અમદાવાદઃ RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની વર્ષ 2010માં હત્યા કરવામાં આવી હતી, જેમાં ભાજપના નેતા દિનુ બોઘા સોલંકી સામે આ હત્યાકાંડમાં સામેલ હોવાના આરોપ થયા હતા. હવે આ કેસમાં હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે. લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે આ મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. અમિત જેઠવાને હાઈકોર્ટની સામે જ ગોળી મારવામાં આવી હતી અને એ સમયે સૌથી ચર્ચાસ્પદ કેસ હતો.
આ સાથે આ કેસમાં અન્ય આરોપીઓમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) અને સંજય ચૌહાણ સામેલ હતા. એ સમયે દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી હતી, પણ હાલમાં તેઓ જામીન પર બહાર હતા.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એવો મત રજૂ થયો હતો કે તપાસ એજન્સીઓ અને પ્રોસિક્યુશન સત્યની શોધ કરી શકી નથી.
કેસ શો હતો?
હાઈકોર્ટ સામે 20 જુલાઈ 2010એ લગભગ સાડાઆઠ વાગ્યે અમિત જેઠવાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા માટે આવ્યા હતા કે ભાજપના નેતા દિનુ બોઘાથી તેમના જીવનું જોખમ છે. આ હત્યા બાદ અમિત જેઠવાના પિતા ભિખાભાઈ જેઠવાએ ગીર-સોમનાથના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ મામલો એટલો વિવાદાસ્પદ હતો કે તેમાં તપાસ કરવા SITની રચના થઈ હતી અને સુરેન્દ્રનગરના તત્કાલીન SPને તપાસની જવાબદારી સોંપવામાં આવી. ત્યાર બાદ ભીખાભાઇ જેઠવાએ આ કેસની તાપસ CBIને સોંપવાની માગણી કરી. કોર્ટે તેને માન્ય રાખી હતી અને 2012થી કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી.
આવતી કાલે રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે મતદાનને લઈ તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. આવતી કાલે 25 બેઠક પર 266 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ થશે. ત્યારે હાલના PM અને ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનું મતદાન કેન્દ્ર ગુજરાત છે. જેથી આવતી કાલે ફરી PM ગુજરાત મુલાકાતે આવશે. PM મોદી પોતાનો કિંમતો મત આપશે.
આવતી કાલે PM નરેન્દ્ર મોદી અમિત શાહ માટે વોટીંગ કરશે. મળતી માહિતી પીએમ મોદી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે, અને પાટનગર ગાંધીનગરમાં રાજભવનમાં ખાતે રાત્રિ રોકાણ કરશે, પીએમ આવતીકાલે સવારે 7.30 વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. PM વોટિંગ સમયે અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.
તો સાથે અમિત શાહ પણ આજે રાત્રે અમદાવાદ પહોંચશે. જ્યારે તેઓ કાલે સવારે PM મોદીના વોટિંગ બાદ 9:15 કલાકે સબે ઝોનલ ઓફસ કામેશ્વર મહાદેવ ખાતે મતદાન અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચશે. આ ઉપરાંત યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ શીલજમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજમાં, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સુરતમાં, મનસુખ માંડવિયા પાલિતાણામાં, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રાજકોટમાં અને પોરબંદર ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અમરેલીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.
BJP પર રાહુલ ગાંધીનો પ્રહાર કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે BJP પર જોરદાર પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને 150 સીટો પણ મળવાની નથી. તેમણે કહ્યું કે આ ચૂંટણીઓનો હેતુ બંધારણને બચાવવાનો છે, જેને ભાજપ અને આરએસએસ બદલવા માંગે છે. મધ્યપ્રદેશની રતલામ-ઝાબુઆ લોકસભા સીટના પ્રચાર માટે જોબત શહેરમાં આવેલા રાહુલે કહ્યું કે અમે દેશમાં આરક્ષણ ખતમ થવા દઈશું નહીં. એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ સરકાર એ સુનિશ્ચિત કરશે કે લોકોના હિતમાં અનામત પરની 50 ટકાની મર્યાદા દૂર કરવામાં આવે.
