નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે મુખ્ય આરોપી લલિત ઝાએ ગુરુવારે સરન્ડર કરી દીધી હતી. આ પહેલાં સંસદની અંદર અને બહાર સ્મોક કેનથી ધુમાડો ઉડાડનારા ચાર આરોપીઓની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. સંસદ પરના હુમલામાં ચાર સહયોગીઓની ધરપકડ કર્યાના એક દિવસ પછી કાવતરાખોર લલિત મોહન ઝા (32)એ પકડાઈ જતાં પહેલાં ગુરુવારે સવારે મોબાઇલ ફોન સહિત બધા ટેક્નિકલ પુરાવા નષ્ટ કરી દીધા હતા.
બુધવારે ચારો આરોપીઓ-મનોરંજન ડી, સાગર શર્મા, નીલમ વર્મા અને અમોલ શિંદે સંસદની અંદર અને બહાર પકડાઈ ગયા પછી લલિત તેના ID કાર્ડ અને મોબાઇલ ફોનની સાથે ભાગવામાં સફળ રહ્યો હતો. રાત્રે 11.30 કલાકે તે બસથી કુચામન સિટી પહોંચ્યો હતો, જ્યાં તેની મુલાકાત સહયોગી મહેશ સાથે થઈ હતી. તેને પણ ગ્રુપમાં સામેલ થવું હતું, પણ તેની માએ તેની અટકાવતાં તે આમાં સામેલ નહોતો થઈ શક્યો. મહેશ ભગત સિંહ ફેન પેજ નામના એક ફેસબુક ગ્રુપના માધ્યથી ઝા અને અન્ય લોકોથી સંકળાયેલો હતો.
તપાસમાં માલૂમ પડ્યું હતું કે મહેશ તેના કઝિન ભાઈ કૈલાશની સાથે લલિત ઝાને એક ઢાબા પર લઈ ગયો હતો અને માલિકથી એક રૂમ માટે વિનંતી હતી. ઢાબાનો માલિક મહેશને ઓળખતો હતો, જેથી તેણે તેને એક રૂમ આપી દીધી હતી. ગુરુવારે સવારે ઝાએ તેની મદદથી ફોન નષ્ટ કરી દીધો હતો. ત્યાર બાદ મહેશ ને ઝા કૈલાશને એ કહીને ચાલ્યો ગયો હતો કે તે સંસદની સામે આત્મ સમર્પણ કરવા જઈ રહ્યો છે.
બની ગયેલ ઘટનાને જેટલી જલ્દી મનમાંથી કાઢી નાખીશું તેટલો સુખ-શાંતિનો અનુભવ કરીશું. સાધન અને સગવડોના આ યુગમાં શારીરિક શ્રમ કરવોએ એ શરમની વાત થતી જાય છે. મનુષ્ય પોતાનો જરૂરી સામાન ઉઠાવવા માટે કોઈ સાથી કે મજુર ઓ આધાર લે છે, પરંતુ બિનજરૂરી ભાર તે એકલો જ મન રૂપી પીઠ પર રાખી રહ્યો છે. આ બિનજરૂરી ભારને ઉઠાવવા વાળો કોઈપણ સાથી તેને દેખાઈ નથી રહ્યો. આજે મનુષ્યને એ કડવો અનુભવ છે કે જે પણ વ્યક્તિ પર મનને હલકું કરવા માટે આશા રાખી તેણે તેના મનના ભારને, ચિંતાઓને વધારી દીધી પરંતુ ઓછી ન કરી.
ધારો કે એક વસ્તુનું વજન 15 ગ્રામ છે. તો તેને ઊંચકવામાં કોઈ તકલીફ અનુભવ નહીં થાય. પરંતુ જો કોઈ વ્યક્તિ આજ 15 ગ્રામ વજનની વસ્તુને મુઠ્ઠીમાં પકડી રાખે કે હથેળી પર રાખે, તો આ 15 ગ્રામ વજન તેના માટે ખુબ વજનદાર બની જશે. તે વ્યક્તિ સતત 15 ગ્રામની તે વસ્તુને હાથમાં પકડી રાખવાના કારણે પોતાને કેદી સમજવા લાગશે તથા તે બેચેન રહેશે. આવી જ સ્થિતિ મનુષ્યના મનની છે. વાત ભલે નાની હોય કે મોટી પરંતુ મનુષ્ય જ્યારે તેને પોતાના મનની અદ્રશ્ય મુઠ્ઠીમાં પકડી લે છે ત્યારે તે ભારે બની જાય છે. વાત વાસ્તવમાં નાની હોય છે પરંતુ સતત તેને મનમાં રાખવાથી તે નાની વાત પણ વજનદાર અનુભવ થાય છે. વ્યક્તિની માનસિક સ્થિતિ ડામાડોળ બની જાય છે. મન તથા બુદ્ધિમાં લાંબા સમય સુધી રાખેલ વાત ના કારણે બીજી કલ્યાણકારી વાત બુદ્ધિમાં ટકી શકતી નથી. સ્વચ્છ વસ્તુ હલકી હોય છે પરંતુ મેલ લાગવાના કારણે તેનું વજન વધી જાય છે. મનુષ્યનું મન પણ મેલું થવાના કારણે તે ભારે બની જાય છે.
