અમદાવાદ: શહેરમાં એક દિવસીય પ્રિન્સિપાલ’સ એકેડેમી વર્કશોપ યોજાયો. આ વર્કશોપમાં 25થી વધુ શાળાના આચાર્યો અને શિક્ષકોએ ભાગ લીધો. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વ્યક્તિઓ અને સંસ્થાઓને તેમની સર્વોચ્ચ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે અને તેમના સશક્તિકરણ માટે જાણીતા વિશ્વ વિખ્યાત કેટાલાઈઝર ફ્રેન્કલીનકોવેના બ્રુક જુડની આગેવાની હેઠળ આ વર્કશોપ યોજાયો.
તેઓ ત્રણ દાયકાથી વધુના સમૃદ્ધ વારસા સાથે, વિશ્વભરમાં નેતૃત્વ અને શિક્ષણ માટે નવીન અભિગમોને આકાર આપવામાં મોખરે છે. આ વર્કશોપ ઈવોલ્વિંગ એજ્યુકેશનલ લેન્ડસ્કેપને અસરકારક રીતે નેવિગેટ કરવા માટે એજ્યુકેશનલ લીડર્સને અદ્યતન વ્યૂહરચના અને આંતરદૃષ્ટિથી સજ્જ કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો હતો. બ્રુક જુડે બહોળા અનુભવ અને કુશળતા સાથે, નેતૃત્વ કૌશલ્યો વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને શાળા સમુદાયોમાં સતત સુધારણાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી વિચાર-પ્રેરક ચર્ચાઓ, ઇન્ટરેક્ટિવ સેશન અને પ્રેક્ટિકલ એક્સરસાઇઝ કરાવી હતી.
વર્કશોપમાં શૈક્ષણિક નેતૃત્વ માટે જરૂરી વિષયોની વિશાળ શ્રેણી આવરી લેવામાં આવી હતી. જેમાં વ્યૂહાત્મક આયોજન, અસરકારક કોમ્યુનિકેશન, ટેલેન્ટ ડેવલપમેન્ટ તેમજ વિશ્વાસ અને જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
પ્રિન્સિપાલ’સ એકેડેમી વર્કશોપમાં સહયોગ, નવીનતા અને શિક્ષણના ભાવિને આકાર આપવા માટે સતત શીખતા રહેવું વગરેના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ઝાયડસ, કેલોરેક્સ, એસ.એ.એસ., ઉદગમ વગેરે જેવી અગ્રગણ્ય શાળાઓએ ભાગ લીધો હતો.
નવી દિલ્હીઃ NDA સીટ વહેંચણીથી રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા નારાજ છે. પાર્ટીને NDAમાં એક સીટ મળી છે, જ્યારે તેમની બે સીટની માગ હતી. બીજી બાજુ, કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. બિહારમાં તેમની પાર્ટીને એક પણ સીટ નથી મળી.
બિહારમાં NDAમાં સીટોની વહેંચણીનું એલાન થઈ ચૂક્યું છે. સીટ વહેંચણી હેઠળ ભાજપ ફરી એક વાર મોટા ભાઈની ભૂમિકા છે. ભાજપ બિહારમાં 17 સીટો પર ચૂંટણી લડી રહ્યો છે, જ્યારે JDUના ખાતામાં 16 સીટો આવી છે. અન્ય સહયોગી પક્ષોમાં- ચિરાગ પાસવાની લોકજનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને પાંચ, HAMને એક તથા ઉપેન્દ્ર કુળવાહાની પાર્ટી- રાષ્ટ્રીય લોક જનતા દળને એક સીટ મળી છે. એમાં પશુપતિ પારસની RLJPને એક પણ સીટ નથી આપવામાં આવી.
તેમણે કહ્યું હતું કે મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો. એક પણ બેઠક નથી આપવામાં આવી. મેં મારું રાજીનામું મોકલી દીધું છે. મેં લગન અને વફાદારીથી NDAની સેવા કરી, પરંતુ મારી સાથે વ્યક્તિગત ન્યાય નથી થયો. આજે પણ હું વડા પ્રધાન મોદીનો અહેમાનમંદ છું. મેં જેટલું બોલવું હતું એટલું બોલી લીધું છે. ભવિષ્યનું રાજકારણ અમે પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે બેસીને વિચારવિમર્શ કરીશું.તેમણે વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે હું આપને જાણ કરું છુ કે હું અમુક કારણોસર મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું. એ દરમ્યાન મંત્રી પરિષદના સભ્ય તરીકે મારી પર વિશ્વાસ મૂકવા બદલ તમારો આભાર.
સુરત: મંગળવારની વહેલી સવારે ડાયમંડ નગરી સુરતમાં ધુમ્મસ છવાયું હતું. શહેરી વિસ્તારમાં ધુમ્મસના કારણે આહ્લાદક બનેલા વાતાવરણથી સુરત કોઈ હિલ સ્ટેશન હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો.
સૂર્યોદયના સમય પહેલા તો પાંચ ફૂટ દૂરનું પણ જોઈ શકાય નહિં એવુ ગાઢ ધુમ્મસ હતું. વહેલી સવારે કામ અર્થે વાહનો લઇને નીકળેલા વાહન ચાલકોએ વાહનની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
સાથે જ વાહનની સ્પીડ ધીમી રાખવી પડી હતી. લગભગ સાડા આઠ થી નવ વાગ્યા સુધી આ ધુમ્મસએ સુરતવાસીઓને તરબોળ કર્યા.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 129 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,32,784 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,525 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,98,236 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 95 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1109 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,36,739 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 6941 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
સુરત: મંગળવારની વહેલી સવારે ડાયમંડ નગરીમાં ધુમ્મસ છવાયું હતું. શહેરી વિસ્તારમાં ધુમ્મસના કારણે આહ્લાદક બનેલા વાતાવરણથી સુરત કોઈ હિલ સ્ટેશન હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો.