हम हर कीमत पर संविधान की रक्षा करेंगे, वंचितों के अधिकारों की रक्षा करेंगे।
नरेंद्र मोदी और BJP कितनी भी कोशिश कर लें, हम आरक्षण को खत्म नहीं होने देंगे।
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ફરીથી જાતિ ગણતરીની હિમાયત કરતા કહ્યું કે આનાથી લોકોની સ્થિતિ વિશે બધું જ જાણવા મળશે અને દેશની રાજનીતિની દિશા બદલાઈ જશે. રાહુલે દાવો કર્યો, ભાજપના નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ બંધારણ બદલશે.
मीडिया वाले अंबानी जी के यहां की शादी दिखा देंगे, बॉलीवुड की खबरें चला देंगे..
लेकिन आदिवासी समाज के साथ हो रहे अत्याचारों की बात नहीं करेंगे।
क्योंकि मीडिया और देश की 200 बड़ी कंपनियों के मैनेजमेंट में कोई भी दलित, पिछड़े और आदिवासी वर्ग का नहीं है।
રાહુલે વધુમાં કહ્યું કે આ વખતે 400 પાર કરોનો નારો આપનાર ભાજપને આ વખતે ઝટકો લાગશે, કારણ કે તે 150 સીટો પણ જીતી શકશે નહીં. તેમણે વધુમાં દાવો કર્યો કે, આ લોકસભાની ચૂંટણીઓ બંધારણને બચાવવા માટે છે, જેને ભાજપ અને આરએસએસ તોડી પાડવા, બદલવા અને ફેંકી દેવા માંગે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી બંધારણની રક્ષા કરી રહી છે.
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024માં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ છેલ્લાં એક મહિના કરતાં વધુ સમયથી વિરોધ કરી રહ્યો છે. હવે મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપે 49 પૂર્વ રાજવીઓનું સમર્થન મેળવીને આ વિરોધને શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે. આ રાજવી પરિવારના સભ્યોએ ક્ષત્રિયોને આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી છે. આ રાજવીઓ હાલ રાજકારણમાં સક્રિય ન હોવાથી તેમની અપીલ કેટલી અસરકારક રહેશે તે તો 4 જૂનના રોજ જ ખબર પડે. પરંતુ હાલ તો વાત કરીએ રાજકારણમાં સક્રિય રહેલાં કેટલાંક રાજવીઓની.આઝાદી સમયે સમગ્ર દેશમાં કુલ 562 રજવાડાઓ હતા. જેમાંથી ગુજરાતમાં અંદાજે 300થી વધુ નાના-મોટાં રજવાડાઓ હતા. જેઓ ભારત સંઘમાં ભળી ગયા. સ્વતંત્રતા પછી, રાજવીઓ માટે રાજનીતિમાં સક્રિય રહેવા માટે ચૂંટણી એ એકમાત્ર રસ્તો હતો. તેઓ શરૂઆતથી જ ચૂંટણીના મેદાનમાં રહ્યા હતા. પ્રથમ સામાન્ય ચૂંટણીમાં બે રાજવી સ્પર્ધકો જોવા મળ્યા હતા – સાબરકાંઠાના ઇડરના મહારાજા હિંમતસિંહજી અને નવાનગરના મેજર જનરલ હિમતસિંહજી. જેઓ ક્રિકેટ જગતમાં જેમના નામની ગણના દિગ્ગજ ક્રિકેટર તરીકે થાય છે તેવાં મહારાજા રણજીતસિંહના ભત્રીજા હતા. તેમનાં ભાઈ દુલીપસિંહજી પણ જાણીતો ચહેરો હતો.બરોડા રાજ્ય, જેને બ્રિટિશ શાસન દરમિયાન 21 બંદૂકોની સલામીનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું, તેમાંથી સૌથી વધુ સંખ્યામાં શાહી દાવેદારો રાજનીતિમાં જોવા મળ્યા હતા. બરોડાના ગાયકવાડ પરિવારના સભ્યો અત્યાર સુધીમાં 10 સંસદીય ચૂંટણી લડી ચૂક્યા છે. રાજવી પરિવારના પ્રથમ વંશજ, ફતેહસિંહરાવ ગાયકવાડે 1957, 1962, 1971 અને 1977માં વડોદરા મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના નાના ભાઈ રણજીતસિંહ ગાયકવાડે 1980 અને 1984માં સફળતાપૂર્વક ચૂંટણી લડી હતી. તેઓ 1989માં ભાજપના દીપિકા ચીખલીયા સામે હારી ગયા હતા. તેમના પત્ની શુભાંગિનીરાજે 1996માં ચૂંટણી હારી ગયા હતા. જ્યારે સત્યજીતસિંહ ગાયકવાડ ભાજપના ઉમેદવાર સામે માત્ર 17 મતોની પાતળી સરસાઈથી જીત્યા હતા. વડોદરાના રાજવી પરિવારના અન્ય સભ્ય, દેવયાનીદેવી અશોકરાજે ગાયકવાડ, 1998માં અખિલ ભારતીય રાષ્ટ્રીય જનતા પાર્ટી (AIRJP)ની ટિકિટ પર સામાન્ય ચૂંટણી લડ્યા હતા. સત્યજીતસિંહે 2009 સુધી INCના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું ચાલુ રાખ્યું પરંતુ તેમને સફળતા મળી ન હતી.કચ્છનો રાજવી પરિવાર જેને બ્રિટિશ શાસન દરમિયાન 17 બંદૂકોની સલામી આપવામાં આવતી હતી. તેમણે પણ રાજનીતિમાં બે વાર હાથ અજમાવ્યો હતો. હિમતસિંહજી વિજરાજજી ગુજરાત રાજ્યની રચના બાદ 1962માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. જો કે, યુવરાજ પૃથ્વીરાજસિંહજી 1971ની સામાન્ય ચૂંટણીમાં INC (O) ઉમેદવાર તરીકે સફળ થયા ન હતા.
