અને અસરો સામે જિલ્લાતંત્રોની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જીણવટપૂર્વક માહિતી લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજીને દરિયાઈ વિસ્તારના જિલ્લાઓના કલેકટરો પાસેથી તેમના જિલ્લામાં કરાયેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજનની વિગતો જાણી હતી.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદા અંગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી જિલ્લાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તંત્રની સજ્જતાની સમીક્ષા કરી અને નાગરિકોને કોઈ દુવિધા ન પડે તે માટેના આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપી.
CM ભુપેન્દ્ર પટેલે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ સલામતી જળવાઈ રહે તે રીતે આપત્તિ વ્યવસ્થાપન માટેના દિશા-નિર્દેશો આપ્યા હતા. આ માટે પોલીસતંત્રની મદદ લઈને પણ નિચાણવાળા વિસ્તારોના લોકોને સલામત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા તેમણે તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ વીજળી, પાણી, દવાઓ જેવી આવશ્યક વસ્તુઓના પુરવઠાને જો અસર પહોંચે તો તત્કાલ પુન: સ્થાપન માટેની ટીમો, પંપીંગ મશીન્શ, જનરેટર સહિત વ્યવસ્થાઓ તૈનાત રાખવા સૂચનો કર્યા હતા.
આ 6 જિલ્લાઓમાં વાવાઝોડાની અસર વધુ વર્તાશે
સંભવિત વાવાઝોડાને પગલે તીવ્ર ગતિએ પવન ફુંકાવાની સ્થિતિ સર્જાવાની શક્યતાઓ ધ્યાનમાં લઈને જિલ્લાઓમાં હોર્ડિંગ્સ હટાવી લેવા, માર્ગો પર વૃક્ષો, વીજ થાંભલાઓ પડી જાય તો ત્વરાએ દુરસ્તી કાર્ય હાથ ધરવા માટેની વ્યવસ્થાઓ અંગે ભુપેન્દ્ર પટેલે માહિતી મેળવી હતી. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મનોરમાં મોહંતીએ આ સંભવિત વાવાઝોડાની અસર દરિયાકાંઠાના 6 જિલ્લાઓમાં તેમજ રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં મોટા ભાગે 14 જૂનથી દેખાવાની શક્યતાઓ દર્શાવી હતી. આના પરિણામે ભારેથી અતિભારે વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો અને દરિયાઈ મોજા ઉછળવા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે એમ તેમણે વાતાવરણના ભાવિ વરતારાનું પ્રેઝન્ટેશન કરતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં 12થી 14 ત્રણ દિવસ માટે યોજનારો શાળા પ્રવેશોત્સવ બે જ દિવસ 12 અને 13 જૂને યોજવા નિર્ણય કર્યો છે. એટલું જ નહિ, દરિયાકાંઠાના અને સંભવિત વાવાઝોડાની વધુ અસર થઈ શકે તેવા 6 જિલ્લાઓ કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ અને મોરબીમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
9 મંત્રીઓને સોંપાઈ જવાબદારી
આ ઉપરાંત 9 મંત્રીઓને જિલ્લા વહીવટીતંત્રએ કરેલા આપત્તિ વ્યવસ્થાપન આયોજન કામગીરીમાં માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા જિલ્લાઓની જવાબદારી પણ મુખ્યમંત્રીએ સોંપી છે. તદઅનુસાર કચ્છ માટે ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા, મોરબીમાં કનુ દેસાઈ, રાજકોટમાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુંવરજી બાવળીયા, જામનગરમાં મુળુ બેરા, દ્વારકામા હર્ષ સંઘવી, જુનાગઢમાં જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટેની પરષોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ મંત્રીઓએ તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચી જઈ ત્રણ દિવસ ત્યાં જ રોકાણ કરીને તંત્રને માર્ગદર્શન આપશે.
આ સંભવિત આપત્તિને પહોંચી વળવા જિલ્લાતંત્રોએ આશ્રયસ્થાન સુનિશ્ચિત કરવા, દરિયાકાંઠે લાંગરેલી હોડી-બોટને સલામત સ્થળે મૂકવા તેમજ દવાઓ, પશુહાની થાય તો ત્વરિત મૃતદેહ નિકાલ, વાવાઝોડાની સ્થિતિમાં સગર્ભા માતાઓની પ્રસુતિમાં કોઈ તકલીફ ન પડે તે માટે આરોગ્ય સેવાઓની સજ્જતા તેમજ જે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી છે તેની વિગતોની ચર્ચા તેમણે કરી હતી.
રાજ્ય સરકારે NDRF-SDRF ટીમો કરી તૈનાત
રાજ્ય સરકારે આ સંભવિત આપદાના સમયે જરૂર જણાય તો એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ અને આર્મીની મદદ મળી રહે તે માટે સંકલન કેળવ્યું છે અને આ એજન્સીઓ પણ આપદા પ્રબંધન માટે સ્ટેન્ડબાય છે. NDRFની કુલ સાત ટીમ રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં ડિપ્લોય કરવામાં આવી છે તેમજ ૩ ટીમ વડોદરામાં સ્ટેન્ડબાય રખાઇ છે. SDRFની 12 ટીમો પણ તૈનાત છે અને જ્યાં જરૂર જણાય તે વિસ્તારોમાં પહોંચવા સજ્જ છે.
મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરો સાથે કરી વાતચીત
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા કલેકટરોને માર્ગદર્શન આપતા કહ્યું કે, આગામી 72 કલાક સુધી દર કલાકે વાવાઝોડાની સ્થિતિ અને દિશા બદલાઈ શકવાની શક્યતા છે. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરો સ્થિતિ પર સતત ધ્યાન રાખી સ્થાનિક પરિબળો મુજબ યોગ્ય નિર્ણય લે અને જરૂર જણાય ત્યાં સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલરૂમના સંપર્ક સાધી વધુ મદદ પણ મેળવે તે અપેક્ષિત છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં મહેસુલ, ઉર્જા, માર્ગ-મકાન, વન પર્યાવરણ, બંદરો, સાયન્સ ટેકનોલોજી, પશુપાલન સહિતના વિભાગોના વરિષ્ઠ સચિવોએ ઉપસ્થિત રહીને પોતાના વિભાગે કરેલા આગોતરા આયોજનની ભૂમિકા આપી હતી.
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું બિપોરજોય નામનું વાવાઝોડું પોતાની દિશા બદલતા હવે ગુજરાત પર તેનો સૌથી વધુ ખતરો મંડરાયેલો છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ આ વાવાઝોડાની સંભવીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ બન્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. જેમાં આજે કચ્છ,રાજકોટ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે આ જિલ્લામા ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે.
24 થી 48 કલાકમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ શકે છે વાવઝોડું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 340 કિમી દૂર છે. તથા વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 380 કિમી દૂર છે. અને આ વાવાઝોડું 2 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જેના કારણે આ વાવાઝોડુ આગામી 24 થી 48 કલાકમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા રહેલી છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાનું યલો એલર્ટ
બિપોરજોય વાવાઝોડાનો ગુજરાત પર ખતરો વધી રહ્યો છે. આ વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાશે તેને જોતાં તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ બન્યું છે.
14 અને 15 તારીખે અતિભારે વરસાદની આગાહી
મહત્વનું છે કે આ વાવાઝોડુ 15મી જૂન સુધી કચ્છ સુધી પહોંચી શકે છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી 14 અને 15 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.