Home Blog Page 2387

કોરાનાના 24 નવા કેસો, એક પણ મોત નહીં        

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,150 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,293 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,626 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 18 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 257 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,094 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,74,574 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 110 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ટીમ મેનેજમેન્ટને હાર્દિક પંડ્યાની બદલીમાં બીજો કોઈ ખેલાડી જોઈતો નથી

બેંગલુરુઃ વર્લ્ડ કપ-2023ની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ અત્રે નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં નીતિન પટેલના નેતૃત્ત્વ હેઠળની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. પંડ્યાને ડાબા પગના ઘૂંટણ અને પગની એડીમાં ઈજા થઈ છે. અગાઉ કરતાં હવે એની ઈજા ગંભીર પ્રકારની જણાય છે. એનો સ્નાયુ (લિગામેન્ટ) ફાટી ગયો છે. ડોક્ટરોએ આને ગ્રેડ-1 ‘લિગામેન્ટ ટોર્ન’ તરીકે ઓળખાવ્યું છે. આ ઈજામાંથી સાજા થતાં પંડ્યાને લગભગ બે અઠવાડિયા લાગશે.

(ફાઈલ તસવીર)

દરમિયાન, ભારતનું ટીમ મેનેજમેન્ટ પંડ્યાની જગ્યાએ બીજા કોઈ ખેલાડીને વર્લ્ડ કપ-2023 ટીમમાં સામેલ કરવા માગતું નથી. તે હાર્દિકના સાજા થવાની રાહ જોવા તૈયાર છે. ગઈ કાલે એવા અહેવાલો હતા કે પંડ્યાની જગ્યાએ ટીમમાં અક્ષર પટેલને સામેલ કરવામાં આવશે, પરંતુ એ સમાચારને સત્તાવાર રીતે કોઈ સમર્થન મળ્યું નથી.

પંડ્યાને આ ઈજા પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ વખતે થઈ હતી. તે બોલિંગમાં હતો અને બેટરે ફટકારેલા બોલને જમણા પગથી અટકાવવા જતાં એ લપસી પડ્યો હતો અને શરીરનો બધો ભાર ડાબા ઘૂંટણ પર આવી ગયો હતો. હાર્દિકે હજી તો બોલિંગની શરૂઆત જ કરી હતી અને ત્રણ જ બોલ ફેંક્યા હતા. ઈજા થતાં એને પેવિલિયનમાં પાછા ફરવું પડ્યું હતું અને તે પછી વર્લ્ડ કપની એકેય મેચમાં રમ્યો નથી.

 

કશ્મીર સરહદે સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓનો ખાતમો કર્યો

જમ્મુ/શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના કુપવાડા જિલ્લામાં પાકિસ્તાન સાથેની સરહદ પર ગઈ કાલે રાતે બે ઘટના બની હતી. એક ઘટનામાં, સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરનાર પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એ પાંચેય આતંકી લશ્કર-એ-તોઈબા સંગઠનના હતા. બીજી ઘટનામાં, જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોએ કરેલા ઉશ્કેરણી-વિહોણા ગોળીબારનો ભારતના સુરક્ષા દળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન રેન્જર્સના સૈનિકોએ ગઈકાલે રાતે લગભગ 8 વાગ્યાના સુમારે કુપવાડા જિલ્લાના માછીલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર અચાનક ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. ગઈ મોડી રાતે આ ઘટના વિશે છેલ્લો અહેવાલ મળ્યો હતો ત્યારે બંને બાજુએ ગોળીબાર ચાલુ હતો. પાકિસ્તાનીઓના ગોળીબારમાં સીમા સુરક્ષા દળના એક જવાનને ઈજા થઈ હોવાનું મનાય છે, પરંતુ એ વિશે સત્તાવાર સમર્થન મળ્યું નથી.

માછીલ સેક્ટરમાં જ સુરક્ષા દળોએ હાથ ધરેલા ઓપરેશનમાં લશ્કર-એ-તોઈબાના પાંચ ત્રાસવાદી ઠાર મરાયા હતા. તે પાંચ આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે સુરક્ષા દળોએ એમને પડકાર્યા હતા. આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ વળતો ગોળીબાર કરીને પાંચેયને ખતમ કર્યા હતા. મૃત આતંકીઓ પાસેથી AK શ્રેણીની પાંચ રાઈફલ તથા બીજી વાંધાજનક સામગ્રીઓ મળી આવી હતી.

કુપવાડા પોલીસને ગુપ્તચરો તરફથી બાતમી મળી હતી કે સરહદ પારથી આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના છે. તેથી કુપવાડા પોલીસ અને ભારતીય સેનાના જવાનોએ ત્વરિત સંયુક્ત કામગીરી બજાવીને ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો.

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૭ ઓક્ટોબર, ૨૦૨૩

૨૭ ઓક્ટોબર, ૨૦૨૩

Chitralekha Gujarati – November 06, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 27/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 27/10/2023

પાલનપુર બ્રિજ દુર્ઘટના : પુલ બનાવતી કંપની બ્લેકલિસ્ટ, 2 અધિકારી સસ્પેન્ડ

પાલનપુરમાં આરટીઓ સર્કલ નજીક રેલવે ઓવરબ્રિજના ગડર પડવાની ગોઝારી ઘટનામાં બે યુવકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાત્કાલીક તપાસના આદેશ આપ્યા બાદ એક ટીમ રચવામાં આવી હતી જેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જો કે તે પહેલાં બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પુલ બનાવતી કંપની બ્લેકલિસ્ટ કરી છે તેમજ 2 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તપાસ ટીમે તાત્કાલીક સ્થળની મુલાકાત લીધી

મળતી માહિતી મુજબ, પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટના અન્વયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી. આ કમિટીના સભ્યોએ બનાવના દિવસે જ સાંજે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. તદઉપરાંત, માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી કન્ટ્રોલના મુખ્ય ઈજનેર અને અધિક સચિવે પણ સ્થળની મુલાકાત લીધી હતી.