નવાનગર રાજ્યના રાજવી કે જેને બ્રિટિશ શાસન દરમિયાન 15 બંદૂકોની સલામી આપવામાં આવતી હતી. તેમાંથી ડી. પી. જાડેજાએ 1971માં જામનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમની રાજકિય યાત્રા શરૂ કરી હતી. તેઓ 1980 અને 1984માં એમ કુલ ત્રણ વખત સાંસદ પદે રહ્યા હતા. જ્યારે 1971થી 1977 સુધી તેઓ ધારાસભ્ય પણ રહ્યા હતા.ધ્રાંગધ્રાના શ્રીરાજ મેઘરાજ સુરેન્દ્રનગર બેઠક પરથી બે સંસદીય ચૂંટણી લડ્યા હતા અને 1967માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા હતા. વાંકાનેર રજવાડાના દિગ્વિજયસિંહજી ઝાલા 1980 અને 1984માં સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટાયા હતા પરંતુ 1989માં હારી ગયા હતા. દેવગઢ બારિયાના મહારાવ જયપાલસિંહજીએ 1980ના દાયકામાં ગોધરા મતવિસ્તારનું બે વાર પ્રતિનિધિત્વ કર્યું હતું. આમાંના મોટાભાગના શાહી દાવેદારો અલગ-અલગ સમયે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના જુદાં-જુદાં જૂથોમાંથી ઉમેદવાર રહ્યા હતા. કેટલાકે સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી હતી.
મોટા ઉપરાંત, નાના રજવાડાઓના વડવાઓએ પણ ચૂંટણીમાં ભાગ લીધો છે અને સંસદમાં ગયા છે. મોગરના ઠાકોર સાહેબ નટવરસિંહ સોલંકીએ કપડવંજનું બે વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. ઘોડાસરના ફતેહસિંહજી ડાબીએ 1957માં કૈરાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તે અગાઉ બંધારણ સભામાં ગુજરાતના નોન-સેલ્યુટ રાજ્યોના પ્રતિનિધિ પણ હતા. કેરવાડાના નાના રજવાડાના ઠાકોર માનસિંહજી ભાઈસાહેબે પાંચમી લોકસભામાં ભરૂચનું પ્રતિનિધિત્વ કર્યું હતું.ગુજરાતના રજવાડાંઓમાંથી હાલમાં રાજનીતિમાં સક્રિય રાજા-મહારાજાઓમાં વાંકાનેરના કેશરીદેવસિંહ ઝાલાનો સમાવેશ કરી શકાય. કેશરીદેવસિંહ ઝાલાએ 2011માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ સાથે જોડાયને રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેઓ વાંકાનેર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રભારી હતા. તેઓ એક ટર્મ માટે રાજકોટના જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને એક ટર્મ માટે મોરબી જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ પદે રહ્યા હતા. કેસરીદેવસિંહ ઝાલા, 17 જુલાઈ 2023ના રોજ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા છે.ભાવનગર નજીકના હનુભાના લીમડાના રજવાડાના રાજવી શક્તિસિંહ ગોહિલ રાજ્ય સભાના સભ્ય તરીકે કામ કરી રહ્યા છે. જો કે, એક સમય એવો હતો જ્યારે 1980ના દાયકામાં સતત બે ચૂંટણીઓમાં રાજવી પરિવારના પાંચ જેટલાં સભ્યોને એકસાથે લોકસભામાં મોકલવામાં આવ્યા હતા.
