Home Blog Page 1809

ભાજપે ભોજપુરી સ્ટાર પવન સિંહની પક્ષમાંથી હકાલપટ્ટી કરી

નવી દિલ્હીઃ ભાજપે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. પવન સિંહ કારાકાટ લોકસભા સીટથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પવન સિંહને પાર્ટીમાંથી કાઢી મૂકવાનો આદેશ બિહાર ભાજપાધ્યક્ષ સમ્રાટ ચૌધરીના આદેશ પર જારી થયો છે. પવન સિંહ પર આરોપ છે કે તે ndaના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે અને તેમનું એ કામ પક્ષવિરોધી છે.

બિહાર ભાજપ એકમના વડા મથકના પ્રભારી અરવિંદ શર્મા દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં લખવામાં આવ્યું છે કે પવન સિંહ લોકસભા ચૂંટણીમાં NDAના અધિકૃત ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છે. તેમનું કામ પક્ષવિરોધી છે. તેમણે પક્ષની અનુશાસન વિરુદ્ધ આવું કર્યું છે, જેનાથી પક્ષની છબિ ખરાબ થઈ છે. પક્ષવિરોધી પ્રવૃતિઓમાં સંડોવાયેલા હોવાને કારણે પ્રદેશ પ્રમુખના આદેશ મુજબ તેમને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

આ પહેલાં લોકસભા ચૂંટણી 2024 માટે જાહેર કરાયેલા ઉમેદવારોની પ્રથમ યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળના આસનસોલથી પવન સિંહને ટિકિટ આપી હતી. ભોજપુરી સ્ટારે ટિકિટ મેળવવા પર ભાજપ અને ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને આસનસોલ સાથેના તેમના લોહી-પસીના અને આજીવિકાના સંબંધ વિશે જણાવ્યું હતું, પરંતુ એક દિવસ પછી તેમણે બંગાળમાંથી ચૂંટણી લડવાની અસમર્થતા વ્યક્ત કરી. ત્યાર પછી ભાજપે તેમના સ્થાને એસએસ અહલુવાલિયાને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા. TMCએ આ સીટ પરથી અભિનેતા શત્રુઘ્ન સિંહાને મેદાનમાં ઉતાર્યા છે.

પવન સિંહે થોડા દિવસો પછી જાહેરાત કરી કે તેઓ કારકાટથી ચૂંટણી લડશે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું, ‘માતા ગુરુતારા ભૂમેરુ. મતલબ કે માતા આ ભૂમિ કરતાં ઘણી ભારે છે અને મેં મારી માતાને વચન આપ્યું હતું કે હું આ વખતે ચૂંટણી લડીશ.

 

 

 

 

 

 

 

 

કોરાનાના 18 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે.  US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે

.છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,611 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,189 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 112 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 512 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,384 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 23 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

૨૨ મે, ૨૦૨૪

દૈવી રહસ્યોનું પ્રાગટ્ય

સૌંદર્યનું એક પાસું છે લજ્જા. સૌંદર્ય લજ્જા સાથે સંકળાયેલું છે અને લજ્જા સૌંદર્યમાં વૃધ્ધિ કરે છે. તમે આની નોંધ લીધી છે? નાનું બાળક ઘણી વાર એકદમ શરમાળ ચહેરો બનાવે છે. જ્યારે બધા તેના વખાણ કરે છે ત્યારે તે પોતાનો ચહેરો સંતાડી દે છે. એ જ રીતે શરમ કુરૂપતાનો હિસ્સો છે. લજ્જા તમને સૌમ્ય બનાવે છે; શરમ તમને રુક્ષ બનાવે છે. જ્યારે વ્યક્તિને શરમ લાગે છે ત્યારે તે આંતરિક રીતે રુક્ષ બની જાય છે, હિંસક બને છે; પરંતુ જ્યારે વ્યક્તિને લજ્જા થાય છે ત્યારે તે વધુ મૃદુ અને સૌમ્ય બને છે.