સૂર્યોદયના સમય પહેલા તો પાંચ ફૂટ દૂરનું પણ જોઈ શકાય નહિં એવુ ગાઢ ધુમ્મસ હતું. વહેલી સવારે કામ અર્થે વાહનો લઇને નીકળેલા વાહન ચાલકોએ વાહનની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. સાથે જ વાહનની સ્પીડ ધીમી રાખવી પડી હતી.
લગભગ સાડા આઠ થી નવ વાગ્યા સુધી આ ધુમ્મસએ સુરતવાસીઓને તરબોળ કર્યા.
કોઈ પણ લાંબા ગાળાના આશય કે ઉદ્દેશ્ય વગર જ્યાં જ્યાં જાય ત્યાં પોતાનો લબાચો નાંખતો આવે અને સંબંધો ઊભા કરવાનું કોઈ પ્રયોજન ન હોય ત્યાં પણ એ આ પ્રકારનો દેખાવ ઊભો થાય તેવું કરે તેને ઘેલો એટલે કે ઓછી બુદ્ધિનો અથવા તો થોડો ઘણો ગાંડો અથવા સારાસારના વિવેક વગરનો માણસ કહેવાય.
તેની ઠેકઠેકાણે ગવાળો નાખવો અને કંઇક ને કંઇક ઊભા કરતાં રહેવું એ પ્રવૃત્તિ માટે ‘ઘેલીનાં ઘેરઘેર સાસરાં’ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
શબાના આઝમીને શ્યામ બેનેગલની પહેલી અને બીજી ફિલ્મ એકસાથે મળી ગઈ હતી. પહેલી રજૂ થયેલી ‘અંકુર’ (૧૯૭૪) એક આર્ટ ફિલ્મ હોવા છતાં શબાના અભિનયમાં પ્રશંસા સાથે સફળતા મેળવી ગઈ હતી. નિર્દેશક શ્યામ બેનેગલ નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘અંકુર’ બનાવી રહ્યા હતા ત્યારે પુરુષ ભૂમિકાઓમાં અનંત નાગ અને સાધુ મહેર પસંદ થઈ ગયા હતા. બેનેગલ ‘લક્ષ્મી’ ની ભૂમિકામાં હીરોઇનની શોધમાં હતા. સૌથી પહેલાં એમણે દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રી શારદાનો વિચાર કર્યો હતો.
એ બેનેગલને ઓળખતી હતી પણ હિન્દી ભાષા જાણતી ન હોવાથી એને લેવાનું શક્ય બન્યું ન હતું. એ પછી વહીદા રહેમાનને ‘અંકુર’ કરવા કહ્યું હતું. વહીદા પોતાની કારકિર્દીના એ સમય પર આ પ્રકારની ફિલ્મમાં ભૂમિકા કરવા તૈયાર થયા ન હતા. શ્યામ બેનેગલ ત્યારે જાહેરાતોનું પણ કામ કરતા હતા. એક દિવસ એમની ઓફિસમાં અભિનેતા દીપક પરાશર આવ્યો. દીપકે જાણ્યું કે ‘અંકુર’ માટે હીરોઇનની શોધ ચાલી રહી છે ત્યારે યાદ કરીને કહ્યું કે હું એક છોકરીને જાણું છું જે મારી સાથે કોલેજમાં ભણતી હતી. તમે શબાનાને મળી શકો છો. એના પિતા જાણીતા કવિ કૈફી આઝમી છે. શબાના ત્યારે બીજી ફિલ્મોમાં કામ શરૂ કરી ચૂકી હતી. પણ કોઈ રજૂ થઈ ન હતી.
બેનેગલે એને મળવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે મુલાકાત ગોઠવવામાં આવી. શબાના આઝમી બેનેગલની ઓફિસમાં આવી અને એનો લુક જોઈ એમણે પહેલી જ નજરે ‘લક્ષ્મી’ની ભૂમિકા માટે પસંદ કરી લીધી. શબાનાએ થોડા સમય પછી કહ્યું હતું કે કેવા ગાંડા નિર્દેશક છે! એમણે પહેલી ફિલ્મ માટે તો મારી પસંદગી કરી લીધી હતી પણ પછીની ફિલ્મ માટે પણ પસંદ કરી હતી! બેનેગલે એને ખરેખર બીજી ફિલ્મ ‘નિશાંત’ (૧૯૭૫) માં ‘સુશીલા’ ની મુખ્ય ભૂમિકા આપી હતી અને પોતાની વાત સાચી સાબિત કરી હતી. ‘અંકુર’ ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ સહિત ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર અને દેશ-વિદેશના ૪૩ એવોર્ડ્સ મળ્યા હતા. શબાના અને સાધુ મહેરને શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા હતા. શબાનાના ‘અંકુર’ ના અભિનયથી સત્યજીત રે પણ પ્રભાવિત થયા હતા અને એમના દ્વારા નિર્દેશિત એકમાત્ર હિન્દી ફિલ્મ ‘શરતરંજ કે ખિલાડી’ (૧૯૭૭) માં સંજીવકુમારની પત્નીની ભૂમિકા આપી હતી.
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.
આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.