Home Blog Page 2522

શાહરુખ ખાન ક્યારેય નમસ્તે નથી કહેતો, માત્ર સલામ કરે છે : વિવેક અગ્નિહોત્રી

ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સથી લાઈમલાઈટમાં આવેલા ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આ દિવસોમાં ફરી એકવાર હેડલાઈન્સમાં છે. તેની આગામી ફિલ્મ ધ વેક્સીન વોરનું ટ્રેલર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. આ દરમિયાન વિવેક અગ્નિહોત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દાવો કરતો જોવા મળી રહ્યો છે કે શાહરૂખ ખાન ક્યારેય નમસ્તે કહે છે. તે હંમેશા માત્ર સલામ કહે છે. વિવેક અગ્નિહોત્રીના આ વીડિયોને ઘણા લોકો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ વિડિયો અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમલ રાશિદ ખાન એટલે કે KRK દ્વારા ટ્વિટર (X) પર પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા KRKએ લખ્યું છે કે, હું સમજી શકતો નથી કે વિવેક અગ્નિહોત્રી જૂઠું બોલીને નફરત કેમ ફેલાવી રહ્યો છે.

વીડિયોમાં શું છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિવેક અગ્નિહોત્રી કહેતા જોવા મળે છે, “ભારતના ત્રણ સૌથી મોટા સુપરસ્ટાર મુસ્લિમ છે. તેમાંથી બે હાર્ડકોર ઇસ્લામિક પ્રેક્ટિસ કરનારા લોકો છે. શાહરૂખ ખાન ક્યારેય નમસ્તે નથી કહેતો, તે માત્ર સલામ..સલામ..સલામ કહે છે. જો કે, વિવેક અગ્નિહોત્રીના દાવાને નકારી કાઢવા માટે, આ વીડિયોમાં શાહરૂખની આવી ઘણી ઝલક બતાવવામાં આવી છે, જેમાં તે હાથ જોડીને નમસ્તે કહેતો જોવા મળે છે.

વિવેકની ફિલ્મ ક્યારે આવી રહી છે?

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. જોકે આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. હવે ફરી એકવાર દિગ્દર્શક પોતાની આગામી ફિલ્મ સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. તેમની ફિલ્મ ધ વેક્સીન વોર 28 સપ્ટેમ્બરે મોટા પડદા પર આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં નાના પાટેકર મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં પલ્લવી જોશી, સપ્તમી ગૌડા અને રાયમા સેન પણ છે. વેક્સીન વોરમાં એ બતાવવામાં આવશે કે કોરોના સામે લડવા માટે દેશમાં ઘરેલુ રસી કેવી રીતે અને કેટલી મહેનતથી બનાવવામાં આવી. ટ્રેલરમાં એવી પણ ઝલક જોવા મળે છે કે ફિલ્મમાં રાજકીય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે.

ઓગસ્ટમાં ઘરેલુ પેસેન્જર ટ્રાફિક 23% વધ્યો, માર્કેટમાં ઈન્ડિગો નંબર-1

નવી દિલ્હીઃ દેશમાં એવિએશન સેક્ટરની સંચાલક સંસ્થા DGCA દ્વારા બહાર પાડવામાં આવેલા ઓગસ્ટ મહિનાના એવિએશન આંકડાઓ અનુસાર, ગયા મહિનામાં ઘરેલુ પેસેન્જર ટ્રાફિકમાં 23 ટકાનો વધારો નોંધાયો હતો. દેશની આ માર્કેટ પર ઈન્ડિગો એરલાઈનનો 63 ટકા સાથે કબજો છે અને તેણે પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. વાર્ષિક ધોરણે ઓગસ્ટ મહિનામાં કુલ એક કરોડ 24 લાખ લોકોએ દેશમાં વિમાન પ્રવાસ કર્યો હતો.

આ સતત છઠ્ઠા મહિને એર ટ્રાફિકે ડોમેસ્ટિક સ્તરે પ્રી-કોવિડ લેવલને પાર કરી દીધું છે.