દેવોની, જ્ઞાનીઓની કાર્ય કરવાની પધ્ધતિ હંમેશા પરોક્ષ હોય છે. સંસ્કૃતમાં ઉક્તિ છે, “પરોક્ષ પ્રિહા હિવયી દેવા” એટલે કે,”દેવોને પરોક્ષ માર્ગ પ્રિય હોય છે. “આ મજાનું છે. કાવ્ય પરોક્ષ હોય છે; તેમાં અતિશયોક્તિ હોય છે. હ્રદય હંમેશા અતિશયોક્તિ કરે છે; મન હકીકતને લક્ષમાં લે છે. હકીકત બૌધિક હોય છે; પરંતુ હ્રદય હકીકતને શ્રૃંગાર કરે છે. હ્રદયને શણગાર આવડે છે. તે અલંકૃત કરીને ઉપર આવરણ ઢાંકી દે છે,પછી તે વસ્તુ બમણી સુંદર લાગે છે.

તમારે કઈ વસ્તુ કરવી જોઈએ કે કઈ ના કરવી જોઈએ. દરેક બાબતનું એક સ્થાન હોય છે અને સમય હોય છે,કારણ કે દુનિયા બધી વસ્તુઓથી ભરપૂર છે. ગુહ્ય સૌંદર્ય હ્રદયને ખીલવે છે. અંશતઃ વ્યક્ત થયેલું સૌંદર્ય હ્રદયને ખીલવે છે. સંપૂર્ણ નિરાચ્છાદન એ હ્રદયની ભાષા નથી. સંપૂર્ણ નિરાચ્છાદન ઉશ્કેરણી કરે છે; ગુહ્ય સૌંદર્ય આહ્વાન કરે છે. હું શું કહું છું તમને સમજાય છે? એટલા જ માટે કુદરત સમસ્ત સર્જનને રાત્રે પોતાનામાં છુપાવી દે છે,અને બીજા દિવસે સવારે તેને પ્રગટ કરે છે. જેમ જેમ સૂર્યનો ઉદય થાય છે તેમ તેમ તમે તમામ હરિયાળી અને પુષ્પો જોઈ શકો છો અને સમગ્ર દુનિયા એટલી રંગબેરંગી દેખાય છે. રાત્રે તે દુનિયાને પોતાના ઉદરમાં લઈને સંતાડી દે છે.

સર્જન ખૂબ રહસ્યમય છે. સર્જન ગુપ્તતાથી થાય છે, એવું નથી? જ્યારે તમે કોઈને ઉપહાર આપો છો ત્યારે તમે તેને જુદા જુદા રંગના કાગળમાં વીંટાળો છો. તમે ઉપહાર એમ જ સીધેસીધો કેમ નથી આપી દેતા? તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે તમે તેને વીંટાળો છો, શા માટે તમે રંગબેરંગી કાગળો લાવીને તેને વીંટાળો છો? ઘણી વાર તો ઘણા કાગળો! અને પછી ઘણી વાર તમે તે ઉપહારને, તમારા પ્રેમને સંતાડી દો છો. જ્યારે તમે કંઈ આપો છો ત્યારે તેને પરોક્ષ રીતે આપો છો.તમને તેવું કરવું ખૂબ ગમે છે.એ દિવ્યતા છે.તમે આવું આખા જીવન દરમ્યાન કરતા આવ્યા છો,તમે યુવાન હતા ત્યારથી ઉપહાર આપતા આવ્યા છો; ઉપહાર મેળવતા આવ્યા છો;પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે એ પાછળ પ્રયોજન શું છે?તમને સંતાડીને આપવું ખૂબ ગમે છે,અંશતઃ પ્રગટ થયેલું અથવા અપ્રગટ.