ફેમસ અભિનેત્રી કંગના રનૌત હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ભાજપે બૉલિવૂડની ક્વીનને હિમાચલ પ્રદેશના મંડીમાંથી ઉમેદવાર બનાવી છે. જેની સામે કૉંગ્રેસે પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમઆદિત્ય સિંહને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણીના પ્રચાર વચ્ચે કંગનાએ એક મોટુ નિવેદન આપ્યું છે. તેણીએ કહ્યું કે જો તે મંડીથી ચૂંટણી જીતી ગઈ તો ધીરે ધીરે બૉલિવૂડથી દૂર થઈ જશે અને સમગ્ર ધ્યાન રાજનીતિ પર આપશે. તેણીએ બૉલિવૂડને ખોટી દુનિયા પણ કહી છે.
ખોટી દુનિયા છે, જીતી ગઈ તો છોડી દઈશ બૉલિવૂડ!
નામી મીડિયા ચેનલ સાથે વાતચીત કરતી વખતે કંગનાને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મોની સાથે સાથે રાજનીતિમાં રહેવું મુશ્કેલ છે? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, “ફિલ્મોની તો એક ખોટી દુનિયા છે… દરેક વસ્તુ ફેક છે. લોકોને આકર્ષિત કરવા માટે એક બબલ બનાવવામાં આવે છે. ફેક સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવે છે. આઈડિયલી હું એક જ કામ કરવાનું પસંદ કરીશ. હું બંને કામ (ફિલ્મ અને રાજનીતિ) નહીં કરવા માંગુ. જેના પર રિપોર્ટરે પૂછ્યુ કે શું તમે એવું કહેવા માંગો છો કે જો મંડીથી જીતી ગયા તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દેશો? કંગનાએ જવાબ આપ્યો કે હું એક જ કામ કરવા માંગીશ. તેણીએ વધુમાં કહ્યું કે અત્યાર સુધીના તેના બૉલિવૂડના કમિટમેન્ટ્સ પૂરા કરી રાજનીતિ પર ધ્યાન આપશે.
જ્યારે કંગનાની જીભ લપસી
કંગના રનૌતે એક ચૂંટણી રેલી દરમિયાન રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધવાના ઈરાદાથી ભૂલથી પોતાની જ પાર્ટીના સહયોગી તેજસ્વી સૂયાનું નામ લઈ લીધુ હતું. મંડીના સુંદરનગર વિસ્તારમાં શુક્રવારે એક જનસભામાં કંગનાએ ‘ઈન્ડિયા’ ગઠબંધનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન બગડેલા શહેજાદાઓથી ભરેલું છે. કંગનાએ ઉમેર્યુ હતું કે બગડેલા શહેજાદાઓની એક પાર્ટી છે, તે પછી રાહુલ ગાંઘી હોય કે જેમણે ચાંદ પર બટેટા લગાવવા છે કે પછી તેજસ્વી સૂર્યા હોય જે ગુંડાગીરી કરતા રહે છે, માછલી ચાંઉથી ખાય છે.
નોંધનીય છે કે તેજસ્વી સૂર્યા બેંગલુરુ દક્ષિણના સાંસદ છે અને તે જ ક્ષેત્રના ભાજપના ઉમેદવાર પણ છે, જ્યારે કે તેજસ્વી યાદવ રાજદ નેતા છે.
નવી દિલ્હીઃ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC)ની પ્રક્રિયા પર સવાલ ઊભા કરનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો કેટલીય યુનિવર્સિટીઓના કુલપતિઓએ વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કુલપતિની પસંદગીમાં યોગ્યતાને ધ્યાનમાં નથી લેવાતી. કેટલાંક સંગઠનોથી સંબંધિત લોકોને આ પદો પર નિયુક્તિ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ કુલપતિઓની તરફથી લખેલા પત્રમાં એનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ એ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની પસંદગી કયા આધારે થાય છે અને આ કુલપતિઓનું દેશની યુનિવર્સિટીઓના વિકાસમાં કેવી રીતે યોગદાન હોય છે.