સ્થળ ઉપરથી જરૂરી નમૂના લીધા હતા

કોંન્ક્રીટના સેમ્પલ, સ્ટીલના સેમ્પલ, ડિઝાઈન, નકશાઓ વગેરે એકત્રિત કરીને સ્થળ પર પડેલી ગર્ડરનું અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલનાં પરીક્ષણ પરિણામો ટૂંક સમયમાં અપેક્ષિત છે. તે આવ્યા બાદ સમિતિ ઘટનાનાં વિગતવાર તારણો પર આવી શકશે. પરંતુ, જે દુર્ઘટના બની છે, તેના પ્રાથમિક અહેવાલમાં જણાયું છે કે નિર્માણાધીન બાંધકામ વિસ્તારમાં બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આ કમનસીબ ઘટના નિવારી શકાઈ હોત.

મુખ્યમંત્રીએ આપ્યા હતા કડક કાર્યવાહીના આદેશ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની ગંભીરતા પૂર્વક નોંધ લઈને ઘટના સંદર્ભમાં દોષિતો સામે કડક કાર્યવાહી માટેના આ પ્રમાણેના નિર્ણયો કર્યા છે. તદઅનુસાર, આ આર.ઓ.બી.ના કામના કોન્ટ્રાક્ટર જી.પી.સી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાલનપુરને બ્લેકલિસ્ટ કરવા માટેની જરૂરી કાર્યવાહી તત્કાલ હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી છે. તે જ રીતે, આ કામના કન્સલ્ટન્ટ મેક્વે મેનેજમેન્ટ લિમિટેડને ડી-બાર કરવા માટે પણ તેમણે આદેશ આપ્યા છે. આ આર.ઓ.બી.ની કામગીરી અંગે સંબંધિત મદદનીશ ઈજનેર અને નાયબ કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી હેઠળ મૂકવાના આદેશો કરવાની સૂચના આપી છે.

ઈઝરાયલી બંધકોને હમાસ ઈરાનને સોંપશે, રશિયામાં કરી મોટી જાહેરાત

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક બની રહ્યું છે, છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 6500થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજારો લોકો ઘાયલ થયા છે. આ યુદ્ધમાં હમાસના લડવૈયાઓએ સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા છે. હવે હમાસ તેમને મુક્ત કરવા તૈયાર છે. ઈરાનના મંત્રી સાથે રશિયા પહોંચેલા હમાસના પ્રતિનિધિ મંડળે આ જાહેરાત કરી છે. જોકે, હમાસ આ બંધકોને ઈઝરાયેલને નહીં પરંતુ ઈરાનને સોંપશે. ગુરુવારે હમાસનું પ્રતિનિધિમંડળ ઈરાનના વિદેશ મંત્રી સાથે રશિયા પહોંચ્યું હતું. મોસ્કોમાં રશિયાના વિદેશ મંત્રાલયમાં પુતિનના વિશેષ દૂત મિખાઈલ બોગદાનોવ સાથે બેઠક યોજાઈ હતી. આ મુદ્દાનો મુખ્ય એજન્ડા ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ દ્વારા સતત હુમલા રોકવાનો હતો. અહીં યોજાયેલી બેઠક બાદ ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે હમાસ યુદ્ધ દરમિયાન બંધક બનેલા સૈનિકો અને નાગરિકોને છોડવા અને ઈરાનને સોંપવા તૈયાર છે.

પેલેસ્ટાઈનનો સ્વતંત્રતાનો અધિકાર

રશિયામાં યોજાયેલી બેઠકમાં હમાસના પ્રતિનિધિમંડળે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલા રોકવાની માંગ કરી હતી. હમાસના પ્રતિનિધિમંડળે પેલેસ્ટિનિયન લોકોના સ્વતંત્રતાના અધિકારનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રતિનિધિ મંડળે કહ્યું કે ઈઝરાયેલે 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન નાગરિકો પર હુમલો કર્યો હતો, આ હજુ પણ ચાલુ છે. આ યુદ્ધ અપરાધ જેવું છે, તેને યોગ્ય ગણી શકાય નહીં.

હમાસે રશિયાના વલણની પ્રશંસા કરી

રશિયા પહોંચેલા હમાસના પ્રતિનિધિ મંડળે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે રશિયાના વલણની પ્રશંસા કરી હતી. સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાયને આ પ્રકારના હુમલા રોકવા માટે જવાબદારી લેવા અપીલ કરી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના વિશેષ દૂત બોગદાનાવે પેલેસ્ટાઈનના લોકોના અધિકારો માટે તેમના દેશના સમર્થનનો અવાજ ઉઠાવ્યો હતો. આ પહેલા હિઝબુલ્લાહ, હમાસ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદના વડાઓ પણ એક દિવસ પહેલા લેબનીઝ રાજધાનીમાં મળ્યા હતા. કહેવાય છે કે આ બેઠકમાં ત્રણેય સંગઠનોએ ઈઝરાયેલ સામે પૂરી તાકાતથી લડવા પર ચર્ચા કરી હતી.