જ્યારે પ્રેમની અભિવ્યક્તિ માટે કોઈ જ પ્રયત્ન કરવામાં નથી આવતો ત્યારે તે તેની પરાકાષ્ઠાએ હોય છે. જ્યારે તમે તેને અનેક શબ્દોમાં મઠારીને વ્યક્ત કરવાનો પ્રયત્ન નથી કરતા ત્યારે તમારું સમગ્ર અસ્તિત્વ એ પ્રેમ દર્શાવે છે. હું એવું નથી કહેતો કે તમારે એ વ્યક્ત જ ના કરવો જોઈએ, ક્યારેક કરો; નહીંતર તમે આવેશમાં આવી જઈ શકો છો! હું માત્ર એટલું કહું છું કે આમ કરવામાં મીઠાશ બની રહે છે. આમ,આપણે ઉપહારોને ઘણા રંગોના કાગળોમાં વીંટાળીએ છીએ,અને તેમને યોગ્ય ક્ષણ સુધી આશ્ચર્ય આપવા માટે રાખી મુકીએ છીએ. અને તે ગોપનીયતામાં તથા તેને અનાવૃત કરવામાં જ્ઞાન સમાયેલું છે,તેમાં ખીલવાની એક પ્રક્રિયા છે,આનંદ છે,મીઠાશ છે. આ દૈવી લક્ષણ છે. ઈશ્વર આ સમગ્ર સર્જનમાં એ જ રીતે કાર્યરત છે. દરેક ડગલે ને પગલે એ તમને આશ્ચર્ય આપતા હોય છે.

હ્રદય સત્યને એટલી હદે અલંકૃત કરે છે કે સત્ય ઢંકાઈ જાય છે અને શ્રૃંગાર ખૂબ મોટો થઈ ગયેલો હોય છે. બુધ્ધિ તમામ આવરણોશકાઢી નાંખે છે,તેમને નષ્ટ કરે છે અને નક્કર સત્યને જુએ છે.સમજો, હું એવું નથી કહેતો કે આવું જ હોવું જોઈએ કે આવું ના હોવું જોઈએ.બુધ્ધિનું પોતાનું એક સ્થાન છે અને કાવ્યનું પોતાનું. સત્યનું પોતાનું એક સ્થાન છે અને શ્રૃંગારનું પોતાનું.અને આ બન્ને જીવનને સંતૃપ્ત બનાવે છે,એ મજાનું છે. દિવસ દરમ્યાન સૂર્ય પ્રકાશના ઉજાસમાં બધું સ્પષ્ટ દેખાય છે; અને ચંદ્રના પ્રકાશમાં તમને સર્જનના અપ્રગટ સૌંદર્યનો, અંશતઃ વ્યક્ત થયેલાનો માત્ર અણસાર આવે છે. અસ્તિત્વની આ ભાષા છે.

કોઈએ પૂછ્યું,”અરે, હું લજ્જા અનુભવું છું. હું તેને કેવી રીતે ત્યજી શકું?” મેં જણાવ્યું, “તેને ત્યજશો નહીં, એ સારું છે. તેને જાળવો.”તમારી એ લજ્જા તમારા સૌંદર્યમાં વૃધ્ધિ કરે છે. તે તમને કંઈ વિશેષ પ્રદાન કરે છે. એ લજ્જા તમારો શ્રૃંગાર છે. જો તમને કોઈ બાબતની શરમ આવતી હોય તો તેને તરત જ ત્યજી દો!

લોકોને તેમની અભિવ્યક્તિ કરતાં વિશેષ જુઓ. વ્યક્તિ જે વ્યક્ત કરે છે તેટલો જ તે સીમિત નથી હોતો. દરેક જીવમાં પુષ્કળ અવ્યક્ત પ્રેમ હોય છે. આ હકીકત સમજશો તો તમારો દ્રષ્ટિકોણ વિસ્તૃત થશે, તમારું હ્રદય વિસ્તૃત થશે; અને તમે એ પછી કોણે શું કહ્યું કે કોણે શું કર્યું એમાં અટકશો નહીં. કોઈ વ્યક્તિ જે કહે છે તે તુચ્છ હોય છે, અને કોઈ વ્યક્તિ શું કરે છે એ માત્ર પેકેટ પરની રીબીન જેવું છે. તમને મળેલા પેકેટ પરની રીબીન જો તમને ના ગમે તો કોઈ ફર્ક પડતો નથી. તમે પેકેટને જુઓ છો,રીબીન કાઢી નાંખો છો અને અંદર જે ઉપહાર હોય છે તે જુઓ છો. દરેક વ્યક્તિ એક ઉપહારના પેકેટ જેવી છે. માત્ર બહાર વીંટાળેલો કાગળ જ જોવાનું ના રાખો. અંદરથી દરેક વ્યક્તિ એક કિંમતી ઉપહાર છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @ 89 ડો. રમેશભાઈ નગીનદાસ શાહ