માનવીનું મન જો શુદ્ધ સંકલ્પો થી ભરેલું હોય તો તે ફરિસ્તાની જેમ ઉડવાનો અનુભવ કરી શકે છે અને જો તે અશુદ્ધ સંકલ્પથી ભરેલુ હોય તો કાદવમાં ખૂંપવાનો અનુભવ કરે છે. ઘણીવાર સારી વાતને પણ અલગ રીતે જોવામાં આવે તો મનમાં નફરત ઉભી થાય છે. એક ગુરુ પોતાના શિષ્યની સાથે નદીના સામા કિનારે જઈ રહ્યા હતા તે સમયે નદીમાં ડૂબતી એક યુવતી પર તેમની નજર પડી. તેમણે તરત તે યુવતીનો હાથ પકડી લીધો અને ટેકો આપીને કિનારા પર તેને છોડી દીધી. તે યુવતી ત્યાંથી જતી રહી તથા ગુરુ શિષ્યની સાથે આગળની યાત્રા પર નીકળી પડ્યા. બે દિવસ બાદ તેમનો પડાવ આવ્યો. બંને ત્યાં બેઠા. ગુરુએ જોયું કે શિષ્યના ચહેરા ઉપર શંકા, નફરત તથા નકારાત્મક વિચારોની છાયા હતી.
કારણ પૂછવા પર એણે કે એક સન્યાસી હોવાના કારણે તમારા માટે એક સ્ત્રીને સ્પર્શ કરવો પણ અયોગ્ય છે જ્યારે તમે તો તેનો હાથજ પકડી લીધો. સન્યાસીએ હસતા હસતા કહ્યું કે યુવતીનો હાથ તો તેં પકડ્યો છે. મેં તો એક ડૂબતાને બચાવવાનો, પ્રાણી માત્ર ઉપર દયા કરવાનો ધર્મ નિભાવ્યો છે. તારા મને તેને અયોગ્ય સમજ્યું છે, તથા બે દિવસથી તે બોજાને મનમાં સંગ્રહ હોવાથી તારું મન ભારે બની ગયું છે. આ છે મનનો બોજો. બની ગયેલી ઘટનાને જેટલા સમય સુધી મનમાં રાખીશું એટલો સમય સુખ-શાંતિનો અનુભવ નથી થઈ શકે. તથા જેટલું જલ્દી તેને મનમાંથી કાઢી નાખીશું તેટલા હલકા બની જઇશું.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 312 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,04,142 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,310 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,69,536 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 200 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1296 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,206,778,764 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 153 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈઃ પ્રદૂષણની સાથે ધૂળની રજકણોને હવામાં ફેલાતી રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ શહેરમાં ક્લાઉડ સીડિંગ (માનવ નિર્મિત વાદળમાંથી વરસાદ) ટેક્નોલોજી દ્વારા કૃત્રિમ વરસાદ પાડવાનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે વૈશ્વિક સ્તર પર કંપનીઓને એમના બિડ રજૂ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે આ માટે એકેય વિદેશી કંપની તરફથી પ્રતિસાદ મળ્યો નથી. ચાર ભારતીય કંપનીઓએ પ્રયોગ કરવાની તૈયારી બતાવી છે. તેથી બિડિંગ પ્રક્રિયાને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે. મહાપાલિકાએ દુનિયાભરની માત્ર એવી જ કંપનીઓને એમના બિડ મોકલવા કહ્યું છે જેમની પાસે ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવાનું લાઈસન્સ હોય.