મુખ્ય એરલાઈન્સના માર્કેટ શેર…

ઈન્ડિગોઃ ઓગસ્ટમાં 63.3%, જુલાઈમાં 63.4%

વિસ્તારાઃ ઓગસ્ટમાં 9.8%, જુલાઈમાં 8.4%

અકાસા એરઃ ઓગસ્ટમાં 4.2%, જુલાઈમાં 5.2%

એર ઈન્ડિયાઃ ઓગસ્ટમાં 9.8%, જુલાઈમાં 9.9%

સ્પાઈસજેટઃ ઓગસ્ટમાં 4.4%, જુલાઈમાં 4.2%

અયોધ્યાના રામ મંદિરને સમર્પિત ભારતનું નવું સ્મૃતિ ચિન્હ, જાણો ક્યાં રાખવામાં આવ્યું હતું?

ભારતનું નવું સંભારણું અયોધ્યાના રામ મંદિરને સમર્પિત કરવામાં આવ્યું છે. રાજસ્થાનના એક વેપારી ભક્તે આ પ્રતીક રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભેટમાં આપ્યું છે. ગુલાબી પથ્થરથી બનેલા આ સ્મૃતિચિહ્ન પર ભારત લખેલું છે. તેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કારસેવકપુરમ કાર્યાલયમાં રાખવામાં આવ્યો છે. તેને રજૂ કરનાર ભક્તે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભારત નામ પર હાલની ચર્ચા પૂર્ણ થાય અને દેશનું નામ ભારત હોવું જોઈએ.  કેટલાક લોકો યંગ ઈન્ડિયા કહેવા લાગ્યા. કેટલાક લોકો ભારત બોલવા લાગ્યા અને કેટલાક લોકો હિન્દુસ્તાન પણ બોલવા લાગ્યા. પણ ભારત આપણા દેશનું નામ છે. આચાર્ય પંડિત પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભારત વિશે વાત કરે છે.

‘ભારત શબ્દ હિન્દી શબ્દ છે’

ભારત શબ્દ આપણો પોતાનો હિન્દી શબ્દ છે. હું એ ભક્તનો ખૂબ જ આભારી છું જેણે ભારતીય બનવાની આ યાત્રા શરૂ કરી. ભારત શબ્દ આપણો પોતાનો હિન્દી શબ્દ છે અને ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે ઈન્ડિયા શબ્દનો ઉપયોગ થયો. પરંતુ અમે ભારતીય છીએ અને વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર. જેણે આ શબ્દને તેની જગ્યાએ પાછો સ્થાપિત કર્યો. દેશનું ગૌરવ ભારતનું નામ હવે વિશ્વમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. આ ખૂબ જ સારી શરૂઆત છે અને તે રામજન્મભૂમિથી શરૂ થઈ રહી છે, આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. તમને જણાવી દઈએ કે G20 સમિટ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં ભારતનું નામ લખવામાં આવ્યું હતું.

‘ચક દે ઈન્ડિયા’ ફેમ એક્ટર રિયો કાપડિયાએ દુનિયાને અલવિદા કહ્યું

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સુપરહિટ ફિલ્મો ‘દિલ ચાહતા હૈ’ અને ‘ચક દે ઈન્ડિયા’માં જોવા મળેલા એક્ટર રિયો કાપડિયાનું નિધન થઈ ગયું છે. અભિનેતાએ ગઈકાલે એટલે કે 13 સપ્ટેમ્બરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. રિયોના નિધનના સમાચારથી સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અભિનેતાના નિધનની માહિતી તેના મિત્ર ફૈઝલ મલિક અને તેની પત્નીએ આપી હતી. મળતી માહિતી મુજબ આવતીકાલે એટલે કે 15 સપ્ટેમ્બરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Rio Kapadia (@riokapadia)

15 સપ્ટેમ્બરે ગોરેગાંવમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

રિયો કાપડિયાએ 66 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના પરિવારમાં તેની પત્ની મારિયા અને બે પુત્રો અમન અને વીર છે. જે હાલમાં અભિનેતાના મૃત્યુથી આઘાતમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે રિયોએ 13 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. હવે તેમના અંતિમ સંસ્કાર 15 સપ્ટેમ્બરે મુંબઈના ગોરેગાંવમાં શિવધામ સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. અભિનેતાના નિધનના સમાચાર સાંભળ્યા પછી દરેક સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે.