તળીયાની પોળમાં, લાઈટ વગરના, ભાડાના ઘરમાં રહી, મેડિકલનું ભણ્યા અને અમદાવાદના જાણીતા ગાયનેકોલોજીસ્ટ બન્યા એવા ડોક્ટર રમેશભાઈ નગીનદાસ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અમદાવાદ, તળિયાની પોળમાં. એક દીકરો, બે બહેનોનું મધ્યમ વર્ગનું દેશ-ભક્તિવાળું કુટુંબ. 1942ની ચળવળમાં દીકરો પથ્થર નાખવા જાય અને માતા ગભરાય! તેમણે થોડો સમય રમેશભાઈને કલોલ મોસાળ મોકલી દીધા! કોલેજમાં ડૉ.મિસ પંડ્યાના હાથ નીચે ડૉ.રમેશભાઈ અને ભાવી પત્ની ડૉ.અંજનાબહેન કામ કરતાં હતાં પણ ઓળખાણ નહીં. મિત્રની બહેન તરીકે પૈસાવાળા ઘરની દીકરીનું માગુ આવ્યું ત્યારે રમેશભાઈને નવાઈ લાગી! કંકોત્રી છપાવી તરત લગ્ન કરી લીધા! પતિ-પત્ની વચ્ચે સુંદર મન-મેળ! એકબીજા વગર ફાવે નહીં! ગુરૂ તરીકે મિસ પંડ્યા માટે એટલું માન કે દર બેસતા-વર્ષને દિવસે બાળકોને લઈ ઉપાશ્રય અને તેમને ત્યાં જાય!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે 4:00 વાગે ઊઠે. સામાયિક-પ્રતિક્રમણ કરે. નિયમિત માળા ફેરવે. બે-ત્રણ કલાક ધાર્મિક-ક્રિયાઓ ચાલે. 6:30વાગે નાસ્તો કરી છાપા વાંચે. સવા-સાત પછી છાપા છોડી ઘરમાં ચાલવાનું! ૧૦.૩૦વાગે જમીને આરામ કરે. ઊઠીને માળા ફેરવે. સાડા-ત્રણ વાગ્યે વહેલું ડિનર લે. પછી ટીવી પર “જીનવાણી” ચેનલ પર પ્રવચન સાંભળે અને સમાચાર જુએ. 6:00વાગે રૂમમાં જાય. સામાયિક-પ્રતિક્રમણ કરે, વાંચે. આઠ વાગે દવા લઈ સૂઈ જાય. એકદમ સાદું અને નિયમિત જીવન! પતિ-પત્ની બંનેએ ચાલુ પ્રેક્ટિસે, માત્ર રોટલી અને મગ ખાઈને, આંબેલનું વર્ષીતપ કર્યું હતું! ખોટા ખર્ચા ગમે નહીં. કપડું ફાટી જાય તો સાંધીને ચલાવે!

