અમદાવાદઃ મંગળવારે ચૂંટણી પરિણામોને પગલે શેરબજારમાં થયેલા બ્લડબાથ પછી બુધવારે ઘરેલુ શેરબજારો ફરી તેજીને પંથે હતાં. કેન્દ્રમાં ફરી એક વાર મોદીની આગેવાની હેઠળ NDA સરકાર બનવાનાં એંધાણે રોકાણકારોએ પસંદગીના શેરોમાં લેવાલી કાઢી હતી. જેથી BSE સેન્સેક્સ 2303 પોઇન્ટ ઊછળી 74,382ના મથાળે બંધ થયો હતો અને NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 736 પોઇન્ટની તેજી સાથે 22,620ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 4.5 ટકા અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ ચાર ટકા વધ્યા હતા.
ઘરેલુ શેરબજારમાં નીચલા સ્તરેથી રોકાણકારોએ નવી ખરીદી કાઢી હતી, જેથી સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ ટકા વધ્યા હતા. મેટલ, ઓટો, બેન્કિંગ શેરોમાં સારીએવી લેવાલી જોવા મળી હતી. FMCG ઇન્ડેક્સ ચાર ટકાથી વધુ વધ્યો હતો, જ્યારે ફાર્મા, એનર્જી ઇન્ડેક્સ આશરે ત્રણ ટકાની તેજી થઈ હતી.
બજારના નિષ્ણાતોએ કહ્યું હતું કે કેન્દ્રમાં સરકારની કેબિનેટમાં કોણ હશે અને કયા ખાતા કોની પાસે રહેશે, એ જ્યાં સુધી નક્કી નહીં થાય, ત્યાં સુધી શેરબજારનું સેન્ટિમેન્ટ બેતરફી રહેવાની ધારણા છે. બજારમાં રોકાણકારોએ દરેક ઊંચા મથાળે સાવચેતીનું વલણ અપનાવતાં પ્રોફિટ બુકિંગનું વલણ અપનાવશે અને કેન્દ્રમાં રાજકીય સ્થિરતા વધશે તેમ-તેમ શેરોમાં તેજીની આગેકૂચ થશે. રોકાણકારોનું માનવું છે કે ભાજપની આગેવાની સરકાર રચાશે તો અર્થતંત્રમાં તેજી આવશે.
ઇન્ડિયા VIX આશરે 28 ટકા તૂટ્યો
શેરબજારમાં ગઈ કાલનો ઘટાડો પચાવી તેજી થઈ હતી, જેથી ઇન્ડિયા VIXમાં આશરે 28 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSEના બધા સેક્ટરના શેરો તેજીમાં હતા.





વહેલાલના સુનિલ ચિત્રલેખા.કોમને કહે છે, “દસક્રોઈ, દહેગામ, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોની આસપાસની મોટાભાગની જમીન એકદમ ફળદ્રુપ છે. પરંતુ ઉદ્યોગો અને કોંક્રિટના જંગલ આ વિસ્તારમાં સતત વધતાં જાય છે. અમે પર્યાવરણની જાળવણી માટે પ્રયાસ કરીએ છીએ. ગામમાં ત્રણસો વર્ષ કરતાં પણ જૂનાં રાયણના વૃક્ષની સૌ માવજત કરી જાળવણી કરે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પંથકમાં સંપ્રદાયના વિચારો લોકોને આપતા એ સમયે રાયણના આ વિશાળ વૃક્ષ નીચે ગ્રામજનો સાથે સત્સંગ કર્યો હતો. જ્યાં યાદગીરી રૂપે એક સ્થાનક પણ બનાવવામાં આવ્યું છે. વિશાળ થડ અને ઘટાદાર વૃક્ષ રાયણના આ વૃક્ષના રક્ષણ માટે વાડ પણ ઊભી કરવામાં આવી છે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારથી થોડાં જ કિલોમીટર દૂર ગાંધીનગર જિલ્લામાં આવેલા કંથારપુરમાં એક વિશાળ વડ અઢી વિઘામાં ફેલાયેલો છે. એ સૌના આકર્ષણનું કેન્દ્ર છે.
પર્યાવરણ દિવસની ઉજવણી વેળાએ હજારો સેમિનાર, વક્તવ્યો અને પ્રેઝન્ટેશન રજૂ થાય છે. પરંતુ એકલા અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં જ વિકાસના માર્ગ માટે આ વર્ષે જ હજારો વૃક્ષો કાપવામાં આવ્યા છે. નાના-મોટાં જડીબુટ્ટી સાથે ઉછરેલા વૃક્ષ, છોડના વન વિખેરાઈ ગયા છે. વહેલાલનું ત્રણસો વર્ષ જૂનું રાયણનું ઘટાદાર વૃક્ષ ગ્રામજનોની આસ્થા જાગૃતિને કારણે બચ્યું છે. બાકી આ વિસ્તારમાં હજારો અલભ્ય વૃક્ષ પણ કપાઈ ચૂક્યા છે. આજની નવી પેઢીના ઘણાં લોકોએ રાયણનું ઝાડ કેવું હોય એ ખબર પણ નહીં હોય..!







સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે. જેના ઉપર વિશ્વના દરેક ખૂણેથી લોકો દ્વારા સોશિયલ મીડિયા પર મૂકાયેલા માહિતીસભર વિડિયો આપણે જોઈ શકીએ છીએ. તેમજ એક્સેસ કરી શકીએ છીએ. આવો જ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં રેફ્રિજરેટર કે અન્ય કોઈપણ વીજ તકનીક વિના પાણી ઠંડું કરવાનો કિમિયો દેખાડવામાં આવ્યો છે.
દિવ્યા સિંહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલી રહ્યાં છે કે, ‘આજે તે ગામડાંના ચતુર રહસ્યો રજૂ કરશે’. તેણી આગળ બોલવાનું ચાલુ રાખતાં કહે છે કે, ‘તમારા શહેરોમાં ગરમીના દિવસોમાં રેફ્રિજરેટરમાં ઠંડું કરાયેલું પાણી પીવું સામાન્ય વાત છે. પરંતુ અમારા ગામમાં ફ્રિજ કે કોઈ અન્ય આધુનિક તકનીક વિના દેશી નુસ્ખાથી પાણી ઠંડું કરવામાં આવે છે. આ જ રહસ્ય આજે હું તમારી સામે છતું કરીશ.’