આ ફિલ્મોમાં રિયો કાપડિયાએ કામ કર્યું હતું

બોલિવૂડ કરિયરની વાત કરીએ તો અભિનેતાએ અત્યાર સુધીની કારકિર્દીમાં ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘મર્દાની’, ‘ખુદા હાફિઝ’, ‘ધ બિગ બુલ’, ‘એજન્ટ વિનોદ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ સિવાય તે તાજેતરમાં ‘મેડ ઇન હેવન 2’ના એપિસોડમાં પણ જોવા મળ્યા હતા.ફિલ્મો સિવાય રિયો કાપડિયા ટીવીનો પણ ફેમસ ચહેરો હતો. અભિનેતા ટીવી શો ‘સપને સુહાને લડકપન કે’ અને સિદ્ધાર્થ તિવારીના ‘મહાભારત’માં પણ જોવા મળ્યો હતો. જેમાં તેણે ગાંધારીના પિતાનો રોલ કર્યો હતો.

ઘઉંની કિંમતોમાં વધારાથી લોટની કિંમતમાં વધારાની શક્યતા

નવી દિલ્હીઃ મોંઘવારી ફરી વધવાનો અંદેશો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મિલોમાં ફ્લોર (લોટ)ના સ્ટોકની તપાસ કરી રહ્યું છે, કેમ કે ફ્લોરની કિંમતો કાબૂમાં રાખી શકાય. એક મહિનામાં ઘઉંની કિંમતોમાં આશરે 10 ટકાનો વધારો નોંધાયો છે. બીજી બાજુ સુગરના ઉત્પાદનમાં 14 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. આમ તહેવારોમાં લોટ અને સુગરની કિંમતો ઓર વધવાની ધારણા છે.

FCI ઘરેલુ કિંમતોને ઓછી રાખવા માટે ખુલ્લા બજાર વેચાણની યોજના (OMSS) હેઠળ ફ્લોર મિલો અને અન્ય જથ્થાબંધ ઉપભોક્તાઓને ઘઉં વેચે છે. જૂનમાં આ યોજના હેઠળ FCIએ 15 લાખ ટન ઘઉં વેચવાની દરખાસ્ત મૂકી હતી. જોકે ઓગસ્ટમાં ઘઉંની કિંમતોમાં 10 ટકાનો ઉછાળો નોંધાયો હતો. તહેવારોમાં માસિક ઘઉંની માગ 50-100 ટકા વધવાની અપેક્ષા છે. હવે જો પર્યાપ્ત સ્ટોક નહીં રહે તો ફ્લોરની કિંમત વધવાની દહેશત છે.

પાછલા એક મહિનામાં ઘઉંની કિંમતોમાં આશરે 10 ટકા અને છેલ્લા એક સપ્તાહમાં આશરે ત્રણ ટકાનો વધારો થયો છે. દિલ્હીમાં ખાનગી વેપારમાં FCIની કિંમતોથી 13 ટકાથી 15 ટકા ઘઉંની કિંમતો વધુ છે. આવામાં FCI મિલોમાં હાજર સ્ટોકની સમીક્ષા કરી છે.

બીજી બાજુ, ઓગસ્ટ 2023માં મહારાષ્ટ્ર સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં અપેક્ષા કરતા ઘણો ઓછો વરસાદ થયો છે. આવી સ્થિતિમાં તેની સીધી અસર શેરડીના ઉત્પાદન પર પડી શકે છે. ઉત્પાદન ઘટવાને કારણે સામાન્ય લોકોને મોંઘવારીના આંચકાનો સામનો કરવો પડી શકે છે. આમ તહેવારો ટાંકણે ઘઉં અને સુગરની કિંમતો વધવાની સંભાવના છે.