મોટી યુનિવર્સિટીઓના કુલપતિઓએ આ પત્રને લખ્યો છે અને રાહુલ ગાંધીને મોકલ્યો છે. આ પત્રમાં 182 યુનિવર્સિટીઓના કુલપતિઓએ એમા હસ્તાક્ષર કરીને સહમતી જાહેર કરી હતી.
રાહુલ ગાંધીને લખેલા પત્રમાં બધી યુનિવર્સિટીના કુલપતિ તરફથી લખવામાં આવ્યું છે કે કુલપતિની પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શી હોય છે અને એ દરમ્યાન બધાં મૂલ્યોનું ધ્યાન રાખવામાં આવે છે. શૈક્ષણિક યોગ્યતા અને યુનિવર્સિટીને આગળ લઈ જવાની વિધારધારાને આધારે કુલપતિ પસંદ કરવામાં આવે છે.
બધી યુનિવર્સિટીઓનું પ્રદર્શન એ વાતની સાક્ષી પૂરે છે કે કુલપતિઓની પસંદગીની પ્રક્રિયા નિષ્પક્ષ અને ઉચિત પ્રકારે હોય છે. બધી યુનિવર્સિટીના કુલપતિઓ તરફથી અપીલ કરવામાં આવી છે કે લોકો કોઈ પણ અફવાનો શિકાર ના બને અને દેશના ઉચ્ચ શિક્ષણને વધુ સારું બનાવવા તેમનો સહયોગ કરે.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે વિશ્વભરની યુનિવર્સિટીનાં રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનાં રેન્કિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે. એ યોગ્ય કુલપતિની પસંદગી અને પસંદગી પામેલા કુલપતિઓની મહેનતનું પરિણામ છે.આ પત્રના અંતમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી રાજકીય લાભ માટે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.
લોકશાહીના આ પર્વમાં સહભાગી થઇને વધુમાં વધુ મતદાન માટે ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યોઓ અનોખી પહેલ કરી છે.
લોકશાહીના આ પર્વની ગર્વભેર ઉજવણી થાય અને લોકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે ભોજનના બિલમાં ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી પણ આપી છે. આમ, ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યો પણ સહભાગી થયા છે.
-તો, કાઉન્ટ ડાઉન શરુ થઇ ચૂક્યું છે. મંગળવારે, 7 મે ના રોજ ગુજરાતના 4.98 કરોડ મતદારો લોકશાહીના સૌથી અમોઘ શસ્ત્ર મનાતા ‘મત’ નો ઉપયોગ કરીને ગુજરાતનો ફેંસલો નક્કી કરશેઃ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર છવ્વીસમાંથી છવ્વીસ કે કોંગ્રેસનો પણ ભાગ?
એકઃ કેવોક રહ્યો પ્રચાર?
એક વાત નક્કી છે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી 2024ની આ ચૂંટણી રાજા-મહારાજાઓના નામે લખાશે. માર્ચના મધ્યભાગમાં ચૂંટણી જાહેર થઇ થઇ એ પહેલાંની સ્થિતિ યાદ કરો. એવું મનાતું હતું કે ગુજરાતમાં ભાજપને 26 માંથી 26 બેઠક જીતવામાં કોઇ પડકાર નથી. કોંગ્રેસ માટે તો અમુક બેઠક પર ઉમેદવાર શોધવામાંય મુશ્કેલી છે. ચૂંટણીમાં કોઇ એવો કેન્દ્રવર્તી મુદ્દો નજરે નહોતો ચડતો, જેના ફરતે ચૂંટણીનો માહોલ બંધાય. એ તો ભલું થજો ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું કે, કોઇ નબળી ક્ષણે એમની જીભેથી એક નિવેદન છૂટ્યું અને ગુજરાતની ચૂંટણી મુદ્દાવિહોણી થતાં અટકી ગઇ! ક્ષત્રિયો ય મેદાનમાં આવ્યા અને રાજા-મહારાજાઓ પણ ચૂંટણીના રણસંગ્રામમાં નિવેદનોની તલવારો તાણતા દેખાયા!