શોખના વિષયો : 

વાંચનનો ઘણો શોખ, જાણે વ્યસન! સ્કેચીંગ-ડ્રોઈંગ બહુ ગમે. ઇજનેરી-વિદ્યાશાખાના એડમીશનમાં ડ્રોઈંગ-પરીક્ષા પાસ કરી હોય તો 1% વધારે મળતો એટલે ડ્રોઈંગ શીખેલા. તીર્થયાત્રા કરવી ગમે. સંયુક્ત-કુટુંબની જવાબદારી ઉપાડી, નાની બહેનના લગ્ન કરાવ્યા, કન્યાદાન પણ કર્યું. ભાણીના નામનું ટ્રસ્ટ બનાવી પૈસા સાચવ્યા.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

વર્ષોથી તળેલું ખાવાની બાધા છે. કોઈ લગ્નમાં જતા નથી. સંબંધને લીધે ક્યારેક જવું પડે તો પણ લગ્નમાં જમતા નથી, એટલે તબિયત પ્રમાણમાં ઘણી સારી. 2021માં હાર્ટ એટેક આવ્યો હતો પણ કોઈ ફરિયાદ નહીં. કોરોના સુધી તો પાલીતાણા જાતે ચઢતા-ઊતરતા!

યાદગાર પ્રસંગ:  

દીકરીના લગ્ન નક્કી કર્યા ત્યારે દીકરીને આપવા માટે દાગીના અને પૈસા તૈયાર હતા. તેમણે વેવાઈને પૂછ્યું: “દાગીના અને પૈસા તૈયાર છે, જો લગ્નમાં ખોટો દેખાડો કરીશું તો દીકરીનું જ ઓછું થશે! શું કરવું છે?” વેવાઈ પણ ખેલદિલ! સાદગીથી ધાબા ઉપર લગ્ન કર્યા! તેઓ કોઈ જાતના ઇન્ટરફિયરન્સમાં માનતા નથી. દીકરીને કાયમ કહે કે તું તારી જિંદગી જીવ!

શાંતિનગરમાં તેમની પ્રેક્ટિસ સરસ ચાલે. શાકવાળા પણ તેમને ઓળખે! પ્રેક્ટિસ બંધ કર્યાના ત્રણ વર્ષ પછી તેઓ એકવાર સોહરાબજી કમ્પાઉન્ડમાં કામ માટે ગયા. તેમને એક યુવાન મળ્યો, કહે: ‘તમે ડોક્ટર મનીષભાઈની(તેમની જ હોસ્પિટલ, જે હવે દીકરો સંભાળતો હતો) હોસ્પિટલમાં કામ કરો છો?’ ઘેર આવીને રમેશભાઈ એટલું બધું હસ્યા! આનંદ પણ થયો! જે હોસ્પિટલ તેમણે બનાવી અને 31 વર્ષ ચલાવી તે હવે દીકરાની હોસ્પિટલ હતી! બદલાવનો સહર્ષ સ્વીકાર!

2015માં ધોળકા રોડ પર મોટો બંગલો બનાવી રહેવા ગયા. બંગલામાં સાપ નીકળે, નીલગાય આવે…નીલગાય ભગાડવા ફટાકડા ફોડે,પોલીસ જેવી વ્હિસલ મારે! લોહી રેડીને બંગલો બનાવ્યો પણ બંગલાનું બિલકુલ એટેચમેન્ટ નહીં! નિવૃત્ત થયા છતાં નવી જિંદગી જીવવાનો શોખ હતો.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજી બહુ ઓછી વાપરે છે, પણ જેટલું કરવું હોય તેટલું તો શીખી જ લે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

બહુ બદલાવ આવી ગયો છે. શાળાથી જ શરૂ કરો. પહેલાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રસ લઈને ભણાવતા, જ્યારે આજે શિક્ષણ માત્ર પૈસાને માટે છે. ગુરૂ તરીકે ડૉ.મિસ પંડ્યા માટે ઘણું માન હતું! રમેશભાઈએ અભ્યાસ માટે જે જે સંસ્થાઓમાંથી મદદ લીધી હતી તે બધી સંસ્થાઓમાં સામેથી દાન કર્યું છે જેથી તે સદકાર્ય ચાલુ રહે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

હવે યુવાનો સાથેનો સંપર્ક ઓછો છે. રમેશભાઈનું ભણતર-આવડત- અનુભવ “પુરુષ વ્યંધત્વ” વિષયમાં એટલે યુવાનોને “જલ્દી લગ્ન અને તરત બાળકો”ની સલાહ આપે!