 

 

 

 

 

બટેટા ચાટ

સહેલાઈથી અને તરત બની જતી ચાટ એટલે બટેટા ચાટ! આ ચાટ પણ નાનાથી લઈને મોટેરાંને સહુને ભાવે એવી ચાટ છે. બચ્ચાં પાર્ટીના નાસ્તામાં આ એક ડીશ મૂકી શકાય છે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 3-4
  • કાંદો 1
  • જીરા પાવડર 1 ટી.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • કાળું મીઠું 1 ચપટી
  • કાળા મરી પાવડર  ¼ ટી.સ્પૂન
  • આમલીની ચટણી 1 ટી.સ્પૂન
  • લીંબુનો રસ ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાવડર ½ ટી.સ્પૂન
  • ચણાના લોટની ઝીણી સેવ
  • દાડમના દાણા
  • કોથમીર ધોઈને ઝીણી સમારેલી ગાર્નિશ કરવા માટે

લીલી ચટણી માટેઃ

  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • લીલાં મરચાં 1-2
  • લીંબુનો રસ ½ ટી.સ્પૂન
  • કાળું મીઠું 1 ચપટી
  • તળવા માટે તેલ

રીત લીલી ચટણીઃ કોથમીર ધોઈને સમારેલી 1 કપ, લીલાં મરચાં 1-2, લીંબુનો રસ ½ ટી.સ્પૂન, કાળું મીઠું 1 ચપટી, તળવા માટે તેલ, રીતઃ

લીલી ચટણી બનાવવા માટે મિક્સીમાં ધોઈને સમારેલી કોથમીર, મરચાંના ટુકડા, ચપટી કાળું મીઠું, લીંબુનો રસ તેમજ 1 ચમચી પાણી મેળવીને પીસી લો.

રીતઃ કાંદાને ઝીણો સમારી લો.

બાફેલા બટેટા ઠંડા થાય એટલે તેના નાના ટુકડા કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરીને બટેટાના ટુકડા ગોલ્ડન બ્રાઉન તળીને એક પ્લેટમાં કાઢી લો.

તળેલા બટેટાના ટુકડામાં  જીરા પાવડર, કાળા મરી પાવડર, લાલ મરચાં પાવડર, ચાટ મસાલો ચપટી મીઠું મેળવી લો. હવે તેની ઉપર લીલી ચટણી તેમજ આમલીની ચટણી 1-2 ટી.સ્પૂન અથવા જોઈએ તે પ્રમાણમાં ચમચી વડે બટેટા પર નાખી દો. હવે તેની ઉપર ઝીણો સમારેલો કાંદો ભભરાવી દો. ત્યારબાદ ઉપર સેવ ભભરાવ્યા બાદ સમારેલી કોથમીર અને દાડમના દાણાથી ચાટ સજાવીને પીરસો.

તમારા બધા કામ બર્થ સર્ટિફિકેટની મદદથી થશે, 1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ

જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 1 ઓક્ટોબર, 2023થી દેશભરમાં અમલમાં આવવા જઈ રહ્યો છે. ANIના સમાચાર મુજબ હવે બર્થ સર્ટિફિકેટનું મહત્વ ઘણું વધી જશે. તમે આ એકલ દસ્તાવેજનો ઉપયોગ શાળા, કોલેજમાં પ્રવેશ, ડ્રાઇવિંગ લાયસન્સની અરજી, મતદાર યાદીમાં નામ ઉમેરવા, આધાર નોંધણી, લગ્ન નોંધણી અથવા સરકારી નોકરીની અરજી જેવા ઘણા હેતુઓ માટે કરી શકશો.

આ નિયમ 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે

નોંધનીય છે કે જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 1 ઓક્ટોબરથી અમલમાં આવવા જઈ રહ્યો છે. આ કાયદાના અમલ પછી, આધારથી શરૂ કરીને તમામ જરૂરી દસ્તાવેજો બનાવવામાં જન્મ પ્રમાણપત્રની ભૂમિકા વધવા જઈ રહી છે. તમે આધારથી લઈને ડ્રાઈવિંગ લાયસન્સ સુધીના તમામ જરૂરી દસ્તાવેજો કોઈપણ મુશ્કેલી વિના માત્ર જન્મ પ્રમાણપત્ર દ્વારા મેળવી શકો છો. આ બિલ 1 ઓગસ્ટના રોજ લોકસભામાં અને 7 ઓગસ્ટ 2023ના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું. આ પછી હવે કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે કે નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

