નવી દિલ્હીઃ કેન્દ્રમાં ચૂંટણી પરિણામો પછી સરકાર રચવાની કવાયત તેજ થઈ ગઈ છે. NDAની પાસે સ્પષ્ટ બહુમત છે, પણ ફરી બધાની નજર નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર છે, જે કિંગમેકર બનીને ઊભર્યા છે. બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના કેટલાય નેતાઓ દાવા કરી રહ્યા છે એ પણ સરકાર બનાવી શકે છે. તેઓ પણ વાંરવાર નીતીશ અને નાયડુનું નામ લઈ રહ્યા છે.
ભાજપની આગેવાની હેઠળ NDA ગઠબંધનમાં નીતીશની પાર્ટી JDU, ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP પણ સામેલ છે. ચૂંટણીમાં NDAને 292 સીટો મળી છે, જે બહુમતના આંકડા 272થી 20 સીટ વધુ છે. એટલે NDA બહુ સરળતાથી એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.
NDAની સૌથી મોટી પાર્ટી ભાજપે એકલા હાથે 240 સીટો જીતી છે, જે બહુમતના આંકડાથી 32 ઓછી છે. જો NDA ગઠબંધનમાં સામેલ ત્રણ સહયોગી- ચંદ્રબાબુ નાયડુ (16 સીટો) એકનાથ શિંદે (સાત સીટો) અને નીતીશકુમાર (12 સીટ)ની સીટ જોડવામાં આવે તો એ પૂરી થઈ જાય.
હવે જો ચંદ્રબાબુ કે નીતીશકુમાર મોદી સરકાર બનાવવામાં આનાકાની કરે અને એક પાર્ટી ખસી જાય તો પણ ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવી શકે છે. જો TDP NDAમાં ખસે તો ફણ NDAની પાસે જરૂરી 272થી ચાર સીટો (292-16= 276) સીટો હશે.
જો નીતીશકુમાર સાથે છોડી દે તો NDA ગઠબંધનની સીટો ઘટીને 280 (292-12=280) પર આવી જશે. એ બહુમતથી જરૂરી 272 સીટોથી આઠ સીટો વધુ છે. આમ નીતીશકુમારના વિના પણ ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં છે. આમ ફિર એક બાર મોદી સરકાર જ બનશે.












વહેલાલના સુનિલ ચિત્રલેખા.કોમને કહે છે, “દસક્રોઈ, દહેગામ, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોની આસપાસની મોટાભાગની જમીન એકદમ ફળદ્રુપ છે. પરંતુ ઉદ્યોગો અને કોંક્રિટના જંગલ આ વિસ્તારમાં સતત વધતાં જાય છે. અમે પર્યાવરણની જાળવણી માટે પ્રયાસ કરીએ છીએ. ગામમાં ત્રણસો વર્ષ કરતાં પણ જૂનાં રાયણના વૃક્ષની સૌ માવજત કરી જાળવણી કરે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પંથકમાં સંપ્રદાયના વિચારો લોકોને આપતા એ સમયે રાયણના આ વિશાળ વૃક્ષ નીચે ગ્રામજનો સાથે સત્સંગ કર્યો હતો. જ્યાં યાદગીરી રૂપે એક સ્થાનક પણ બનાવવામાં આવ્યું છે. વિશાળ થડ અને ઘટાદાર વૃક્ષ રાયણના આ વૃક્ષના રક્ષણ માટે વાડ પણ ઊભી કરવામાં આવી છે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારથી થોડાં જ કિલોમીટર દૂર ગાંધીનગર જિલ્લામાં આવેલા કંથારપુરમાં એક વિશાળ વડ અઢી વિઘામાં ફેલાયેલો છે. એ સૌના આકર્ષણનું કેન્દ્ર છે.
પર્યાવરણ દિવસની ઉજવણી વેળાએ હજારો સેમિનાર, વક્તવ્યો અને પ્રેઝન્ટેશન રજૂ થાય છે. પરંતુ એકલા અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં જ વિકાસના માર્ગ માટે આ વર્ષે જ હજારો વૃક્ષો કાપવામાં આવ્યા છે. નાના-મોટાં જડીબુટ્ટી સાથે ઉછરેલા વૃક્ષ, છોડના વન વિખેરાઈ ગયા છે. વહેલાલનું ત્રણસો વર્ષ જૂનું રાયણનું ઘટાદાર વૃક્ષ ગ્રામજનોની આસ્થા જાગૃતિને કારણે બચ્યું છે. બાકી આ વિસ્તારમાં હજારો અલભ્ય વૃક્ષ પણ કપાઈ ચૂક્યા છે. આજની નવી પેઢીના ઘણાં લોકોએ રાયણનું ઝાડ કેવું હોય એ ખબર પણ નહીં હોય..!