સંદેશો :  

દીકરો હોય કે દીકરી, એકલા રહેતાં શીખવું જોઈએ. પરવલંબી થવું નહીં. વસ્તુનો બગાડ ના કરો. ભાષામાં ભદ્રતા રાખો. વડીલો અને શિક્ષકોને માન આપો. આર્થિક સ્વતંત્રતા અને વિચારોની સ્વતંત્રતા ઘણી અગત્યની છે.

રાશિ ભવિષ્ય 22/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ 22/05/2024

ટીવી એક્ટર અર્જુન બિજલાની સાયબર ક્રાઈમનો શિકાર, 40 હજારનું નુકસાન

મુંબઈ: ટીવી એક્ટર અર્જુન બિજલાની તાજેતરમાં સાયબર ફ્રોડનો શિકાર બન્યા હતા. ક્રેડિટ કાર્ડ દ્વારા તેમને 40 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું. અભિનેતાએ 9 મેના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી.હવે અભિનેતાએ આ ઘટના વિશે વિગતવાર વાત કરી છે અને જણાવ્યું છે કે તે કેટલી ડરામણી ઘટના છે.

અર્જુન વર્કઆઉટ કરી રહ્યો હતો

અર્જુને કહ્યું,’મારું ક્રેડિટ કાર્ડ માત્ર મારી પાસે છે અને હું જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. બ્રેક પડતા મેં મારો ફોન તપાસ્યો અને જોયું કે ત્યાં ઘણા બધા મેસેજ હતા કે મારું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવામાં આવ્યું છે અને ત્યાં સતત વ્યવહારો ચાલુ છે. મારી પત્ની પાસે પણ સપ્લીમેન્ટરી કાર્ડ છે, તેથી મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે તેની પાસે તેનું કાર્ડ છે. તેથી તે સ્પષ્ટ છે કે વિગતો લીક કરવામાં આવી છે અને આ કેવી રીતે થયું તે અંગે અમે અજાણ હતા.

આ પછી અર્જુને તરત જ તેનું કાર્ડ બ્લોક કરાવી દીધું. અર્જુને કહ્યું,’હું સૂતો હોત તો? ઘણા લોકો બેંકના તમામ મેસેજ ચેક કરતા નથી.પરંતુ મને સમજાયું કે તે કેટલું મહત્વનું છે. હું નસીબદાર હતો કે મેં આ સમયસર જોયું અને ત્યાં ઘણા વ્યવહારો નહોતા. દરેક ટ્રાન્ઝેક્શન રૂ. 4 થી 5 હજારનું હતું અને મારા કુલ ઉપાડ રૂ. 40 હજાર હતા. મારા કાર્ડની મર્યાદા 10 થી 12 લાખ રૂપિયા છે. તેથી જો મેં મારો ફોન ચેક ન કર્યો હોત તો આ સ્થિતિ વધુ ખરાબ બની શકે તેમ હતી. મને સમજાતું નથી કે કોઈપણ OTP વિના વ્યવહારો કેવી રીતે થયા. આ ખૂબ જ ડરામણી ઘટના છે. હવેથી હું દર 6 મહિને મારું ક્રેડિટ કાર્ડ બદલીશ.’ અર્જુને સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે.

આ શોમાં અર્જુન બિજલાની જોવા મળી રહ્યાં છે

અભિનેતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટીવી શોમાં જોવા મળી રહ્યાં છે. એક્ટિંગની સાથે તે હોસ્ટિંગ પણ કરે છે. છેલ્લી વખત અભિનેતા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 10 શોને હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. આ દિવસોમાં તે શો ‘પ્યાર કા પહેલા અધ્યાયઃ શિવ શક્તિ’માં જોવા મળે છે.