ક્ષત્રિયોના પહેલાં રૂપાલા અને પછીથી ભાજપ સામેના આંદોલન વિશે અહીં ઘટનાઓનું પુનરાવર્તન નથી કરવું, પણ ગુજરાતની સુરત સિવાયની તમામ બેઠક પર હાર-જીત કે જીતના માર્જિન પર આ વખતે ક્ષત્રિય સમાજનું મતદાન અસર કરશે એ ચોક્કસ છે. ક્ષત્રિય સમાજ કે ફોર ધેટ મોટર, કોઇપણ સમાજ એકતરફી જ મતદાન કરે એવું શક્ય નથી. એમના મતો ભાજપ-કોંગ્રેસ (કે ગઠબંધન) વચ્ચે વહેંચાશે એ નક્કી છે. ભૂતકાળમાં પાટીદાર આંદોલન વખતે જે રીતે ભાજપ સમર્થિત જૂની પેઢીના પાટીદારો અને નવી પેઢીના પાટીદાર યુવાનોના મત વહેંચાઇ ગયેલા એ જ રીતે સંભવત ક્ષત્રિય સમાજમાં પણ જૂની-નવી પેઢીના મતો વહેંચાઇ શકે.
બેઃ મોદીની મુલાકાત અને મહારાજાની પાઘડી
લાખ રીસામણાં-મનામણાં છતાં ય શાંત થવાનું નામ ન લેતા ક્ષત્રિય આંદોલન વચ્ચે ય બધાને એમ હતું કે, એકવાર નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે એટલે બધું ઠરીઠામ થઇ જશે. નરેન્દ્ર મોદી આવ્યા. ‘પીએમ-બીએમ એ બધું દિલ્હીમાં, અહીંયા તો હું તમારો નરેન્દ્રભાઇ….’ એવું કહીને ગુજરાતના મતદારો સાથે લાગણીનો તંતુ બાંધ્યો. સુરેન્દ્રનગરની સભામાં રાજકોટના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાની હાજરી અપેક્ષિત હતી, પણ રૂપાલાને મોદીની સભાઓથી દૂર રખાયા.
જાહેરસભાઓમાં તો નરેન્દ્રભાઇ સીધી રીતે ક્ષત્રિયો કે આંદોલન વિશે કાંઇ ન બોલ્યા, પણ જામનગરમાં સભા સંબોધતા પહેલાં એ જામનગર રાજવી પરિવારના શત્રુશલ્યજી મહારાજને મળવા ગયા, એમણે જે પાઘડી પહેરાવી એ જ પાઘડી પહેરીને એમણે સભા સંબોધી અને ભૂચર મોરીની કથાને યાદ કરી ક્ષત્રિયોના ત્યાગ-બલિદાનની પ્રશંસા કરી. આ ઓપ્ટીક્સ એ નારાજ થયેલા ક્ષત્રિયોને ભાજપ તરફ વાળવાના પ્રયત્નનો એક ભાગ જ હતો. હવે તો પાઘડીના વળ 4 જૂને છૂટે ત્યારે જ ખબર પડશે.
ત્રણઃ શક્તિસિંહ ગોહિલનો વિડીયો અને બુથ મેનેજમેન્ટ
ચૂંટણી પ્રચાર દરમ્યાન સભાઓમાં-રોડ શોમાં ભીડ ઉમટે, બેફામ વાણી વિલાસ અને એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો થાય, પણ ચૂંટણીનું અંતિમ પરિણામ નક્કી કરવામાં જાહેર પ્રચાર બંધ થાય એ પછીના છેલ્લા 48 કલાક અને બુથ મેનેજમેન્ટ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. રાજકીય પક્ષો-ઉમેદવારો એટલે જ મતદાન પહેલાની રાતને ‘કતલની રાત’ તરીકે ઓળખાવે છે, કેમ કે બધા જ ‘રાજકીય ખેલ’ આ કતલની રાતે જ થતા હોય છે. ભાજપનું બુથ મેનેજમેન્ટ તો પૂરવાર થઇ ચૂકેલું છે, પણ આ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એક વિડીયો સંદેશ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો—સ્થાનિક નેતાઓને આ બુથ મેનેજમેન્ટ માટે હાકલ કરી છે.
કદાચ નજીકના ઇતિહાસમાં, પહેલીવાર આ રીતે કોંગ્રેસના કોઇ નેતાએ બુથ મેનેજમેન્ટ માટે આ રીતે સંદેશ આપ્યો છે કે, દરેક ઉમેદવાર દરેક બુથ પર એજન્ટની નિમણૂંકમાં કાળજી લે. શક્તિસિંહનો આ મેસેજ ખોટો નથી, કેમ કે કોંગ્રેસની હારમાં કાયમ નબળું બુથ મેનેજમેન્ટ સૌથી મોટું કારણ બનતું આવ્યું છે. એમનો આ વિડીયો સંદેશ કોંગ્રેસ માટે કેટલો કારગત નીવડે છે એ સવાલનો જવાબ તો 4 થી જૂને ઇવીએમ જ આપી શકે.
