નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે વિવિધ આર્થિક સુધારા અને સારા ગવર્નન્સ દ્વારા બેન્કિંગ સેક્ટરનો કાયાપલટ કર્યો છે. જેથી બેન્કોએ 2014થી 2023ની વચ્ચે રૂ. 10 લાખ કરોડથી વધુનાં ડૂબેલાં દેવાં એટલે કે બેડ લોન્સની વસૂલી કરી છે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ X પર કેટલીક પોસ્ટ દ્વારા એ વાત કહી છે.
નાણાપ્રધાને કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આશરે 1105 બેન્ક છેતરપિંડી કેસોની તપાસ કરી છે. જેના પરિણામસ્વરૂપ રૂ. 64,920 કરોડ ગેરકાયદે આવક જપ્ત કરી છે. ડિસેમ્બર 2023 સુધી જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂ. 15,183 કરોડની સંપત્તિ પરત કરી દીધી છે.દેશમાં બેન્કિંગ ક્ષેત્રએ રૂ. 3 લાખ કરોડના આંકડાને પાર કરતા સૌથી વધુ ચોખ્ખો નફો કર્યો હતો. સરકારે વ્યાપક સુધારાઓ થકી બેન્કિંગ ક્ષેત્રમાં UPA સરકારનાં પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું. મોદી સરકારે ડૂબેલાં દેવાં ખાસ કરીને મોટા ફિફોલ્ટરથી વસૂલાતમાં કોઈ ઢીલ મૂકી નહોતી અને એ પ્રક્રિયા જારી છે, એમ તેમણે કહ્યું હતું.
बैंकिंग क्षेत्र को देश की अर्थव्यवस्था की रीढ़ मानी जाती है। हाल ही में भारत के बैंकिंग क्षेत्र ने 3 लाख करोड़ रुपये से अधिक का शुद्ध लाभ (net profit) दर्ज करके एक महत्वपूर्ण उपलब्धि हासिल की है।
यह 2014 से पहले की स्थिति के बिल्कुल विपरीत है जब @INCIndia के नेतृत्व वाली यूपीए… https://t.co/NKdbxKxFQf
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) May 31, 2024
આ દુઃખની વાત છે કે વિરોધ પક્ષોના નેતા હજી પણ રાઇટ ઓફ અને માફી વચ્ચેનું અંતર સમજી નતી શકતા. RBIના દિશા-નિર્દેશો અનુસાર રાઇટ ઓફ પછી બેન્ક સક્રિય રીતે ડૂબેલાં દેવાંની વસૂલી કરે છે. કોઈ પણ ઉદ્યોગપતિની લોન માફ નથી કરવામાં આવતી. 2014થી 2023ની વચ્ચે બેન્કોએ બેડ લોન્સથી રૂ. 10 લાખ કરોડથી વધુની વસૂલાત કરી છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે NPAનું સંકટનાં બીજ UPA સરકારના કાર્યકાળમાં વાવવામાં આવ્યાં હતાં. મોદી સરકાર અમારી બેન્કિંગ પ્રણાલીને મજબૂત અને સ્થિર કરવા નિર્ણાયક પગલાં ભરતી રહેશે.













ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર કેપ આપવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સાથે શુભમન ગિલ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજને ICC ODI ટીમ ઓફ ધ યર કેપ અને ડાબોડી સ્પિનર અર્શદીપ સિંહને ICC T20I ટીમ ઓફ ધ યર કેપ મળી.









તેમણે ૧૯૭૫માં ભાવનગરમાં “ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી”ની સ્થાપના કરી હતી. તેમને વારસામાં મળેલાં ભાલનાં વેળાવદર ગામ પાસેની સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવા માટે ભારત સરકારને ભેટ આપીને પોતાનો હક્ક જતો કર્યો હતો.
શિવભદ્રસિંહજી ગોહિલ 1962 થી 1972 દરમિયાન કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડીને ધારાસભ્ય પદે પણ રહ્યા હતા. જો કે ત્યારબાદ તેમણે વન્ય-સંરક્ષણની પ્રવૃત્તિમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગુજરાત સરકારની સિંહ વિષયક તજજ્ઞોની સમિતિનું જ્યારથી ગઠણ થયું છે ત્યારથી તેઓ તેના સભ્ય છે. સિંહોની વસ્તી ગણતરી સમયે તેમણે સેવાઓ આપી હતી.
એરપોર્ટ પર લેન્ડ થાય છે. બહાર પ્રશંસકનાં ટોળેટોળાં છેઃ કૅમેરાની ક્લિક, ફ્લેશના ઝબકારા, સેલ્ફી, ઓટોગ્રાફ વગેરે આટોપી હીરો ઘરે જઈને મોબાઈલ ચેક કરી પોતાના પ્રચાર અધિકારીને (પીઆરઓને) ઘઘલાવે છેઃ “એરપોર્ટની પોસ્ટને કેમ લાઈક્સ મળ્યા નહીં? ગમે તે કર, પણ મને લાઈક્સ જોઈએ”.