નિયમોમાં ફેરફાર કરીને તમને આ લાભો મળશે

જન્મ અને મૃત્યુ નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સ્તરે જન્મ અને મૃત્યુનો ડેટાબેઝ તૈયાર કરવાનો છે. આ નિયમ લાગુ થયા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારો સરળતાથી જન્મ અને મૃત્યુનો ડેટા એકબીજાની વચ્ચે શેર કરી શકશે. આ માટે રાજ્યો દ્વારા ચીફ રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ ડેટા જાળવવાનું કામ મુખ્ય રજીસ્ટ્રાર કરશે. બ્લોક કક્ષાએ આ કામગીરી રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે. આનાથી દેશભરમાં જન્મ અને મૃત્યુનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવામાં મદદ મળશે અને રાશન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ જેવા ઘણા ડેટા બેઝ તૈયાર કરવાનું સરળ બનશે.

રાજ્યના 5000 પેટ્રોલ પંપોનું હંગામી હડતાળનું એલાન

અમદાવાદઃ રાજ્યના 5000 પેટ્રોલ પંપધારકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. આ પેટ્રોલ પમ્પોની પડતર માગોને લઈને પેટ્રોલિયમ ડીલર એસોસિયેશન હડતાળ પર ઊતર્યું છે. આવતી કાલે ‘નો પર્ચેસ’નું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિયેશને કમિશન માટે અનેક વખત સરકારને રજૂઆત કરી હોવા છતાં માગ ન સંતોષાતાં હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે અમારા ટ્રેડમાં ડીલર માર્જિન વધારવા માટે ઓઇલ કંપની તરફથી એક ઠરાવ થયેલો છે કે દર છ મહિને અમારું ડીલર માર્જિન રિવિઝન કરવું. છેલ્લું અમારું ડીલર માર્જિન 1 જૂન 2017એ વધારવામાં આવ્યું હતું. ત્યાર બાદથી છ વર્ષથી અમારું ડીલર માર્જિન રિવાઇઝ થયું નથી. એના માટે અમે ઘણા બધા પત્રો લખ્યા અને જેતે અધિકારીઓને રૂબરૂ મળ્યા છે. તેમ છતાં અમને આજ સુધી કોઇ હકારાત્મક જવાબ મળ્યો નથી. હાલ પેટ્રોલમાં રૂ. 3.10 અને ડીઝલમાં રૂ. 2.3 કમિશન આપવામાં આવે છે.

છેલ્લાં છ વર્ષથી કમિશનમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત 17 મહિનાનું CNGનું માર્જિન પણ મળેલું નથી. જેને કારણે પેટ્રોલપંપધારકો રોષે ભરાયા છે અને 15 સપ્ટેમ્બરે પેટ્રોલ ડીઝલની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે. જોકે ગ્રાહકોને પરેશાની ન થાય એ માટે વેચાણ ચાલુ રાખવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે  ગુજરાત તરફથી એક મેસેજ આપવા માટે 15 સપ્ટેમ્બરે ‘નો પર્ચેસ’નું એલાન કર્યું છે. જેમાં ગુજરાતના 5000 પેટ્રોલ પંપ પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહીં કરીને અમે અમારો વિરોધ નોંધાવીશું.

 

 

 

વિશેષ સત્રમાં હાજર રહેવાનો પોતપોતાનાં તમામ સાંસદોને ભાજપ, કોંગ્રેસનો આદેશ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે આવતી 18-22 સપ્ટેમ્બરે સંસદમાં વિશેષ સત્ર બોલાવ્યું છે. તેમાં હાજર રહેવાનો પોતાના તમામ સંસદસભ્યો જોગ વ્હીપ શાસક ભારતીય જનતા પાર્ટી અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીએ બહાર પાડ્યો છે. ભાજપે તેના સાંસદો માટે માત્ર એક લાઈનનો આદેશ બહાર પાડ્યો છે. એવી અટકળો છે કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર આ વિશેષ સત્રમાં ‘એક દેશ, એક ચૂંટણી’ પ્રથા અમલમાં લાવવા અને દેશનું નામ ઈન્ડિયા બદલીને ભારત કરવા જેવા મહત્ત્વના વિષયો લાવવા માગે છે એટલે તેણે સંસદમાં વિશેષ સત્ર બોલાવ્યું છે.