છેલ્લા બે મહિનાથી મુંબઈમાં હવાની ગુણવત્તામાં ઘણો બગાડો થયો છે. શહેરમાં હજારોની સંખ્યામાં બાંધકામો ચાલુ હોવાથી હવામાં ધૂળના રજકણો મોટા પાયે ભળી રહ્યા છે. પ્રદૂષણ બગડવાનું આ જ મુખ્ય કારણ હોવાનું મનાય છે. મહાપાલિકાએ બાંધકામ સ્થળો માટે 27 નિયમોની એક યાદી પણ તૈયાર કરી છે.
મુંબઈમાં કૃત્રિમ વરસાદ પાડવાનો આઈડિયા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો છે. એમની સૂચનાને પગલે જ મુંબઈ મહાનગરપાલિકાએ કૃત્રિમ વરસાદ પાડવા માટે જાગતિક સ્તરે ‘એક્સપ્રેસ ઓફ ઈન્ટરેસ્ટ’ની ઓફર મૂકી છે. પ્રયોગ માટે રૂચિ દર્શાવનાર કંપનીઓ પાસેથી કૃત્રિમ વરસાદની ટેક્નોલોજી જાણવામાં આવશે અને તે પછી જે શ્રેષ્ઠ લાગશે તે ટેક્નોલોજીનો સ્વીકાર કરવામાં આવશે.
તિરુપતિઃ દીપિકા પદુકોણની નવી ફિલ્મ આવી રહી છે ‘ફાઈટર’. એમાં તેણે હૃતિક રોશન સાથે જોડી બનાવી છે. આ હવાઈ એક્શન થ્રિલર ફિલ્મ આવતા વર્ષની 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને દર્શકો તરફથી આવકાર મળે એ માટે ભગવાનના આશીર્વાદ મેળવવા તે અહીં ભગવાન વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી) મંદિરે આવી છે. તે ગઈ કાલે સાંજે એની નાની બહેન અનિશા સાથે આવી હતી. દીપિકાએ કાળા રંગનો સેટ પહેર્યો હતો અને માથે વાળનો અવ્યવસ્થિત અંબોડો વાળ્યો હતો. બંને બહેનોએ આજે સવારે મંદિરમાં પૂજા કરી હતી. મંદિરમાં દીપિકાનાં આગમનના અનેક વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થયાં છે.
‘ફાઈટર’ ભારતની પ્રથમ એરિયલ (હવાઈ) એક્શન ફિલ્મ છે. આ ફિલ્મમાં હૃતિક રોશન, દીપિકા પદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ત્રણેય જણ ફિલ્મમાં ભારતીય હવાઈ દળના ઓફિસરોનો રોલ ભજવી રહ્યાં છે. ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ‘વોર’ અને ‘પઠાણ’ ફિલ્મો બનાવનાર સિદ્ધાર્થ આનંદ ‘ફાઈટર’ના દિગ્દર્શક છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.
આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. શ્રેણીમાં 0-1થી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયાએ જોહાનિસબર્ગમાં રમાયેલી છેલ્લી મેચમાં 106 રનથી જબરદસ્ત જીત નોંધાવીને શ્રેણી ડ્રો પર સમાપ્ત કરી દીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ કેપ્ટન સૂર્યકુમાર યાદવની ચોથી T20 સદીના આધારે 201 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ‘બર્થ ડે બોય’ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ દક્ષિણ આફ્રિકાની બેટિંગને વેરવિખાર કરી નાખી હતી અને આખી ટીમને માત્ર 95 રનમાં આઉટ કરી દીધી.
ભારતીય T20 ટીમ સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ સતત શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેણે તાજેતરમાં જ ઘરઆંગણે 5 મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું હતું. હવે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની 3 મેચની શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ ગુરુવારે જોહાનિસબર્ગમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે સૂર્યકુમાર યાદવે 56 બોલમાં સદી ફટકારી હતી.
An indeed Happy Birthday 🎂@imkuldeep18 records his first 5 wicket haul in T20Is 👏
આ ટાર્ગેટના જવાબમાં આફ્રિકાની આખી ટીમ 13.5 ઓવરમાં 95 રન પર જ સિમિત રહી ગઈ હતી અને 106 રનના માર્જિનથી મેચ હારી ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે શ્રેણી બરોબરી કરી હતી. આફ્રિકા તરફથી ડેવિડ મિલરે મેચમાં સર્વાધિક 35 રન અને એડન માર્કરામે 25 રન બનાવ્યા હતા. જ્યારે 8 બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે 2.5 ઓવરમાં 17 રન આપીને 5 વિકેટ લીધી હતી.
For his captain knock, @surya_14kumar receives the Player of the Match award 👏#TeamIndia won by 106 runs and levelled the series 1-1