ચારઃ નેતાઓનો પ્રચાર અને ‘મતપ્રચાર’ના મેળા
વેલ, ચૂંટણીના રાજકારણને અને કવિતાને સીધી રીતે લેવાદેવા નથી, પણ કવિ રમેશ પારેખે લખ્યું છે કે, આ મનપાંચમના મેળામાં સૌ જાત લઇને આવ્યા છે, કોઇ આવ્યા છે સપનું લઇ, કોઇ મિરાંત લઇને આવ્યા છે એમ ચૂંટણી લડતા ઉમેદવારો પણ જીતવાનું સપનું લઇને પ્રચારના મેળામાં મહાલતા જોવા મળ્યા. કોઇ આવ્યા રીક્ષા લઇને તો કોઇ ઘોડા ઉપર બેસીને. કોઇ આવ્યા હોડીમાં તો કોઇ ટ્રેક્ટરમાં બેસીને. કોઇ ગરબે રમતા જોવા મળ્યા તો કોઇ પરંપરાગત નૃત્ય કરતા દેખાયા.
બસ, સૌનું સપનું કે આશા એક જ હતી-મત. હવે કોનું સપનું સાકાર કરવું અને કોનું રોળવું એનો આધાર મતદાતાઓ પર છે. લોકશાહીમાં મતદારને એટલેસ્તો એક દિવસનો રાજા કહેવાય છે!
લોકસભા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે વધુને વધુ લોકો મતદાન કરે તે માટે ચૂંટણી પંચ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. આ સાથે કેટલાક ગ્રુપ કે સંસ્થા અલગ અલગ રીતે લોકોમાં મતદાન જાગૃતિ ફેલાવતા હોય છે. જેથી વધુમાં વધુ લોકો લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે સહભાગીદાર બને. ત્યારે હવે AMTS એ પણ લોકોમાં મતદાન જાગૃતિ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. મતદાન કરનાર વ્યક્તિ AMTSમાં નિ:શુલ્ક પ્રવાસ કરી શકશે. આવતીકાલે 7મી મેના એક દિવસ માટે નિ:શુલ્ક પ્રવાસનો નિર્ણય કરવામાં આવ્યો છે.
AMTSએ લોકસભા ચૂંટણીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે AMTS તેમને મુસાફરો મહત્વનો નિર્ણ કર્યો છે. આગામી 7મી મેના રોજ મતદાન કરનાર દરેક વ્યક્તિને AMTSનો નિ:શુલ્ક પ્રવાસ કરાવશે. જેના માટે મતદાન કરનાર વ્યક્તિએ આંગળી પર સહીનું નિશાન બતાવવાનું રહેશે અને જેની આંગળી પર સહીનું નિશાન બતાવશે તે AMTSના નિ:શુલ્ક પ્રવાસના નિર્ણયનો લાભ લઈ શકશે. લોકો લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોહ કરે તે હેતુથી આ નિ:શુલ્ક પ્રવાસનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ નિર્ણય 7 મે એટલે કે, આવતીકાલ પૂરતો જ સીમિત છે.
નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં T20 વિશ્વ કપ 2024 શરૂ થવાના આશરે એક મહિના પહેલાં કેરેબિયન દ્વીપથી માઠા સમાચાર આવ્યા છે. T20 વિશ્વ કપને વેસ્ટ ઇન્ડિઝમાં ટેરર થ્રેટ –આતંકવાદી હુમલાની ધમકી મળી છે. વૈશ્વિક આયોજન પર સુરક્ષાનું જોખમ પાકિસ્તાનની ઉત્તરથી આવ્યું છે. જેને કારણે ક્રિકેટની વૈશ્વિક સંસ્થા એટલે ICCને નિવેદન જારી કરવું પડ્યું છે, એમ અહેવાલ કહે છે.
ત્રિનિદાદના વડા પ્રધાન કીથ રોલેએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ જોખમને નિપટવા માટે યજમાન દેશ સુરક્ષા ઉપાયોને લઈને વધારાના પ્રયાસ કરશે. આગામી મહિને થનારા T20 વિશ્વ કપમાં ભારત સહિત 20 ટીમો ભાગ લેશે. વેસ્ટ ઇન્ડિઝમાં પ્રારંભિક મેચો સિવાય આઠ તબક્કા, સેમી ફાઇનલ અને ફાઇનલ રમાશે. તેમણે કહ્યું હતું. ત્રિનિદાદ ડેલી એક્સપ્રેસે કહ્યું હતું કે એ દુર્ભાગ્યની વાત છે કે 21મી સદીમાં પણ વિશ્વમાં આતંકવાદનું જોખમ અલગ-અલગ સ્વરૂપે બનેલું છે.