મુબંઈ: શિવસેના પોલિંગ બૂથ એજન્ટ શૌચાલયમાંથી મૃત હાલતમાં મળ્યા

મુંબઈ: ગત રોજ એટલે કે 20 મેના રોજ મુંબઈમાં મતદાન થયું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર આક્ષેપો લગાવ્યા હતાં. એવામાં ઘટના સામે આવી કે શિવસેના (UBT) પોલિંગ બૂથ એજન્ટ મનોહર નલગે મુંબઈના વરલી વિસ્તારમાં એક મતદાન મથકના શૌચાલયની અંદર મૃત હાલતમાં મળી આવ્યા છે. મુંબઈના એનએમ જોશી માર્ગ પોલીસે મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ADRમાં કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે. આ માહિતી મુંબઈ પોલીસે આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મનોહર નલગે 62 વર્ષના હતા અને તેઓ મ્હસ્કર ઉદ્યાન, BDD ચાવલના એમ જોશી માર્ગ, ડેલિસલ રોડ, મુંબઈ-13ના રહેવાસી હતા. લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે રાજ્યભરની 13 બેઠકો પર મતદાન થયું હતું. મતદાનના આ છેલ્લા તબક્કામાં દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન થયું હતું. આ સિવાય પાંચમા તબક્કામાં ઈવીએમમાં ​​ખરાબી,પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ અને મતદાન મથકો પર સુવિધાઓનો અભાવ પણ જોવા મળ્યો હતો.

પોલીસે જણાવ્યું કે વોશરૂમ જતા પહેલા તેણે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું,”મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.” સેના (યુબીટી)ના કાર્યકરોએ ચૂંટણી પંચ પર સમગ્ર શહેરમાં મતદાન મથકો પર યોગ્ય સુવિધાઓ ન આપવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં ઉપલબ્ધ નવીનતમ માહિતી અનુસાર, પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મહારાષ્ટ્રની 13 લોકસભા બેઠકો પર સરેરાશ 54.33 ટકા મતદાન નોંધાયું છે. સીઈઓ ઓફિસના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે અંતિમ આંકડા પછીથી જાહેર કરવામાં આવશે. સોમવારે 13 બેઠકો પર મતદાન દરમિયાન મુંબઈની છ લોકસભા બેઠકો પર સરેરાશ મતદાન ટકાવારી 52.27 ટકા હતી, જ્યારે 2019 સામાન્ય ચૂંટણીમાં તે 55.38 ટકા હતી.

દારુ કૌભાંડ કેસ : મનીષ સિસોદિયાને કોર્ટે જામીન ન આપ્યા

આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે બંને કેસમાં નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. સિસોદિયાએ જામીન નામંજૂર કરવાના નિર્ણયને પડકાર્યો હતો.અરજીઓને ફગાવી દેતી વખતે હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે સિસોદિયાનું વર્તન લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે મોટો વિશ્વાસઘાત છે. કોર્ટે કહ્યું કે આ કેસ મનીષ સિસોદિયા દ્વારા સત્તાનો ગંભીર દુરુપયોગ અને વિશ્વાસનો ભંગ દર્શાવે છે. 

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર નિર્ણય લેવામાં આવશે

આદેશ વાંચતી વખતે કોર્ટે કહ્યું કે આરોપીઓ હજારો પાનાના દસ્તાવેજો જોવાની માંગ કરી રહ્યા છે. આના કારણે વિલંબ થાય છે. તેમણે કહ્યું કે આ મામલો સત્તાના દુરુપયોગનો છે. આરોપી જે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી હતા તેણે પૂર્વ નિર્ધારિત ધ્યેય માટે નીતિ બનાવી હતી. બેંચ વતી કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પોતે કહ્યું હતું કે જ્યારે સિસોદિયા જામીન અરજી દાખલ કરે છે ત્યારે ટ્રાયલ કોર્ટે તેની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના નિર્ણય લેવો જોઈએ.