(તસવીર સૌજન્યઃ twitter.com/ Pralhad Joshi)

કેન્દ્ર સરકાર વિશેષ સત્રમાં થનાર ચર્ચા માટેના મુદ્દાઓની જાહેરાત કરે તે વિશે સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર દ્વારા માગણી કર્યા બાદ સરકારે એજન્ડા રિલીઝ કર્યો છે. ચાર ખરડા પાસ કરવા સંબંધિત સંસદીય બાબતોના 75 વર્ષ જૂના ઈતિહાસ વિશે સત્રમાં ચર્ચા કરાશે.

જે ચાર ખરડાને પાસ કરવા અંગે ચર્ચા કરાશે તે આ છેઃ વડા ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાને લગતી શરતો અને મુદત) ખરડો, પોસ્ટ ઓફિસ ખરડો, એડવોકેટ્સ (સુધારિત) ખરડો અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ્સ ખરડો. સંસદીય બાબતોના કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું છે કે આ કાર્યક્રમ કામચલાઉ છે અને એમાં ફેરફાર થઈ શકે છે. જોશીએ આ વિશેષ સત્ર દરમિયાન સંસદમાં ફળદાયી ચર્ચા કરવા માટે હાજર રહેવાનું તમામ સંબંધિત નેતાઓને આમંત્રણ આપ્યું છે.

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન હાંસલ કરતી પાંચ વર્ષની વિદ્યાર્થિની

અમદાવાદઃ સુરતની હજીરાની એએમ/એનએસ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિની મીરા કાર્તિક વાસને નોંધપાત્ર સિદ્ધિ દ્વારા સ્કૂલનું નામ ઇતિહાસમાં કંડાર્યું છે. પાંચ વર્ષની મીરાંએ 12 વિવિધ પેઇન્ટિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને 50 આર્ટવર્ક બનાવીને તેની કલાત્મક કુશળતા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે, જેમાં સોફ્ટ પેસ્ટલ આર્ટ, કાર્ટૂન સ્કેચિંગ, પેલેટ નાઇફ પેઇન્ટિંગ, ફિંગર પેઇન્ટિંગ, મંડાલા, મધુબની, વારલી આર્ટ,  ચારકોલ આર્ટ, એક્રેલિક પેઇન્ટિંગ, વોટર કલર વેટ ઓન વેટ, બર્ડ પેઇન્ટિંગ અને પ્રિન્ટિંગ સ્કિલ વિથ વોટર કલરનો સમાવેશ થાય છે.

મીરાંની સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતાં એએમ/એનએસ ઇન્ટરનેશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલ સુનીતા મટ્ટુએ જણાવ્યું હતું કે મીરા અને તેની અભૂતપૂર્વ સિદ્ધિ માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. આટલી નાની ઉંમરમાં વિવિધ પેઇન્ટિંગ સ્કિલ હસ્તગત કરવી તે એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેની આ સિદ્ધિ વિદ્યાર્થીઓના કૌશલ્યનું સંવર્ધન થાય તેવું વાતાવરણ પૂરું પાડવાની અમારી નિષ્ઠા દર્શાવે છે.

સ્કૂલનું વાતાવરણ તેમના અભ્યાસમાં ઉત્તમ પરિણામ લાવવાના પ્રયાસોની સાથે-સાથે તેમનામાં સક્રિય કલા ભાવના પેદા કરવાનું વાતાવરણ દર્શાવે છે. મીરાની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની રુચિ ધરાવતા વિષયમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડશે. ચેન્નાઈમાં ઓક્ટોબર 17, 2017એ જન્મેલી મીરાએ 18 ઓગસ્ટે પ્રતિષ્ઠિત ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.