T20 વિશ્વ કપ 2024માં આતકવાદી જોખમના મુદ્દા પર ICCનું કહેવું છે કે અમે યજમાન દેશો અને શહેરોમાં અધિકારીઓની સાથે મળીને કામ કરીએ છીએ. અમે અમારા આયોજનને હવે વધુ ચોકસાઈ અને મૂલ્યાંકન દ્વારા સતત નિગરાની સાથે કરીશું અને એ માટેની યૌજના તૈયાર કરીશું.
ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના CEO જોની ગ્રેવ્સે કહ્યું હતું કે અમે બધા સ્ટેકહોલ્ડરોને વિશ્વાસ અપાવીએ છીએ કે ICC પુરુષ T20 વિશ્વ કપમાં બધાની સુરક્ષા અમારી નંબર એકની પ્રાથમિકતા છે અને અમારી પાસે એક વ્યાપક અને મજબૂત સુરક્ષા યોજના છે. વડા પ્રધાને પણ જણાવ્યું હતું કે વિશ્વ કપમાં જોખમથી નીપટવા માટે સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે.
ઇસ્લામતરફી સ્ટેટ (IS) મિડિયા સૂત્રોએ કહ્યું હતું કે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની વિરુદ્ધ હિંસા ભડકાવવાની ઝુંબેશ શરૂ કરી છે અને એમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાનની શાખા, ISખોરાસન (IS-K)નો વિડિયો સામેલ છે.
192 યુનિવર્સિટીના VCએ રાહુલ ગાંધીની વિરુદ્ધ લખ્યો પત્ર
નવી દિલ્હીઃ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC)ની પ્રક્રિયા પર સવાલ ઊભા કરનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો કેટલીય યુનિવર્સિટીઓના કુલપતિઓએ વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કુલપતિની પસંદગીમાં યોગ્યતાને ધ્યાનમાં નથી લેવાતી. કેટલાંક સંગઠનોથી સંબંધિત લોકોને આ પદો પર નિયુક્તિ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ કુલપતિઓની તરફથી લખેલા પત્રમાં એનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ એ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની પસંદગી કયા આધારે થાય છે અને આ કુલપતિઓનું દેશની યુનિવર્સિટીઓના વિકાસમાં કેવી રીતે યોગદાન હોય છે.
મોટી યુનિવર્સિટીઓના કુલપતિઓએ આ પત્રને લખ્યો છે અને રાહુલ ગાંધીને મોકલ્યો છે. આ પત્રમાં 182 યુનિવર્સિટીઓના કુલપતિઓએ એમા હસ્તાક્ષર કરીને સહમતી જાહેર કરી હતી.
રાહુલ ગાંધીને લખેલા પત્રમાં બધી યુનિવર્સિટીના કુલપતિ તરફથી લખવામાં આવ્યું છે કે કુલપતિની પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શી હોય છે અને એ દરમ્યાન બધાં મૂલ્યોનું ધ્યાન રાખવામાં આવે છે. શૈક્ષણિક યોગ્યતા અને યુનિવર્સિટીને આગળ લઈ જવાની વિધારધારાને આધારે કુલપતિ પસંદ કરવામાં આવે છે.
બધી યુનિવર્સિટીઓનું પ્રદર્શન એ વાતની સાક્ષી પૂરે છે કે કુલપતિઓની પસંદગીની પ્રક્રિયા નિષ્પક્ષ અને ઉચિત પ્રકારે હોય છે. બધી યુનિવર્સિટીના કુલપતિઓ તરફથી અપીલ કરવામાં આવી છે કે લોકો કોઈ પણ અફવાનો શિકાર ના બને અને દેશના ઉચ્ચ શિક્ષણને વધુ સારું બનાવવા તેમનો સહયોગ કરે.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે વિશ્વભરની યુનિવર્સિટીનાં રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનાં રેન્કિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે. એ યોગ્ય કુલપતિની પસંદગી અને પસંદગી પામેલા કુલપતિઓની મહેનતનું પરિણામ છે.આ પત્રના અંતમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી રાજકીય લાભ માટે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.